Tag: recruitment

  • Waqf Board: વકફ બોર્ડમાં નોકરી કેવી રીતે મળે છે, કેટલા લોકોને અને કઈ રીતે રોજગાર આપે છે વકફ: ભરતી પ્રક્રિયા સમજો

    Waqf Board: વકફ બોર્ડમાં નોકરી કેવી રીતે મળે છે, કેટલા લોકોને અને કઈ રીતે રોજગાર આપે છે વકફ: ભરતી પ્રક્રિયા સમજો

    News Continuous Bureau | Mumbai

    Waqf Board: શું તમને ખબર છે કે વકફ બોર્ડમાં તમે કેવી રીતે નોકરી મેળવી શકો છો? ચાલો આજે અમે તમને સંપૂર્ણ પ્રક્રિયા સમજાવીએ છીએ. વકફ સુધારા વિધેયકને લઈને આ દિવસોમાં દેશની રાજનીતિ ગરમાઈ છે. સરકારે જાહેરાત કરી છે કે આ બિલ 2 એપ્રિલ 2025ના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવશે. આ બિલને લઈને દેશની રાજનીતિ પણ ગરમાઈ છે. ચાલો આજે અમે તમને જણાવીએ છીએ કે વકફ બોર્ડમાં નોકરી કેવી રીતે મળે છે અને તેની પ્રક્રિયા શું છે.

     

    વકફ બોર્ડમાં નોકરી કેવી રીતે મળે છે?

    વકફ બોર્ડમાં નોકરી માટે વિવિધ પદો માટે ભરતી કરવામાં આવે છે. આ નોકરીઓ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અથવા સંબંધિત વકફ તરફથી બહાર પાડવામાં આવે છે. બોર્ડમાં જુનિયર ક્લાર્ક, લીગલ એડવાઇઝર, ઇન્સ્પેક્ટર, એકાઉન્ટ્સ આસિસ્ટન્ટ સહિતના પ્રશાસનિક અને અન્ય કર્મચારીઓના પદો માટે નોકરીઓ બહાર પાડવામાં આવે છે. જ્યારે ભરતી બહાર પાડવામાં આવે છે, ત્યારે તેનું નોટિફિકેશન વકફ બોર્ડની અધિકૃત વેબસાઇટ, રાજ્ય સરકારની વેબસાઇટ અથવા રોજગાર પોર્ટલ પર જારી કરવામાં આવે છે. નોટિફિકેશનમાં ભરતી સંબંધિત તમામ માહિતી ઉપલબ્ધ હોય છે.

    આ સમાચાર પણ વાંચો : Naxal-free Bharat : મોદી સરકાર નક્સલવાદને જડમૂળથી ઉખેડી નાખવા માટે પ્રતિબદ્ધ, દેશમાં નક્સલવાદથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા ઘટીને 6 થઈ ગઈ

    વકફમાં નોકરી માટે જરૂરી પાત્રતા

    શૈક્ષણિક લાયકાત પદ અનુસાર હોય છે. જે 10મી, 12મી, ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ-ગ્રેજ્યુએશન હોઈ શકે છે. કેટલીક મોટી પોસ્ટ માટે અનુભવ પણ જરૂરી હોય છે. ઉંમરની વાત કરીએ તો તે પદ અનુસાર 18 વર્ષથી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જ્યારે મહત્તમ ઉંમરમાં સરકારી નિયમો હેઠળ રાહત મળે છે.

     

    વકફમાં નોકરી માટે પસંદગી કેવી રીતે થાય છે?

    પસંદગીની વાત કરીએ તો લેખિત પરીક્ષા, ઇન્ટરવ્યુ, કમ્પ્યુટર ટેસ્ટ, ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશનના આધારે ઉમેદવારની પસંદગી થાય છે.

  • Maharashtra private placement : મહારાષ્ટ્ર ની ખાનગી પ્લેસમેન્ટ એજન્સીઓ માટે નવા નિયમોનો ખરડો બન્ને ગૄહોમાં પસાર…

    Maharashtra private placement : મહારાષ્ટ્ર ની ખાનગી પ્લેસમેન્ટ એજન્સીઓ માટે નવા નિયમોનો ખરડો બન્ને ગૄહોમાં પસાર…

      News Continuous Bureau | Mumbai

    Maharashtra private placement :

    • રોજગાર વાંચ્છુ યુવાનોની છેતરપિંડી રોકવા સરકારે કમર કસી
    • હવે દરેક પ્લેસમેન્ટ એજન્સી સરકારના રજિસ્ટર્ડ માળખા હેઠળ હશે: મંત્રી લોઢા

    મુંબઇ, ૨૬ માર્ચ: મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્રમાં ખાનગી પ્લેસમેન્ટ એજન્સીઓ પર નિયંત્રણ લાવવા અને યુવાનોને છેતરપિંડીથી બચાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મહારાષ્ટ્ર ખાનગી રોજગાર એજન્સીઓ (નિયમન) બિલ, ૨૦૨૫, બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું છે, જે રાજ્યમાં નોકરી શોધનારાઓ માટે એક સુરક્ષિત અને વધુ પારદર્શક વ્યવસ્થા બનાવે છે. કૌશલ્ય, રોજગાર, ઉદ્યોગસાહસિકતા અને નવીનતા મંત્રી મંગલ પ્રભાત લોઢાએ યુવાનોના કૌશલ્ય વિકાસ અને રોજગાર માટે અત્યાર સુધીમાં શ્રેણીબધ્ધ મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.

    તેમણે વિધાન પરિષદના સભ્યોએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર રાજ્યમાં રોજગાર મેળાઓની સંખ્યામાં વધારો, તેનાથી યુવાનોને થનારા ફાયદા અને મુખ્યમંત્રી યુવા કાર્ય તાલીમ યોજના દ્વારા વિદ્યાર્થીઓને રોજગારની તકો સાંપડી છે. આગામી દિવસોમાં આ પગલાંઓ દૂરંદેશીવાળા અને માર્ગદર્શક સાબિત થશે. મહારાષ્ટ્ર ખાનગી રોજગાર એજન્સીઓ (નિયમન) બિલ ૨૦૨૫ રજૂ કરવાનો નિર્ણય પણ ઐતિહાસિક હોવાની નોંધ લેવા તેમણે વિધાન પરિષદનાં સભ્યોને જણાવ્યું હતું. રહેશે. આ બિલ નકલી ભરતી પ્રક્રિયાઓ દ્વારા બેરોજગાર લોકોની છેતરપિંડી રોકવા માટે નિવારક પગલાં લઈને ઉમેદવારોના રોજગાર હિતોનું રક્ષણ કરશે.

    આ બિલ વિશે બોલતા મંત્રી લોઢાએ કહ્યું, “માનનીય મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસજીએ રાજ્યમાં સરકાર બનાવ્યા પછી દરેક વિભાગને ૧૦૦ દિવસનો કાર્યક્રમ તૈયાર કરવા કહ્યું હતું. માનનીય મુખ્યમંત્રીએ કહ્યું કે આ બિલને કૌશલ્ય વિકાસ વિભાગના ૧૦૦ દિવસના કાર્યક્રમમાં સામેલ કરવું જોઈએ અને તે મુજબ આજે મહારાષ્ટ્ર ખાનગી પ્લેસમેન્ટ એજન્સીઓ (નિયમન) બિલ ૨૦૨૫ રજૂ કરવામાં આવ્યું છે. આ આ કાયદો યુવાનોના અધિકારોનું રક્ષણ કરશે અને પ્લેસમેન્ટ એજન્સીઓ પર પણ નિયંત્રણ મૂકશે. હવે દરેક પ્લેસમેન્ટ એજન્સી સરકારના રજિસ્ટર્ડ માળખા હેઠળ હશે, જે પારદર્શિતા લાવશે અને યુવાનોનો વિશ્વાસ વધારશે.”

    આ કાયદાનો ઉદ્દેશ્ય રાજ્યના યુવાનોને દેશ અને વિદેશમાં રોજગારની તકો પૂરી પાડવાનો, શૈક્ષણિક સંસ્થાઓ સાથે સહયોગ કરીને તેમની ભાગીદારી વધારવાનો, તેમની કામગીરીમાં પારદર્શિતા લાવવાનો અને સંસ્થાના ગુણવત્તાયુક્ત કાર્યને પ્રોત્સાહન આપવાનો છે.

    Maharashtra private placement :કાયદાની વિશેષ જોગવાઇ:

    ૧. પહેલા, ગુમાસ્તા લાયસન્સના આધારે એજન્સી શરૂ કરી શકાતી હતી, પરંતુ હવે તે શક્ય નથી. બધી પ્લેસમેન્ટ એજન્સીઓએ સરકારના નોંધણી અધિકારી સાથે નોંધણી કરાવવી જરૂરી છે અને માન્ય નોંધણી પ્રમાણપત્ર વિના તેઓ કામ કરી શકશે નહી.
    ૨. જો ખોટી માહિતી, ખોટા દસ્તાવેજો, છેતરપિંડી, માહિતીનો દુરુપયોગ, રોજગાર આપવામાં નિષ્ફળતા અથવા ઇનકાર, સરકારના નામે લોકોને ગેરમાર્ગે દોરવા જેવી કોઈપણ બાબત ધ્યાનમાં આવશે, તો તે એજન્સીનું નોંધણી પ્રમાણપત્ર રદ અથવા સસ્પેન્ડ કરવામાં આવશે.
    ૩. આ બિલમાં નોંધણી વગર કાર્યરત સંસ્થાઓ માટે દંડનીય કાર્યવાહી અથવા કેદની પણ જોગવાઈ છે.
    ૪. સરકારે માત્ર નિયમન માટે જ નહીં, પરંતુ રોજગારની તકો વધારવા માટે પણ પગલાં લીધાં છે.

    આ સમાચાર પણ વાંચો  વાહનચાલકો થઈ જાઓ તૈયાર… મુંબઈના આ વિસ્તારમાં ટ્રાફિક જામ વધુ વધશે, 125 વર્ષ જૂનો બ્રિટિશ યુગનો બ્રિજ તોડી પડાશે… એપ્રિલમાં શરૂ થશે કામગીરી..

    ભવિષ્યમાં કૌશલ્ય વિકાસ વિભાગ દ્વારા નોકરી મેળાઓ, કારકિર્દી માર્ગદર્શન, કૌશલ્ય વિકાસ વર્કશોપ અને રજિસ્ટર્ડ ખાનગી પ્લેસમેન્ટ એજન્સીઓ સાથે સેમિનાર યોજવા જેવા ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ બિલ મહારાષ્ટ્રમાં નોકરી શોધતા યુવાનોને વધુ સુરક્ષિત અને પારદર્શક પ્લેસમેન્ટ સેવાઓ પ્રદાન કરશે અને ખાનગી પ્લેસમેન્ટ એજન્સીઓના અનિયમિત સંચાલન પર નિયંત્રણ લાવશે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Gujarat Hospital :  ગુજરાતની હોસ્પિટલમાં ડૉકટર્સની ઘટ્ટ નજીકના સમયમાં બનશે ભૂતકાળ, વર્ગ-2ની 1921 અને સ્ટાફનર્સ વર્ગ-3 ની 1903 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલુ

    Gujarat Hospital : ગુજરાતની હોસ્પિટલમાં ડૉકટર્સની ઘટ્ટ નજીકના સમયમાં બનશે ભૂતકાળ, વર્ગ-2ની 1921 અને સ્ટાફનર્સ વર્ગ-3 ની 1903 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલુ

    News Continuous Bureau | Mumbai 

    Gujarat Hospital :

    • રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓમાં તબીબો અને પેરામેડિકલ સ્ટાફ ઉપલબ્ધ કરાવવા સરકારે સઘન પ્રયાસો હાથ ધર્યા છે – આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલ 
    • રાજ્યની હોસ્પિટલમાં ડૉકટર્સની ઘટ્ટ નજીકના સમયમાં ભૂતકાળ બનશે – આરોગ્યમંત્રીશ્રી
    • રાજ્યમાં વર્ગ-2ની 1921 અને સ્ટાફનર્સ વર્ગ-3 ની 1903 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે
    • પેરામેડીકલ વર્ગ-૩ સંવર્ગની ખાલી જગ્યાઓ ભરવા ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડરમાં સમાવેશ કરેલ જગ્યાઓનાં માંગણાપત્રક મોકલવાની કાર્યવાહી પ્રગતિ હેઠળ
    • તાપી જિલ્લામાં વર્ગ-1 માં 54.68 ટકા અને વર્ગ-2 માં 85.50 ટકા તેમજ વલસાડ જિલ્લામાં વર્ગ-1 માં 42.5 અને વર્ગ-2 માં 93.02 ટકા જગ્યાઓ ભરાયેલી

    ગુજરાત વિધાનસભામાં તાપી અને વલસાડ જિલ્લાના આરોગ્યકેન્દ્રોમાં મંજૂર મહેકમની સામે ભરાયેલ અને ખાલી મહેકમ સંદર્ભેના પૂછાયેલ પ્રશ્નના ઉત્તરમાં આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, તાપી જિલ્લામાં વર્ગ-1 માં કુલ 54.68 ટકા અને વર્ગ-2 માં 85.50 ટકા અને વર્ગ 3 અને 4 માં 76.04 ટકા તેવી જ રીતે વલસાડ જિલ્લામાં વર્ગ-1 માં 42.5 અને વર્ગ-2 માં 93.02 ટકા અને વર્ગ-3 અને 4 માં 49.36 ટકા મહેકમ ભરાયેલ છે.

    Gujarat Hospital : તાપી જિલ્લાની સ્થિતિ :

    તાપી જિલ્લામાં ખાલી મહેકમ ભરવા હાથ ધરાયેલ પ્રયાસો સંદર્ભે મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, છેલ્લા ૨ વર્ષમાં સી.પી.એસ. બોન્ડેડ-૧૬, પી.જી. બોન્ડેડ-૧૩ અને ૧૧ માસ કરાર આધારિત-૨૯ મળી કુલ ૫૮ને નિમણુંક અપાઇ છે. તાપીના ૩૮ પ્રા.આ.કે. માં ૬૮ માંથી ૬૨ M.O ની જગ્યાઓ ભરેલ છે. તાપી જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તજજ્ઞ વર્ગ-૧ માં ૧૨ માંથી ૪ ભરેલી છે. ખાલી જગ્યાઓ પર નજીકની હોસ્પિટલમાં ઉપલબ્ધ તજજ્ઞોને પણ અઠવાડીયામાં કેટલાક દિવસ ડેપ્યુટેશન આપીને સેવાઓ મેળવવામાં આવે છે. તદ્ઉપરાંત સી.એમ.સેતુ અંતર્ગત પણ તજજ્ઞ તબીબોની સેવા લેવામાં આવે છે. એમ.ઓ. વર્ગ -૨ ની તમામ ૨૪ જગ્યાઓ ભરેલ છે. તાપીની જીલ્લા હોસ્પિટલોમાં વર્ગ-૧ની ૪૫ માંથી ૩૧ તેમજ વર્ગ-૨ માં ૩૦ માંથી ૨૬ જગ્યાઓ ભરાયેલ છે.

    Gujarat Hospital : વલસાડ જિલ્લાની સ્થિતિ:

    વલસાડ જીલ્લામાં છેલ્લા ૨ વર્ષમાં સી.પી.એસ. બોન્ડેડ-૯, પી.જી. બોન્ડેડ-૧૦ અને ૧૧ માસ કરાર આધારિત-૧૫ મળી કુલ ૩૪ને નિમણુંક આપવામાં આવી છે. વલસાડમાં પ્રા.આ.કે. માં એમ.ઓ. વર્ગ-૨ની ૯૩ માંથી ૯૧ જગ્યાઓ ભરેલ છે.
    વલસાડ સા.આ.કે.માં તજજ્ઞ ૩૨માંથી ૧૧ ભરેલી છે. નજીકની હોસ્પિટલમાં ઉપલબ્ધ તજજ્ઞોને પણ અઠવાડીયામાં કેટલાક દિવસ ડેપ્યુટેશન આપીને સેવાઓ મેળવવામાં આવે છે. એમ.ઓ. વર્ગ-૨ની તમામ ૪૦ ભરેલ છે. વલસાડમાં જીલ્લા હોસ્પિટલોમાં વર્ગ-૧ ની ૩૭ માંથી ૨૩ અને વર્ગ-૨ ની ૨૩ માંથી ૨૧ જગ્યાઓ ભરાયેલ છે.

    Gujarat Hospital : રાજ્યમાં ખાલી જગ્યા ભરવાનું આયોજન

    વર્ગ-૧

    તજજ્ઞ વર્ગ-૧ની જુદા-જુદા ૧૨ સંવર્ગની કુલ ૧૧૪૬ જગ્યાઓ માટે G.P.S.C.માં માંગણાપત્રક મોકલવામાં આવ્યા છે.જે પૈકી પીડીયાટ્રીશિયન અને ડેન્ટલ સર્જન સિવાયના તમામ સંવર્ગમાં પ્રાથમિક કસોટીની પ્રક્રિયા પુર્ણ થઇ છે. ઇન્ટરવ્યુ બાદ પસંદગી પ્રક્રિયા પુર્ણ થતા ઉમેદવારો ઉપલબ્ધ થયેથી ખાલી જગ્યાઓ પર નિમણુંક આપવામાં આવશે. સરકારી મેડિકલ કોલેજો ખાતેથી પી.જી. થયેલ ઉમેદવારોને નિમણૂંક આપવામાં આવે છે. જે માટે હાલમાં ૪૩૫ તજજ્ઞોનુ લીસ્ટ ઉપલબ્ધ થયેલ છે અને તેઓને નિમણૂંક આપવાની કાર્યવાહી ચાલુમાં છે. આરોગ્ય કમિશનરશ્રી કચેરી દ્વારા દરરોજ વોક-ઇન ઇન્ટરવ્યુ લઇને ૧૧ માસના કરાર આધારિત નિમણુંક આપવામાં આવે છે.સી.પી.એસ. થયેલ અંદાજે ૯૮ ઉમેદવારોની અરજીઓ મળેલ છે. જેમને એક વર્ષ માટે નિમણુંક આપવાની પ્રક્રિયા ચાલુમાં છે.

    વર્ગ-૨

    વર્ગ-૨ની ૧૯૨૧-જગ્યા ભરવા માટે ભરવા GPSC દ્રારા તા. ૨૧/૧૧/૨૦૨૪ તથા તા. ૦૮/૦૧/૨૦૨૫ ના રોજ જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવી છે. જેમાં અંદાજે ૧૩,૦૦૦ કરતા વધુ અરજીઓ મળેલ છે અને તા. ૩૦/૦૩/૨૦૨૫ના રોજ પરીક્ષા પણ લેવામાં આવશે

    વર્ગ-૩

    વર્ગ-૩માં સ્ટાફનર્સની ૧૯૦૩ ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે સ્પર્ધાત્મક પરિક્ષા લેવામાં આવી છે. પેરામેડીકલ વર્ગ-૩ સંવર્ગની અન્ય ખાલી જગ્યાઓ ભરવા ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડરમાં સમાવેશ કરેલ જગ્યાઓનાં માંગણાપત્રક મોકલવાની કાર્યવાહી ચાલુમાં છે. ૧૦ વર્ષિય ભરતી કેલેન્‍ડર મુજબ રાજયમાં અર્બન હેલ્થ અંતર્ગત ૧૪૭૯ જગ્યાઓ ભરવા આયોજન કરેલ છે.

    આ સમાચાર પણ વાંચો: Green Hydrogen Plant Kandla :ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રે ગુજરાતનું મહત્ત્વપૂર્ણ પગલું, કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ઈલેક્ટ્રોલાઈઝર્સના કન્સાઈનમેન્ટને વર્ચ્યુલ ફ્લેગ ઑફ કરાવ્યું

    અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૧૯૯૫ માં ૮ કોલેજમાં યુ.જી. ની ૯૨૫ બેઠકો હતી. હાલ ૪૧ કોલેજોમાં ૭૨૫૦ બેઠકો છે. જેના લીધે વર્ગ-૨ ડોક્ટરો ઉપલબ્ધ થવાથી મોટા ભાગની વર્ગ-૨ જગ્યાઓ બંને જીલ્લામાં ભરેલી છે. તેવી જ રીતે વર્ષ ૧૯૯૫માં પી.જી. માં ૬૮૮ બેઠકોની સામે હાલ ૩૭૧૯ બેઠકો છે અને ૧૦૧૧ બેઠકો વધારવા માટે એસેન્સિયાલીટી સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવેલ છે. આથી આવનારા સમયમાં વર્ગ-૧ ની ઘટ પણ પુરી થઇ શકશે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Job Fair 2025 : વીર નર્મદ યુનિવર્સિટી ખાતે ક્લસ્ટર લેવલ મેગા જોબ ફેર યોજાયો; મેળામાં 30  કંપની/એકમો દ્વારા 630 ઉમેદવારોની કરાઈ પસંદગી

    Job Fair 2025 : વીર નર્મદ યુનિવર્સિટી ખાતે ક્લસ્ટર લેવલ મેગા જોબ ફેર યોજાયો; મેળામાં 30 કંપની/એકમો દ્વારા 630 ઉમેદવારોની કરાઈ પસંદગી

    News Continuous Bureau | Mumbai

    Job Fair 2025 :

    • સુરત- તાપી રોજગાર કચેરી અને VNSGU દ્વારા આયોજિત જોબ ફેરમાં ૩૦ કંપની/એકમો દ્વારા ૬૩૦ ઉમેદવારોની પસંદગી

     રોજગાર કચેરી(સુરત અને તાપી) તેમજ વીર નર્મદ દ.ગુજરાત યુનિવર્સિટીના સયુંકત ઉપક્રમે VNSGU ના શ્રીમદ્દ રાજચંદ્ર હોલમાં ક્લસ્ટર લેવલ મેગા જોબ ફેર યોજાયો હતો. જેને વિવિધ કંપનીઓ-સંસ્થાઓના પ્રતિનિધિઓની હાજરીમાં યુનિવર્સિટીના કુલપતિ ડૉ.કે.એન.ચાવડાએ ખૂલ્લો મૂક્યો હતો. જોબ ફેરમાં ૩૦ કંપની/એકમો દ્વારા ૬૩૦ ઉમેદવારોની પસંદગી થઇ હતી.

    Job Fair 2025 Veer Narmad South Gujarat University Organized Employment Recruitment

                   મેગા જોબફેરમાં વિવિધ સેક્ટરની ૩૦ કંપનીઓમાં એલ.&ટી, ગીન્ઝા ઇન્ડિયા લિ., શાહલોન સિલ્ક મિલ ઇ.લિ., નવજીવન ટ્રકસ એન્ડ બસીસ, કિરણ મોટર્સ લિ., જે.બી.જી.ઓર્ગેનાઈઝેશન પ્રા.લિ., ધ્રુવ મોટર્સ, શ્રીનાથ ગ્રુપ્સ, આઈ.એસ એન્જિનીયર વગેરે  પ્રતિષ્ઠિત  કંપનીઓ ઉપસ્થિત રહી હતી. સ્નાતક અને અનુસ્નાતક બી.બી.એ, એમ.બી.એ, બી.એસ.સી.,એમ.એસ.સી, બી.સી.એ, એમ.કોમ, એમ.બી.એ., બી.એડ, એમ.એસ.ડબ્લ્યુ, બી.ઈ. ફાર્મસી, આઈ.ટી.આઈ. જેવી લાયકાત ધરાવતા કુલ-૧૦૬૨ ઉમેદવારોના ઈન્ટરવ્યુ લેવાયા હતા. જે પૈકી કંપનીઓની ૮૨૮ વેકેન્સી સામે ૬૩૦ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઈ હતી. આ પસંદગીમાં ૮  લાખ સુધીના વાર્ષિક પેકેજની ઓફર કરાઈ હતી. કંપનીઓ ટેકનિકલ અને અનુભવી જગ્યાઓ માટે પસંદગી પામેલા ઉમેદવારોને બીજા તબક્કાનાં ઈન્ટરવ્યું માટે કંપની ખાતે બોલાવાશે.

    Job Fair 2025 Veer Narmad South Gujarat University Organized Employment Recruitment

          આ ઉપરાંત, આગામી દિવસોમાં રોજગાર કચેરી-સુરત દ્વારા યુનિવર્સિટીના સહયોગમાં ભરતી મેળા પૂર્વે વિવિધ વિષયે રોજગારલક્ષી માર્ગદર્શન અને તાલીમ/સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજાશે.    

    Job Fair 2025 Veer Narmad South Gujarat University Organized Employment Recruitment

    આ સમાચાર પણ વાંચો :  Mission Mangalam Yojana : શૂન્યમાંથી સર્જન… જામનગર માં સખીમંડળની મહિલાઓ મિશન મંગલમ યોજના અંતર્ગત હેન્ડીક્રાફ્ટસ અને ગૃહ સુશોભનની વસ્તુઓ બનાવી આર્થિક સદ્ધર બન્યા

           એન.સી.એસ. સેન્ટર ફોર એસ.સી/એસ.ટી.,સુરત સહયોગી સંસ્થા તરીકે જોડાઈ હતી આ પ્રસંગે મદદનીશ નિયામક(રોજગાર) પારૂલબેન પટેલ, સંસ્કૃતિક યોદ્ધા પુરસ્કારથી સન્માનિત સી.એ. પ્રકાશ કપોરીયા, ડૉ.અંકિતા મુલાણી, કોમલબેન સાવલિયા, તરૂણ મિશ્રા, યુનિ.ના પ્લેસમેન્ટ ઓફિસર દર્શનભાઈ પુરોહિત, નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર એસ.સી/એસ.ટી.-સુરતના અધિકારી ડૉ.અમનદીપસિંગ, રોજગાર કચેરી(સુરત/તાપી)ના બિપીનભાઈ માંગુકિયા અને વિનોદભાઈ મરાઠે તેમજ મોટી સંખ્યામાં રોજગારવાંચ્છું ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.   

    Job Fair 2025 Veer Narmad South Gujarat University Organized Employment Recruitment

     

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Gujarat Police Recruitment: યુવાનો માટે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, વર્ષ ૨૦૨૫માં ગુજરાત પોલીસ દળની આટલી જગ્યાઓ પર કરાશે સીધી ભરતી.

    Gujarat Police Recruitment: યુવાનો માટે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, વર્ષ ૨૦૨૫માં ગુજરાત પોલીસ દળની આટલી જગ્યાઓ પર કરાશે સીધી ભરતી.

    News Continuous Bureau | Mumbai 

    Gujarat Police Recruitment:  ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તેમજ ગુજરાત પોલીસ દળમાં જોડાવા ઈચ્છુક યુવાઓ માટે ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી વર્ષ-૨૦૨૫માં ગૃહ વિભાગ દ્વારા રાજ્ય પોલીસ દળ, વર્ગ-૩ના વિવિધ સંવર્ગોની કુલ-૧૪૮૨૦ જગ્યાઓ ઉપર સીધી ભરતી કરવામાં આવશે તેમ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ( Harsh Sanghavi ) જણાવ્યું છે.  

    મંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાત પોલીસ ( Gujarat Police  ) ભરતી બોર્ડ દ્વારા વર્તમાનમાં ચાલી રહેલી રાજ્ય પોલીસ દળ, વર્ગ-૩ના વિવિધ સંવર્ગોની કુલ-૧૨૪૭૨ જગ્યાઓની સીધી ભરતીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ગૃહ વિભાગ વર્ષ-૨૦૨૫માં રાજ્ય પોલીસ દળ, વર્ગ-૩ના વિવિધ સંવર્ગોની આ જગ્યાઓ ઉપર સીધી ભરતી કરશે. 

    વર્ષ-૨૦૨૫માં ગૃહ વિભાગ ( Gujarat Government ) દ્વારા જે જગ્યાઓ પર ભરતી કરવાનું આયોજન છે તેમાં ૧૨૯ એસ.આર.પી.એફ.ના હથિયારી પી.એસ.આઈ, ૧૨૬ વાયરલેસ પી.એસ.આઈ, ૩૫ એમ.ટી. પી.એસ.આઈ, ૫૫૧

    ટેકનીકલ ઓપરેટર, ૪૫ હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મીકેનીક ગ્રેડ-૧, ૨૬ મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઈઝર, ગ્રેડ-૨, ૧૩૫ હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મીકેનીક ગ્રેડ-૨, ૭૨૧૮ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, ૩૦૧૦ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, ૩૨૧૪ એસ.આર.પી.એફ.ના હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, ૩૦૦ જેલ સિપાઈ(પુરુષ) અને ૩૧ જેલ સિપાઈ(મહિલા) સહિતની વિવિધ જગ્યાઓનો ( Recruitment )  સમાવેશ કરવામાં આવ્યો છે.  

    આ સમાચાર પણ વાંચો :  World Heart Day: સુરતમાં વિશ્વ હ્રદય દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ અભિયાન હેઠળ યોજાઈ યોગ શિબિર.

    આ ઉપરાંત વર્ષ-૨૦૨૫માં પોલીસ ખાતાની કચેરીઓની સીનીયર ક્લાર્કની ૪૫ તથા જુનીયર ક્લાર્કની ૨૦૦ જગ્યાઓ મળી કુલ-૨૪૫ જગ્યાઓ પર ગુજરાત ( Gujarat  ) ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતી હાથ ધરવામાં આવશે. 

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Job Fair: સુરત જિલ્લા રોજગાર કચેરી દ્વારા અડાજણ ખાતે યોજાયો મેગા જોબ ફેર, આ ઇન્ડસ્ટ્રીઝે કરી વાર્ષિક રૂ.૧.૫૦થી રૂ.૩૬ લાખના પેકેજની ઓફર.

    Job Fair: સુરત જિલ્લા રોજગાર કચેરી દ્વારા અડાજણ ખાતે યોજાયો મેગા જોબ ફેર, આ ઇન્ડસ્ટ્રીઝે કરી વાર્ષિક રૂ.૧.૫૦થી રૂ.૩૬ લાખના પેકેજની ઓફર.

    News Continuous Bureau | Mumbai

    Job Fair: મદદનીશ નિયામક (રોજગાર)કચેરી-સુરત/UEB  અને મોહસીન-એ-આઝમ મિશનના સંયુક્ત ઉપક્રમે દિવાળી બાગ, SMC કોમ્યુનિટી હોલ, અડાજણ પાટિયા ખાતે મેગા જોબ ફેર યોજાયો હતો, જેમાં ૪૩થી વધુ SME, MSME, MNC કંપનીઓ દ્વારા ૧૧૦૦થી વધારે જગ્યાઓ ભરવા માટે ૭૧૯ ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા.

    Mega Job Fair organized by Surat District Employment Office at Adajan
    Mega Job Fair organized by Surat District Employment Office at Adajan

              ભરતી મેળામાં સોલાર, ડાયમંડ, ટેકસટાઇલ, ઇ-કોમર્સ, વેબ ડેવલપમેન્ટ, બાંધકામ, ઓટોમોબાઇલ, એન્જિનિયરિંગ, ફાઈનાન્સ, ફાર્મા, પરફ્યુમ, સુપર સ્ટોર, કુરિયર અને અન્ય સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વાર્ષિક રૂ.૧.૫૦થી રૂ.૩૬ લાખના પેકેજની ઓફર કરવામાં આવી હતી. અને ૪૭૩ ઉમેદવારોની સ્થળ પર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે MBA ફાઇનાન્સ એન્ડ HR, ડિપ્લોમાં, ઇલેક્ટ્રીકલ, BE મિકેનીકલ એન્જિનિયર, ડેટા એન્ટ્રી ઓપરેટર, આઇ.ટી.આઇ, B.Com ગ્રેજયુએટ, MHRD, ધો.૧૦-૧૨, M.com  વિષયક ઉમેદવારોની પસંદગી કરાઇ હતી. 

    Mega Job Fair organized by Surat District Employment Office at Adajan
    Mega Job Fair organized by Surat District Employment Office at Adajan

             આગામી દિવસોમાં રોજગાર કચેરી, સુરત ( Surat Employment Office ) દ્વારા સેકટર સ્પેસિફીક  ભરતીમેળો તેમજ વિવિધ સ્કીલ ડેવલપમેન્ટ સબંધિત તાલીમોનું પણ આયોજન કરાશે. 

    આ સમાચાર પણ વાંચો :  PM Modi Quad Summit: PM મોદીએ છઠ્ઠી ક્વોડ લીડર્સ સમિટમાં આપી હાજરી, આ શિખર સંમેલનની યજમાની કરવા બદલ US રાષ્ટ્રપતિ બાઇડનનો માન્યો આભાર

             આ પ્રસંગે ( Surat ) જિલ્લા રોજગાર કચેરીના મદદનીશ નિયામક પારૂલબેન પટેલ, રોજગાર કચેરીના શ્રી બિપીનભાઈ માંગુકિયા, સમગ્ર પ્લેસમેન્ટ ( Recruitment ) ટીમ તથા મોહસિન આઝમ મિશન, સુરતના પ્રમુખશ્રી અબ્દુલ વહાબ અશરફી, શ્રી સોહેલભાઈ સવાણી, ઈશરાર સહિત મોટી સંખ્યામાં ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

    Mega Job Fair organized by Surat District Employment Office at Adajan
    Mega Job Fair organized by Surat District Employment Office at Adajan

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • ESIC : ESICએ છેલ્લા બે મહિનામાં 1221 ડોક્ટરોની ભરતી કરી

    ESIC : ESICએ છેલ્લા બે મહિનામાં 1221 ડોક્ટરોની ભરતી કરી

    News Continuous Bureau | Mumbai 

    ESIC : વધુ સારી તબીબી સુવિધાઓ પૂરી પાડવા માટે ESICએ છેલ્લા બે મહિનામાં વિવિધ મેડિકલ કેડરમાં1221 ડૉક્ટરોની ( Doctors ) ભરતીને મંજૂરી આપી છે. 860 જનરલ ડ્યુટી મેડિકલ ઓફિસર ( GDMOs ), 330 આસિસ્ટન્ટ પ્રોફેસરો અને 31 વિશેષજ્ઞોની ભરતી કરવામાં આવી છે. 

    આ ઉપરાંત, નર્સિંગ કેડરમાં 1930 ખાલી જગ્યાઓ ભરવા ( Recruitment ) માટેની પરીક્ષા UPSC દ્વારા લેવામાં આવી છે અને ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.

    ESICએ 20 જુનિયર એન્જિનિયર્સ (ઇલેક્ટ્રિકલ) અને 57 જુનિયર એન્જિનિયર્સ ( Engineers ) (સિવિલ)ની ભરતી પ્રક્રિયા પણ પૂર્ણ કરી છે અને UPSCની ભલામણ પર આ મહિનામાં નિમણૂક પત્રો જારી કરવામાં આવ્યા છે.

    આ સમાચાર પણ વાંચો : Urfi javed: અજીબોગરીબ ડ્રેસમાં જોવા મળી ઉર્ફી જાવેદ, અભિનેત્રી નો લુક જોઈ લોકો એ પકડ્યું માથું

    એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ સ્કીમ ( Employees State Insurance Scheme ) એ શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળના કર્મચારી રાજ્ય વીમા અધિનિયમ, 1948માં સમાવિષ્ટ સામાજિક વીમાનું સંકલિત માપ છે. તે તેની ESI હોસ્પિટલો અને દવાખાનાઓના વિશાળ નેટવર્ક દ્વારા વીમાધારક વ્યક્તિઓ અને તેમના પરિવારના સભ્યોને રોકડ લાભો અને તબીબી સુવિધાઓ સહિત સામાજિક સુરક્ષા લાભોનો સંપૂર્ણ કલગી પ્રદાન કરે છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • State Bank Jobs : સ્ટેટ બેંકની મોટી જાહેરાત, આ નાણાકીય વર્ષમાં સ્ટેટ બેંક 15,000 લોકોની ભરતી કરશે..

    State Bank Jobs : સ્ટેટ બેંકની મોટી જાહેરાત, આ નાણાકીય વર્ષમાં સ્ટેટ બેંક 15,000 લોકોની ભરતી કરશે..

    News Continuous Bureau | Mumbai

    State Bank Jobs : દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ( State Bank of India ) નાણાકીય વર્ષ 2024-25 માં કુલ 15,000 કર્મચારીઓની ભરતી કરવા જઈ રહી છે. તેમાંથી 12,000 લોકો યુવાન અને બિનઅનુભવી હશે. જ્યારે કુલ ઉપલબ્ધ નોકરીઓમાંથી 85 ટકા ટેકનિકલ ક્ષેત્રમાં હશે. આ કર્મચારીઓને બેંક દ્વારા તાલીમ આપવામાં આવશે અને ત્યારબાદ વિવિધ શાખાઓ અને વિભાગોમાં સામેલ કરવામાં આવશે. 

    દેશમાં બેંકો ઝડપથી આધુનિકીકરણ તરફ આગળ વધી રહી છે. બેંકો હવે વધુમાં વધુ વ્યવહારો ઓનલાઈન કરવા તરફ આગળ વધી રહી છે અને આ માટે ટેકનોલોજીની મદદની જરૂર પડશે. તે જ સમયે, કેટલીક બેંકો ટેકનોલોજીના ઉપયોગમાં સુરક્ષા અને ગોપનીયતાના મુદ્દાઓ સાથે હાલ સંઘર્ષ કરી રહી છે. આવી સ્થિતિમાં સ્ટેટ બેંકે આ મહત્વનો નિર્ણય લીધો છે. કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) ના ઉપયોગને કારણે તાજેતરમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રે ( IT Sector ) નોકરીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. દેશની કેટલીક ટેક કંપનીઓએ ( Recruitment ) નોકરીમાં કાપ પણ લાગુ કર્યો છે.

    આ સમાચાર પણ વાંચો :  Water Cut: તોફાની વરસાદને કારણે પવઇમાં પાવર સબસ્ટેશનમાં નુકસાન, કુર્લા, સાયન, ચુનાભટ્ટીમાં પાણી પુરવઠો ખોરવાયો…

     State Bank Jobs : કેન્દ્રીય બેંક રિઝર્વ બેંકે તમામ બેંકોને ટેક્નોલોજી અને ગ્રાહક સુરક્ષાના મામલામાં સાવધાની રાખવાની ચેતવણી આપી હતી..

    આવા સમયે લોકોને બેંકિંગ ક્ષેત્રમાં ( banking sector ) નવી તકો મળી રહી છે. તાજેતરમાં, કેન્દ્રીય બેંક રિઝર્વ બેંકે તમામ બેંકોને ટેક્નોલોજી અને ગ્રાહક સુરક્ષાના મામલામાં સાવધાની રાખવાની ચેતવણી આપી હતી. સિસ્ટમને અપડેટ કરવાની સાથે રિઝર્વ બેન્કે ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ અને તેની સુરક્ષાને પ્રાધાન્ય આપવાનો નિર્દેશ પણ આપ્યો હતો અને આવું ન કરનારી બેન્કો ( SBI Recruitment )  સામે સેન્ટ્રલ બેન્કે કાર્યવાહી પણ કરી હતી. કોટક મહિન્દ્રા બેંક તેનું નવીનતમ ઉદાહરણ છે. તેથી એવું લાગે છે કે હવે બેંકોએ પણ ટેક્નોલોજી પર ભાર આપવાનું નક્કી કર્યું છે.

     

  • NAMO Mega Job Fair : થાણેમાં આ તારીખે યોજાશે  કોંકણ વિભાગનો “નમો મહારોજગાર મેળો”, જાણો કેવી રીતે કરી શકશો અરજી..

    NAMO Mega Job Fair : થાણેમાં આ તારીખે યોજાશે કોંકણ વિભાગનો “નમો મહારોજગાર મેળો”, જાણો કેવી રીતે કરી શકશો અરજી..

    News Continuous Bureau | Mumbai 

    NAMO Mega Job Fair : મુખ્ય પ્રધાન એકનાથ શિંદની વિભાવના હેઠળ અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન અજિત દાદા પવારના માર્ગદર્શન હેઠળ, કૌશલ્ય, રોજગાર, ઉદ્યોગસાહસિકતા અને નવીનતા વિભાગ દ્વારા, યુવાનો અને યુવા આશાવાદીઓના વિચારોને પ્રોત્સાહન આપવા થાણેમાં આગામી ૨૯ મી ફેબ્રુઆરી અને ૧લી માર્ચનાં રોજ નમો મહારોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

    હાઇલેન્ડ ગ્રાઉન્ડ, ધોકાલી, માજીવાડા, થાણે (પશ્ચિમ) ખાતે યોજાનારા આ મેળામાં કોંકણ વિભાગ હેઠળના થાણે, પાલઘર, રાયગઢ, સિંધુદુર્ગ, મુંબઈ ઉપનગરો, મુંબઈ શહેર જિલ્લાના નોકરી શોધતા યુવાનો અને યુવતીઓ ભાગ લઇ શકશે. આ મેળામાં એક સ્ટાર્ટઅપ એકસ્પોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ આ મેળો ૨૪ અને ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ યોજવાનો હતો. પરંતુ કેટલાક કારણોસર હવે તે ૨૯ મી ફેબ્રુઆરીથી ૧ લી માર્ચ સુધી સવારે ૧૦ થી સાંજે પાંચ વાગ્યા સુધી યોજાશે. કૌશલ્ય, રોજગાર, સાહસિકતા અને નવીનતા મંત્રી મંગલપ્રભાત લોઢાએ મહાએક્સપોમાં રોજગાર ઇચ્છુકો, સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો અને ઈન્ક્યુબેટરોને ભાગ લેવા અપીલ કરી છે.

    મંત્રી શ્રી લોઢાએ જણાવ્યું હતું કે ૧૦, ૧૨, ITI, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવતા ઉમેદવારોનો ત્યાં ઇન્ટરવ્યુ લેવામાં આવશે અને રોજગારની તકો આપવામાં આવશે. આ બેઠકમાં નામાંકિત કંપનીઓ ભાગ લેશે. જેના માટે ઉમેદવારો નોંધણી કરાવી શકે છે અને https://qr-codes.io/gdhSNd  અથવા www.rojgar.mahaswayam.gov.in  લિંક ઉપર પણ નોકરી માટે અરજી કરી શકે છે. અહીં એક ઉમેદવાર એક કરતાં વધુ નોકરી માટે અરજી કરી શકે છે અને ઇન્ટરવ્યુ આપી શકે છે. જોબ ફેર માં જોબ ફેર પહેલા રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે જે ઉમેદવારો જોબ ફેર પહેલા રજીસ્ટ્રેશન કરાવે છે તેમનો જોબ ફેર ના દિવસે ઇન્ટરવ્યુ લેવામાં આવશે. નમો મહારોજગાર મેળા દ્વારા બે લાખ યુવક-યુવતીઓને રોજગારી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ જોબ ફેરને સંપૂર્ણ રીતે સફળ બનાવવા માટે તમામ વિભાગોએ સાથે મળીને કામ કરવું પડશે.

    આ સમાચાર પણ વાંચો :  Khel Mahakumbh : માલવણીમાં થશે ખેલ મહાકુંભનાં અંતિમ રાઉન્ડ અને સમાપન સમારોહ, આ સ્પર્ધાઓની યોજાશે ફાઇનલ

    મહારાષ્ટ્ર સ્ટેટ સ્કિલ ડેવલપમેન્ટ સોસાયટી, મહારાષ્ટ્ર સ્ટેટ ઈનોવેશન સોસાયટી, ડિરેકટોરેટ ઑફ વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ અને લેબર ડિપાર્ટમેન્ટને નમો મહારોજગાર મેળા માટે મહત્તમ નોકરીની જગ્યાઓ પૂરી પાડવા માટે કૌશલ્ય વિકાસ વિભાગ હેઠળ વિવિધ કંપનીઓનો સંપર્ક કરવા અને ખાલી જગ્યાઓની જાહેરાત કરવા સૂચના આપવામાં આવી છે

    કોંકણ વિભાગ હેઠળના થાણે, પાલઘર, રાયગઢ, સિંધુદુર્ગ, મુંબઈ ઉપનગરો, મુંબઈ સિટી ડિસ્ટ્રિકટમાં તમામ સરકારી, અર્ધ-સરકારી, ખાનગી સંસ્થાઓએ વેબ પોર્ટલ https://rojgar.mahaswayam gov.in  પર ઉદ્યોગસાહસિકોની નોંધણી કરીને ખાલી જગ્યાઓની સૂચના/જાહેરાત કરવી જરૂરી છે. જો આ અંગે કોઈ સમસ્યા હોય તો સંબંધિત જિલ્લાના નોડલ ઓફિસર અથવા હેલ્પલાઈન નંબર 1800 120 8040 પર સંપર્ક કરવા વિનંતી છે. 

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Agniveer : ભારતીય ભૂમિદળમાં અગ્નિવીર તરીકે જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ આ તારીખ સુધી ઓનલાઈન અરજી  કરી શકશે છે

    Agniveer : ભારતીય ભૂમિદળમાં અગ્નિવીર તરીકે જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ આ તારીખ સુધી ઓનલાઈન અરજી કરી શકશે છે

    News Continuous Bureau | Mumbai  

    Agniveer : ભારતીય ભૂમિદળમાં અગ્નિવીર તરીકે જોડાવા ઈચ્છતા, અવિવાહિત, શારીરિક સશક્ત પુરુષ ઉમેદવારો આર્મીની ( Indian Army  ) વિવિધ કેડરની ભરતી ( Recruitment ) માટે તા.૧૩/૦૨/૨૦૨૪ થી તા.૨૨/૦૪/૨૦૨૪ સુધી www.cdnindianarmy.nic.in વેબસાઈટ ઉપર ઓનલાઈન અરજી ( Online application ) કરી શકશે. આ ભરતી માટે ઓછામાં ઓછું ધો. ૮ પાસ તેમજ તા.૦૧/૧૦/૨૦૦૩ થી તા.૦૧/૦૪/૨૦૦૭ ની વચ્ચે જન્મેલા પુરુષ ઉમેદવારો ( Male candidates ) અરજી કરી કશે. 

    પાત્રતા ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજીમાં અંગત વિગતો, પત્રવ્યવહારની વિગતો, રહેઠાણનું સરનામું, ઈ-મેઈલ આઈ.ડી, મોબાઈલ નં., જાતિનો દાખલો, ડોમિસાઈલ સર્ટિફિકેટ અને એન.સી.સી સર્ટિફિકેટ ધરાવતા હોય તો તે વિગતો દર્શાવવી. રૂ.૨૫૦/- પરીક્ષા ફી ભરવાની રહેશે. વધુ માર્ગદર્શન હેતુસર મ.રોજગાર નિયામક કચેરી, સી-૫, બહુમાળી ભવન, નાનપુરા ખાતેથી રૂબરૂમાં માહિતી મેળવી શકાશે તેમ મદદનીશ નિયામક(રોજગાર)- સુરતની યાદીમાં જણાવાયું છે.

    આ સમાચાર પણ વાંચો  :  Pomegranate Juice Benefits: શરીરમાં લોહી વધારવાની સાથે અનેક સ્વાસ્થ્ય સમસ્યામાં દાડમનો જ્યુસ છે લાભદાયક, જાણો તેના ફાયદા.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.