Tag: Railway Update

  • Ahmedabad Railway: અમદાવાદ મંડળની ત્રણ પૅસેન્જર ટ્રેનોના આગમન-પ્રસ્થાનના સમયમાં ફેરફાર

    Ahmedabad Railway: અમદાવાદ મંડળની ત્રણ પૅસેન્જર ટ્રેનોના આગમન-પ્રસ્થાનના સમયમાં ફેરફાર

    News Continuous Bureau | Mumbai

    Ahmedabad Railway: પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોની સમયબદ્ધતાને વધુ ઉત્તમ બનાવવાના ઉદ્દેશથી મહેસાણા-પાટણ પૈસેન્જર, પાટણ-મહેસાણા પૈસેન્જર, અને પાટણ-સાબરમતી ડેમૂ ટ્રેનોના આગમન-પ્રસ્થાનના સમયમાં 10 એપ્રિલ 2025 થી ફેરફાર કરવામાં આવ્યા છે. જેની વિગતો નીચે પ્રમાણે છે :

    1. ટ્રેન નંબર 59483 મહેસાણા-પાટણ પૈસેન્જર, મહેસાણા થી 12:10 કલાકને બદલે 12:30 કલાકે ઉપડશે તથા 12:42 કલાકે ધીનોજ, 12:49 કલાકે સેલાવી, 12:56 કલાકે રણુજ, 13:02 કલાકે સંખઈ તથા 13:20 કલાકે પાટણ પહોંચશે.
    2. ટ્રેન નંબર 59476 પાટણ-મહેસાણા પૈસેન્જર, પાટણ થી 16:40 કલાકને બદલે 16:25 કલાકે ઉપડશે તથા 16:31 કલાકે સંખઈ, 16:37 કલાકે રણુજ, 16:46 કલાકે સેલાવી, 16:53 કલાકે ધીનોજ તથા 17:15 કલાકે મહેસાણા પહોંચશે.

    આ સમાચાર પણ વાંચો : Global Skills Center: હવે સિંગાપોર જેવું કૌશલ્ય વિકાસ કેન્દ્ર મહારાષ્ટ્રમાં બનશે: મંત્રી લોઢા

    3. ટ્રેન નંબર 79436 પાટણ-સાબરમતી ડેમૂ પાટણ થી 12:30 કલાકને બદલે 12:10 કલાકે ઉપડશે તથા 12:16 કલાકે સંખઈ, 12:22 કલાકે રણુજ, 12:30 કલાકે સેલાવી, 12:39 કલાકે ધીનોજ 13:00 કલાકે મહેસાણા 13.19 કલાકે આંબલિયાસણ, 13:30 કલાકે ડાંગરવા, 13:38 કલાકે ઝુલાસણ, 13:54 કલાકે કલોલ તથા 14.45 કલાકે સાબરમતી પહોંચશે. આ ટ્રેનનો કલોલ અને સાબરમતી વચ્ચે આગમન-પ્રસ્થાનનો સમય યથાવત રહેશે.

    યાત્રીઓને જણાવવામાં આવે છે કે ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા કરે. ટ્રેનોના રોકાણ, માર્ગ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Train Schedule Change: રેલ યાત્રી માટે મહત્વપૂર્ણ સૂચના, એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ-અમદાવાદ અને એકતા નગર એક્સપ્રેસના સમયમાં ફેરફાર

    Train Schedule Change: રેલ યાત્રી માટે મહત્વપૂર્ણ સૂચના, એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ-અમદાવાદ અને એકતા નગર એક્સપ્રેસના સમયમાં ફેરફાર

    News Continuous Bureau | Mumbai

    Train Schedule Change: પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન નં. 20953 એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ-અમદાવાદ એક્સપ્રેસ અને ટ્રેન નં. 20919 એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ-એકતા નગર એક્સપ્રેસ ના એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ સ્ટેશન થી પ્રસ્થાન ના દિવસ અને સમય માં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

    • ટ્રેન નંબર 20953 એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ-અમદાવાદ એક્સપ્રેસ જે વર્તમાનમાં એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ સ્ટેશન થી દર શુક્રવારે 15.50 કલાકે ઉપડે છે અને બીજા દિવસે 21.15 કલાકે અમદાવાદ પહોંચે છે, 20 એપ્રિલ 2025 થી, આ ટ્રેન એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ સ્ટેશન થી દર રવિવારે 22.40 કલાકે ઉપડશે અને મંગળવારે 03.20 કલાકે અમદાવાદ પહોંચશે.
    •  ટ્રેન નંબર 20919 એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ-એકતા નગર એક્સપ્રેસ જે વર્તમાનમાં એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ સ્ટેશન થી દર રવિવારે 22.40 કલાકે ઉપડે છે અને મંગળવારે 02.40 કલાકે અમદાવાદ પહોંચે છે, 18 એપ્રિલ 2025 થી, આ ટ્રેન એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ સ્ટેશનથી દર શુક્રવારે 15.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 20.40 કલાકે એકતા નગર પહોંચશે.

    Train Schedule Change:  મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવી.

    ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય અંગે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed 

  • Ahmedabad to Bandra: પશ્ચિમ રેલ્વે અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવશે

    Ahmedabad to Bandra: પશ્ચિમ રેલ્વે અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવશે

    News Continuous Bureau | Mumbai 

    Ahmedabad to Bandra: પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે અને મુસાફરોના વધારાના ધસારાને ધ્યાનમાં રાખીને મુસાફરીની માંગને પહોંચી વળવા માટે અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ સ્ટેશનો વચ્ચે ખાસ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે.આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:-

    * ટ્રેન નં. 09462/09461 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ (૨ ટ્રિપ)

    ટ્રેન નં. 09462 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 24 જાન્યુઆરી, 2025, શુક્રવારના રોજ અમદાવાદથી 20.00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 04.20 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09461 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ 25 જાન્યુઆરી, 2025, શનિવારના રોજ બાંદ્રા ટર્મિનસથી 05:35 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 13:45 વાગ્યે અમદાવાદ પહોંચશે.

    આ સમાચાર પણ વાંચો : Road Under Bridge: માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ડી-કેબિન ખાતે નવનિર્મિત રોડ અંડર બ્રિજનું ઉદ્ઘાટન કર્યું.

    આ ટ્રેન બંને દિશામાં વડોદરા, ઉધના, વલસાડ, વાપી, દહાણુ રોડ અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ હશે.

    ટ્રેન નંબર 09462 અને 09461 માટે બુકિંગ ૨૨ જાન્યુઆરી, ૨૦૨૫ થી બધા પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને રચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.