• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Subrata Roy
Tag:

Subrata Roy

hansal mehta announces season 3 of scam titled scam 2010
મનોરંજન

Scam 2010: સ્કેમ 2003 બાદ હવે આ સ્કેમ પર બનવા જઈ રહી છે સિરીઝ, હંસલ મહેતા એ કરી વધુ એક વેબ સિરીઝ ની જાહેરાત

by Zalak Parikh May 17, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Scam 2010: સ્કેમ 1992 એ દર્શકો એ ખુબ પસંદ કરી હતી ત્યારબાદ હંસલ મહેતા ની સ્કેમ 2003 આવી આ વેબ સિરીઝ એ પણ દર્શકો ના દિલ જીતી લીધા  હતા.હવે હંસલ મહેતા એ સ્કેમ ની ત્રીજા સીઝન ની જાહેરાત કરી છે આ સાથે જ નિર્માતાઓએ સિરીઝ ના શીર્ષક ની પણ જાહેરાત કરી છે.  જેને લઈને લોકો ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. 

આ સમાચાર  પણ વાંચો: Salman khan firing case: સલમાન ખાન ફાયરિંગ કેસ માં આવ્યું મોટું અપડેટ, આ વ્યક્તિ વિરુદ્ધ નોંધાયો કેસ, જાણો વિગત

સ્કેમ 2010 ની થઇ જાહેરાત 

હંસલ મહેતાએ તેમના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને વેબ સિરીઝ ના ત્રીજા સીઝનની જાહેરાત કરી છે. હંસલ મહેતા એ આ સિરીઝ નું ટીઝર શે કરી ને લખ્યું, સ્કેમ પાછું આવ્યું છે. ‘સ્કેમ 2010: ધ સુબ્રત રોય સાગા’ ટૂંક સમયમાં સોની લિવ પર આવશે.’

Sc3m is back!🔥💰
Scam 2010: The Subrata Roy Saga, coming soon on @SonyLIV#Scam2010OnSonyLIV
⁰@applausesocial @SonyLIVIntl @SPNStudioNEXT @nairsameer@deepaksegal @mehtahansal @Indranil1601 @prasoon_garg@PriyaJhavar @DevnidhiB @001Danish @saugatam @amansri pic.twitter.com/quhuHNwvbw

— Hansal Mehta (@mehtahansal) May 16, 2024


હંસલ મહેતાએ વેબ સિરીઝની ત્રીજી સિઝનની સ્ટાર કાસ્ટને લઈને હજુ સુધી કોઈ જાહેરાત કરી નથી. તમને જણાવી દઈએ કે,સુબ્રત રોય સહારા ઈન્ડિયા ગ્રુપના ચેરમેન હતા. સુબ્રત રોય પર 25 હજાર કરોડનું સ્કેમ કરવાનો આરોપ હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

May 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
SEBI-Sahara fund Subroto Roy's death, 25 thousand crores in the government's treasury
વેપાર-વાણિજ્ય

SEBI-Sahara fund: સુબ્રતો રોયનુ નિધન, સરકારની તિજારીમાં 25 હજાર કરોડ… હવે રોકાણકારોનું શું? જાણો વિગતે..

by Bipin Mewada November 20, 2023
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

SEBI-Sahara fund: સહારા ( Sahara ) ના વડા સુબ્રત રોય ( Subrata Roy ) નું ગત સપ્તાહે નિધન થયું હતું. જે બાદ ફરી એકવાર સવાલ ઉઠવા લાગ્યો કે લાખો રોકાણકારોના પૈસાનું શું થશે? મળશે કે ડૂબી જશે.અહેવાલો અનુસાર, સહારા-સેબી ( SEBI ) ના રિફંડ ખાતા ( Refund Account ) ના અનક્લેઈમ ફંડને કોન્સોલિડેટેડ ફંડ ( Consolidated Fund ) માં ટ્રાન્સફર કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. સરકાર આ અંગે કાયદાકીય સલાહ લઈ રહી છે. જેથી ભવિષ્યમાં જ્યારે કોઈ રોકાણકાર ફંડનો દાવો કરે ત્યારે તેને પૈસા પરત કરી શકાય. તમને જણાવી દઈએ કે, આ વર્ષે 31 માર્ચ સુધી 48,326 ખાતામાં 138 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. સહારા ગ્રુપ ( Sahara Group ) પાસેથી કુલ 25,163 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી હતી. જે સરકારી બેંકોમાં ( government banks ) જમા કરાવવામાં આવી હતી.

2012 માં, માર્કેટ રેગ્યુલેટીંગ બોડી સેબીએ તેના આદેશમાં સહારા ગ્રૂપની કંપનીઓને રોકાણકારોના નાણાં વ્યાજ સાથે પરત કરવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે પણ આ નિર્ણયને યથાવત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે વેરિફિકેશન પછી પણ જો એક અથવા વધુ રોકાણકારોની ઓળખ ન થાય તો આવા ભંડોળ સરકાર પાસે જમા કરવામાં આવશે.

 રિફંડ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે….

લાંબી કાયદાકીય લડાઈમાં વિજય થયો હોવા છતાં હજુ મોટી સંખ્યામાં દાવેદારો આગળ આવવાના બાકી છે. ET સાથે વાત કરતાં એક અધિકારીએ જણાવ્યું હતું કે દાવો ન કરાયેલા નાણાંનો ઉપયોગ કલ્યાણ યોજના માટે થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે જ કેન્દ્રીય સહકારી મંત્રાલય દ્વારા સહારાના રોકાણકારોને રિફંડ માટે એક વેબ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  Koffee with karan 8: કોફી વિથ કરણ 8 ના નવા પ્રોમો એ વધાર્યો ઉત્સાહ, 11 વર્ષ પછી સાથે જોવા મળશે સ્ટુડન્ટ ઓફ ધ યર ના આ કલાકાર

આ વર્ષની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટના આદેશને પગલે, 5,000 કરોડ સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઑફ કોઓપરેટિવ સોસાયટીઝને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ નાણાં પાત્ર રોકાણકારોને પરત કરવાના છે. નવા ઓર્ડર મુજબ આ પૈસા 9 મહિનાની અંદર રોકાણકારોના ખાતામાં ટ્રાન્સફર કરવાના રહેશે. જો આમ નહીં થાય તો પૈસા ફરીથી સહારા-સેબીના રિફંડ એકાઉન્ટમાં મોકલવામાં આવશે.

રોકાણકારોએ ધ્યાનમાં રાખવું પડશે કે આધાર સાથે નોંધાયેલ મોબાઇલ નંબર સક્રિય હોવો જોઈએ. જો તમે આધાર સાથે લિંક કરેલ નંબર બદલ્યો છે, તો નવા નંબરને આધાર સાથે લિંક કરો. તેમજ તમારું બેંક એકાઉન્ટ આધાર નંબર સાથે લિંક હોવું જોઈએ. કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું હતું કે આ દસ્તાવેજોની મદદથી કોઈપણ રોકાણકાર પોર્ટલ પર જઈને તેની રસીદ અપલોડ કરીને રિફંડ મેળવી શકશે. તમને જણાવી દઈએ કે, પોર્ટલ પર એક ફોર્મ આપવામાં આવ્યું છે, તેને ડાઉનલોડ કર્યા પછી, રોકાણકારોએ સંપૂર્ણ માહિતી આપતાં તેમના હસ્તાક્ષર સાથે તેને ફરીથી પોર્ટલ પર અપલોડ કરવાનું રહેશે.

November 20, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
subrata roy passed away the kerala story director make a biopic of chief of sahara group
મનોરંજન

Subrata roy passed away: સહારા ગ્રુપ ના ચેરમેન સુબ્રત રોય ના નિધન બાદ તેમની બાયોપિક ના સમાચારે પકડ્યું જોર, આ ફિલ્મના નિર્દેશક બનાવી રહ્યા છે ફિલ્મ

by Zalak Parikh November 15, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Subrata roy passed away: સહારા ગ્રુપના ચેરમેન સુબ્રત રોયનું 75 વર્ષ ની ઉંમરે નિધન થયું છે. તેમનું નિધન હૃદયરોગના હુમલાથી થયું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર સુબ્રત રોય ઘણા દિવસોથી બીમાર હતા. હવે તેમના નિધન બાદ સુબ્રત રોય ની બાયોપિકે જોર પકડ્યું છે. સુબ્રત રોય ના બાયોપિક ની જાહેરાત આ વર્ષ ના જૂન મહિનામાં થઇ હતી. આ ફિલ્મ નું નિર્દેશન ધ કેરલા સ્ટોરી બનાવનાર સુદિપ્તો સેન કરી રહ્યા છે.  

 

સુબ્રત રોય ની બાયોપિક 

સહારા ગ્રુપના સ્થાપક સુબ્રત રોયનો જન્મ 10 જૂન 1948ના રોજ બિહારના એક ઉચ્ચ મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેઓ દેશના જાણીતા ઉદ્યોગપતિ હતા જે સહારા ઈન્ડિયાના સ્થાપક, મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેન હતા. તેમને ‘સહારશ્રી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે 1978માં સહારા ઈન્ડિયા પરિવારની સ્થાપના કરી હતી. હવે ગઈકાલે મોડી રાત્રે સહાર ગ્રુપ ના ચેરમેન સુબ્રત રોય નું નિધન થયું છે. તેમના નિધન બાદ તેમની બાયોપિક ના સમાચારે જોર પકડ્યું છે. આ ફિલ્મ ની જાહેરાત આ વર્ષ ના જૂન મહિનામાં કરવામાં આવી હતી. તેમજ તેનો ફર્સ્ટ લુક પણ રિલીઝ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મ ધ કેરલા સ્ટોરી ના નિર્દેશક સુદીપ્તો સેન બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં સુબ્રત રોય નું જીવન અને સિદ્ધિઓ બતાવવામાં આવશે. આ ફિલ્મ માં એ પણ બતાવવામાં આવશે કે તેમણે કેવી રીતે પ્રતિષ્ઠિત સહારા ઈન્ડિયા પરિવારની સ્થાપના કરી અને દેશની પ્રગતિમાં યોગદાન આપ્યું. 

 

View this post on Instagram

 

A post shared by Sudipto Sen (@sudipto_sen)


જોકે ફિલ્મની સ્ટાર કાસ્ટને લગતી વિગતો સામે આવી નથી. આ બાયોપિકનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થવાની સંભાવના છે. . આ ફિલ્મનું સંગીત એઆર રહેમાન આપશે અને તેના ગીતો ગુલઝાર લખશે. આ ફિલ્મ ઋષિ વિરમાણી, સંદીપ સિંહ અને સુદીપ્તો સેને સાથે મળીને લખી છે.

આ સમાચાર પણ વાંચો : Ranbir kapoor: ભારત વર્સીસ ન્યુઝીલેન્ડ ની સેમિફાઇનલ મેચ માં જોવા મળશે રણબીર કપૂર, કોમેન્ટ્રી બોક્સ માં બેસી ને કરશે આ કામ

November 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Subrata Roy Sahara Story Once upon a time Subrata Roy used to sell namkeen on a scooter
દેશ

Subrata Roy Sahara Story: એક જમાનામાં સ્કૂટર પર નમકીન વેચતા હતા સુબ્રત રૉય, આવી રીતે ઊભું કર્યું સહારાનું વિશાળ સામ્રાજ્ય… જાણો સપના વેચવામાં માસ્ટરની યાદગાર વાર્તા… વાંચો અહીં..

by Bipin Mewada November 15, 2023
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Subrata Roy Sahara Story: સહારા ગ્રુપ ( Sahara India ) ના વડા સુબ્રત રોય નું મંગળવારે (14 નવેમ્બર) મોડી રાત્રે અવસાન થયું છે. તેમણે મુંબઈ (  Mumbai ) ની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. આજે તેમના પાર્થિવ દેહને લખનઉ ( Lucknow ) ના સહારા શહેર ( Sahara City ) માં લાવવામાં આવશે, જ્યાં તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

“It is with profound sadness that Sahara India Pariwar informs the demise of our Hon’ble ‘Saharasri’ Subrata Roy Sahara, Managing Worker and Chairman, Sahara India Pariwar,” reads the press statement by Sahara India Pariwar. pic.twitter.com/gklwFOlT67

— Press Trust of India (@PTI_News) November 14, 2023

તમને જણાવી દઈએ કે 1948માં બિહારના અરરિયા જિલ્લામાં જન્મેલા સહારા ગ્રુપના ( Sahara Group ) સ્થાપક સુબ્રત રોયનો યુપીના ગોરખપુર સાથે ગાઢ સંબંધ છે. તેમણે અહીંથી પોતાનો અભ્યાસ અને બિઝનેસ ( Business )  બંનેની શરૂઆત કરી હતી. પછી માત્ર 2000 રૂપિયાથી શરૂ થયેલી ફાયનાન્સ કંપનીનો બિઝનેસ થોડા જ સમયમાં 2 લાખ કરોડ રૂપિયા સુધી સફર તેમણે ખેડી હતી. એક સમય હતો જ્યારે સુબ્રત રોય ગોરખપુરના બેટીહાટામાં વકીલના મકાનમાં ભાડે રહેતા હતા. તેમના બાળકોનો જન્મ પણ ત્યાં જ થયો હતો.

‘સહારા શ્રી’ સુબ્રત રોયે એક વિશાળ સામ્રાજ્યની સ્થાપના કરી જે અન્ય ક્ષેત્રોની વચ્ચે ફાઇનાન્સ, રિયલ એસ્ટેટ, મીડિયા અને હોસ્પિટાલિટીનું ક્ષેત્ર હતું. 1978માં તેમણે ‘સહારા ઈન્ડિયા પરિવાર’ ગ્રુપની સ્થાપના કરી. રોયને ગોરખપુર પ્રત્યે ખૂબ લગાવ હતો. આ કારણોસર, મીડિયા ક્ષેત્ર હોય કે રિયલ એસ્ટેટ, તેમની કંપનીએ ગોરખપુરમાં મોટું રોકાણ કર્યું. 2000 માં, રોયના આમંત્રણ પર, અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ ફિલ્મ સ્ટાર્સ ગોરખપુર પહોંચ્યા હતા.

VIDEO | Visuals from outside Mumbai’s Kokilaben Dhirubhai Ambani Hospital & Medical Research Institute.

Sahara Group chief Subrata Roy died due to a cardiorespiratory arrest on Tuesday after a prolonged illness. According to the company statement, he was admitted to the… pic.twitter.com/AfXxq3jEb9

— Press Trust of India (@PTI_News) November 14, 2023

1978માં તેમના મિત્ર એસકે નાથ સાથે ગોરખપુરમાં એક ફાઇનાન્સ કંપની શરૂ કરી..

સુબ્રત રોયે સહારા ગ્રૂપની સ્થાપના કરવાની વાર્તા કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી નથી. સુબ્રત રોય એક સમયે સ્કૂટર પર નાસ્તો વેચતા હતા. શેરીમાં સામાન વેચવાથી શરૂ થયેલી તેમની સફર સહારા ગ્રુપમાં પરિવર્તિત થઈ.

સહારા ગ્રુપના વડા સુબ્રત રોયે એક મિત્ર સાથે મળીને વર્ષ 1978માં સ્કૂટર પર નમકીન વેચવાનું શરૂ કર્યું હતું. પરંતુ કોને ખબર હતી કે એક દિવસ આ જ વ્યક્તિ સહારાનું નામ 2 લાખ કરોડ રૂપિયાથી વધુનું સામ્રાજ્ય બનાવી દેશે. લોકોને દરરોજ 10-20 રૂપિયા જમા કરાવીને, સુબ્રત રોયે ભારતના ફાઇનાન્સ સેક્ટર માટે એક નવું ઉદાહરણ સ્થાપિત કર્યું. લોકોને તેમની નાની બચત પર સારું વળતર મળ્યું. લોકો પાસેથી મળેલા પૈસાથી બીજા ધંધા શરૂ કર્યા.

આ સમાચાર પણ વાંચોઃ Sahara Refund Portal: શોકાતુર: સહારા ગ્રુપના વડા સુબ્રત રોયનું નિધન, મુંબઇમાં લીધા અંતિમ શ્વાસ.. જાણો વિગતે..

આ ફાઇનાન્સ કંપની દ્વારા સુબ્રત રોય નાના દુકાનદારો પાસેથી બચતની વ્યવસ્થા કરતા હતા. થોડા સમય પછી જ્યારે મૂડી થોડી વધી તો તેણે કપડાં અને પંખાનું નાનું કારખાનું પણ શરૂ કર્યું. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ દરમિયાન તે પોતાના સ્કૂટરમાંથી પંખા અને અન્ય વસ્તુઓ વેચતો હતો. તેઓ પોતે એક દુકાનેથી બીજા દુકાને જતા અને પંખા પહોંચાડતા અને દુકાનદારોને નાની બચત વિશે જાગૃત કરતા.

great motivator, speaker and sports lover is no more . #RIP 🙏🙏#sahara #subrataroy pic.twitter.com/XZBpiKCObf

— Suresh Raina🇮🇳 (@ImRaina) November 14, 2023

ધીમે ધીમે તેના શબ્દોની અસર થવા લાગી. લોકો તેની સાથે જોડાઈ રહ્યા હતા. ખાસ કરીને મધ્યમ વર્ગ અને નીચલા મધ્યમ વર્ગના લોકો. સુબ્રત રોયની યોજના બેંકિંગ જરૂરિયાતો અને રોજગારની તકો વચ્ચે સફળ સાબિત થવા લાગી. જો કે, આ દરમિયાન, 1983-84માં, રોયના બિઝનેસ ફ્રેન્ડ એસકે નાથે અલગ થઈને બીજી કંપની બનાવી. જે પછી રોયે પોતાની કંપનીનું હેડક્વાર્ટર લખનૌમાં ખોલ્યું અને ક્યારેય પાછળ વળીને જોયું નથી.

સહારા દેશની બીજી સૌથી મોટી રોજગારદાતા કંપની બની..

નમકીન વેચ્યા પછી, સુબ્રત રોયે 1978 માં એક મિત્ર સાથે ચિટ ફંડ કંપની શરૂ કરી. આ કંપની પાછળથી સહારાનો અનોખો સહકારી ફાઇનાન્સ બિઝનેસ બની ગયો. એક રૂમમાં બે ખુરશીઓ અને ટેબલ સાથે શરૂ થયેલી આ કંપની થોડા જ સમયમાં આખા દેશમાં લોકપ્રિય બની ગઈ. તેણે શહેરથી શહેર અને ગામડે ગામડે તેની પહોંચ વિસ્તારી. મધ્યમ વર્ગથી લઈને નીચલા વર્ગ સુધીના લોકોએ સહારામાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો અને પૈસા રોક્યા હતા. તેની ‘નો મીનીમમ ડીપોઝીટ’ને કારણે ગરીબમાંથી ગરીબ વ્યક્તિએ પણ સહારામાં ખાતું ખોલાવવાનું શરૂ કર્યું. નોંધનીય છે કે ગોરખપુરથી શરૂઆત કરનાર સુબ્રત રોયે ઘણી ઊંચાઈઓ હાંસલ કરી હતી. રોયે 1970 ના દાયકાના અંતમાં ચિટ ફંડ બિઝનેસ શરૂ કર્યો અને ઝડપથી એક સામ્રાજ્ય બનાવ્યું જેમાં એરલાઇન્સ, ટેલિવિઝન ચેનલો અને રિયલ એસ્ટેટનો સમાવેશ થતો હતો.

રોયના સહારા ઈન્ડિયા પરિવારને ‘ટાઈમ મેગેઝિન’ દ્વારા રેલ્વે પછી ભારતમાં બીજા સૌથી મોટા રોજગારદાતા તરીકે ઓળખવામાં આવી હતી, જેમાં લગભગ 12 લાખ કર્મચારીઓ કામ કરતા હતા.

આ સમાચાર પણ વાંચોઃ Salman khan: સલમાન ખાને તેના નાના ફેન્સ ને આપી સરપ્રાઈઝ,ટાઇગર 3 ના સ્ક્રીનિંગ માં બાળકો સાથે કર્યું આ કામ, વિડીયો થયો વાયરલ

રિયલ એસ્ટેટની વાત કરીએ તો, તેમનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એમ્બી વેલી સિટી પણ હતો, જે મહારાષ્ટ્રમાં લોનાવલા પાસે છે. આ સિવાય રોયે વર્ષ 1993માં એર સહારાની શરૂઆત કરી હતી, જે બાદમાં તેણે જેટ એરવેઝને વેચી દીધી હતી. સહારા ગ્રુપ 2001 થી 2013 સુધી ટીમ ઈન્ડિયાનું સ્પોન્સર પણ હતું. તે જ સમયે, સહારાની ટીમ ‘પુણે વોરિયર્સ’ 2011માં IPLમાં પ્રવેશી હતી.

સુબ્રત રોયના બે પુત્રોના લગ્ન, જે 2004 માં થયા હતા, એક અઠવાડિયા કરતા વધુ સમય સુધી ઉજવવામાં આવ્યા હતા. આ લગ્નને સદીના સૌથી ચર્ચિત ભારતીય લગ્ન તરીકે વર્ણવવામાં આવ્યા હતા. લગ્ન સમારોહમાં લગભગ 10 હજાર લોકો જોડાયા હતા. જેમાં વ્યાપારી હસ્તીઓ, બોલિવૂડ સ્ટાર્સ, ક્રિકેટ અને ફેશન જગતના દિગ્ગજ કલાકારોએ ભાગ લીધો હતો. આ મહેમાનોને ખાસ વિમાન દ્વારા લખનઉ લઈ જવામાં આવ્યા હતા.

November 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Sahara Refund Portal Subrata Roy, head of Sahara Group, passed away, breathed his last in Mumbai
મુંબઈ

Sahara Refund Portal: શોકાતુર: સહારા ગ્રુપના વડા સુબ્રત રોયનું નિધન, મુંબઇમાં લીધા અંતિમ શ્વાસ.. જાણો વિગતે..

by Bipin Mewada November 15, 2023
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Sahara Refund Portal: સહારા ઈન્ડિયા ( Sahara India ) પરિવારના સ્થાપક સુબ્રત રોય ( Subrata Roy ) નું મુંબઈ ( Mumbai ) માં 75 વર્ષની વયે અવસાન ( passed away ) થયું છે. 14 નવેમ્બરે રાત્રે 10.30 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સુબ્રત રોય, જેઓ 1978 માં બિહાર ( Bihar ) ના અરરિયા જિલ્લામાંથી ગોરખપુરથી આવ્યા હતા અને 2000 રૂપિયામાં બિસ્કિટ અને નમકીન વેચવાનું શરૂ કરનાર સુબ્રત રોયે કંપનીને 2 લાખ કરોડ રૂપિયા સુધી પહોંડવા માટે એક સ્વપ્ન સફર પર ખેડી હતી. તેમણે સહારાને રેલવે પછી સૌથી વધુ કર્મચારીઓ ધરાવતી કંપની બનાવી હતી. પરંતુ, એક ભૂલને કારણે તેમને જેલમાં જવું પડ્યું અને તેમણે કંપનીને તેની સામે ખાડામાં જતી પણ જોઈ. જો તમે પણ સહારાની કોઈ સ્કીમમાં પૈસા રોક્યા હોય તો જાણો કેવી રીતે તમે ઘરે બેઠા તમારા પૈસા પાછા મેળવી શકો છો.

सहारा श्री सुब्रत रॉय जी का निधन उत्तर प्रदेश और देश के लिए भावात्मक क्षति हैं क्योंकि वो एक अति सफल व्यवसायी के साथ-साथ एक ऐसे अति संवेदनशील विशाल हृदयवाले व्यक्ति भी थे जिन्होंने अनगिनत लोगों की सहायता की उनका सहारा बने।

भावभीनी श्रद्धांजलि! pic.twitter.com/Gdhmy5mDs8

— Akhilesh Yadav (@yadavakhilesh) November 14, 2023

સહારા ઈન્ડિયા રિયલ એસ્ટેટ કોર્પોરેશન અને સહારા હાઉસિંગ ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશને 2008 અને 2011 વચ્ચે OFCD દ્વારા ત્રણ કરોડથી વધુ રોકાણકારો પાસેથી રૂ. 17,400 કરોડ એકત્ર કર્યા હતા. સપ્ટેમ્બર 2009માં, સહારા પ્રાઇમ સિટીએ આઇપીઓ લોન્ચ કરવા માટે સેબી પાસે દસ્તાવેજો ફાઇલ કર્યા હતા. અનિયમિતતાની શંકા અને રોકાણકારની ફરિયાદને કારણે, સેબીએ ઓગસ્ટ 2010માં બંને કંપનીઓની તપાસનો આદેશ આપ્યો હતો. આ પછી કંપનીમાં લગભગ ત્રણ કરોડ રોકાણકારોના પૈસા ફસાઈ ગયા હતા.

આ સમાચાર પણ વાંચોઃ  World Cup 2023: આજે ભારત-ન્યૂઝીલેન્ડ વર્લ્ડકપની પ્રથમ સેમી ફાઇનલ, બંને ટીમો વચ્ચે વાનખેડેમાં જામશે ભારે રસાકસી..જુઓ સંભવિત ટીમ…

સહારા રિફંડ પોર્ટલ દ્વારા લગભગ 2.5 કરોડ લોકોને ફાયદો થશે….

સુપ્રીમ કોર્ટના આદેશ પર કેન્દ્ર સરકારે જુલાઈમાં CRCL-સહારા રિફંડ પોર્ટલ (Sahara Refund Portal) શરૂ કર્યું હતું. જે લોકોએ 22 માર્ચ, 2022 પહેલા સહારામાં રોકાણ કર્યું છે તેઓ આ પોર્ટલ દ્વારા રિફંડ મેળવી શકે છે. પોર્ટલ પર રજીસ્ટ્રેશનની સાથે જ તમારો મોબાઈલ ફોન આધાર સાથે લિંક હોવો જરૂરી છે. આ સિવાય આધાર નંબર પણ બેંક ખાતા સાથે લિંક હોવો જોઈએ. આ પછી, તમે પોર્ટલ પર જઈ શકો છો અને તમારી રસીદ અપલોડ કરી શકો છો અને રિફંડ મેળવી શકો છો.

આ પોર્ટલ પરથી રિફંડ મેળવવા માટે, તમારે સહારામાં રોકાણ કરેલ સભ્યપદ નંબર, ડિપોઝિટ એકાઉન્ટ નંબર, આધાર લિંક્ડ મોબાઈલ નંબર, પાસબુક, પાન કાર્ડ (જો રકમ રૂ. 50 હજારથી વધુ હોય તો) આપવી પડશે. આ દસ્તાવેજો તપાસ્યા પછી, 45 દિવસની અંદર તમારા ખાતામાં પૈસા આવી જશે. આ પોર્ટલ દ્વારા લગભગ 2.5 કરોડ લોકોને ફાયદો થશે.

November 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક