• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - suicide note
Tag:

suicide note

Deepti Chaurasia suicide કમલા પસંદ પરિવારમાં શોક માલિક ની
દેશ

Deepti Chaurasia suicide: કમલા પસંદ પરિવારમાં શોક: માલિક ની પુત્રવધૂએ જીવન ટૂંકાવ્યું, જાણો સુસાઇડ નોટમાં આત્મહત્યા પાછળનું શું કારણ લખ્યું?

by aryan sawant November 26, 2025
written by aryan sawant

News Continuous Bureau | Mumbai

Deepti Chaurasia suicide દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં કમલા પસંદ અને રાજશ્રી પાન મસાલાના માલિક કમલ કિશોરની પુત્રવધૂ દીપ્તિ ચૌરસિયા (40) એ આત્મહત્યા કરી લીધી છે. તેમનો મૃતદેહ ઘરમાં ચૂંદડીથી લટકતો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે.

પતિ સાથે વિવાદ, સુસાઇડ નોટમાં દર્દ

જાણકારી અનુસાર, મૃતક દીપ્તિને તેના પતિ હરપ્રીત ચૌરસિયા સાથે વિવાદ ચાલી રહ્યો હતો. બંનેના લગ્ન વર્ષ 2010માં થયા હતા અને તેમને 14 વર્ષનો એક પુત્ર પણ છે.પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ મળી છે, જેમાં દીપ્તિએ કોઈના પર સીધો આરોપ લગાવ્યો નથી. જોકે, સૂત્રોના જણાવ્યા મુજબ સુસાઇડ નોટમાં પ્રેમ અને ભરોસાની વાતો લખવામાં આવી છે. નોટમાં લખ્યું છે કે,”જો પ્રેમ નહીં, ભરોસો નહીં કોઈ સંબંધમાં, તો પછી સંબંધમાં રહેવાનો અને જીવવાનો અર્થ શું છે?”

આ સમાચાર પણ વાંચો : Mohammed bin Salman: વિવાદ: ટ્રમ્પ અને પ્રિન્સ MBS વચ્ચે કયા મુદ્દે અસહમતિ? ‘ખશોગી હત્યા’ કે ‘૯/૧૧ હુમલા’ના સંબંધમાં થઈ ગરમાગરમ દલીલ?

પોલીસ તપાસમાં લાગી

પોલીસે હાલમાં આ મામલે તપાસ શરૂ કરી છે અને પરિવારના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં આ કેસ આત્મહત્યાનો લાગી રહ્યો છે, પરંતુ પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે દીપ્તિ કોઈ માનસિક તણાવ કે અન્ય કોઈ સમસ્યાથી ઝઝૂમી રહી હતી કે કેમ.

November 26, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai Crime મુંબઈમાં કરુણ ઘટના ચોરીના ખોટા આરોપથી દબાયેલી નોકરાણીએ કરી આત્મહત્યા
મુંબઈ

Mumbai Crime: મુંબઈમાં કરુણ ઘટના: ચોરીના ખોટા આરોપથી દબાયેલી નોકરાણીએ કરી આત્મહત્યા, તણાવ હેઠળ અંતિમ પગલું

by aryan sawant November 6, 2025
written by aryan sawant

News Continuous Bureau | Mumbai

Mumbai Crime એન્ટોપ હિલની એક પોશ ઇમારતના ફ્લેટમાં 27 વર્ષીય નોકરાણીનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ કેસમાં આકસ્મિક મૃત્યુની નોંધ કરી છે, પરંતુ તે દરમિયાન પોલીસને એક સુસાઇડ નોટ મળી છે, જેમાં લખ્યું છે કે તે એક પ્રમાણિક કામદાર છે અને તેણે કોઈ ચોરી કરી નથી. ચોરીના આરોપ બાદ આ મહિલા ખૂબ જ તણાવમાં હતી. મૂળ દાર્જિલિંગની રહેવાસી હતી. એન્ટોપ હિલ પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ કરીને કેસની તપાસ શરૂ કરી છે.

મૃતદેહ ફ્લેટની બાલ્કનીમાંથી મળી આવ્યો

પોલીસે આપેલી માહિતી મુજબ, મૃતક છેલ્લા બે વર્ષથી એન્ટોપ હિલની આશિયાના સહકારી ગૃહનિર્માણ સંસ્થાના ત્રીજા માળે એક 72 વર્ષીય વરિષ્ઠ નાગરિકના ફ્લેટમાં કામ કરતી હતી અને ત્યાં જ રહેતી હતી. તેનો મૃતદેહ બાલ્કનીમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ એન્ટોપ હિલ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને નોકરાણી ને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. પોલીસે આકસ્મિક મૃત્યુ અહેવાલ નોંધ કરીને તપાસ શરૂ કરી છે.

સુસાઇડ નોટમાં પોતાને ગણાવી નિર્દોષ

તપાસ દરમિયાન, અધિકારીઓને નોકરાણીએ લખેલી એક સુસાઇડ નોટ મળી. આ ચિઠ્ઠીમાં તેણે પોતાને નિર્દોષ જાહેર કરતા લખ્યું હતું કે, “મેં પ્રમાણિકતાથી કામ કર્યું છે. મેં કોઈ ચોરી કરી નથી.” જોકે, ચિઠ્ઠીમાં કોઈનું નામ કે કોઈના પર આરોપ લખેલા નહોતા. પોલીસ તેના સંબંધીઓના નિવેદન નોંધી રહી છે. પ્રાથમિક પૂછપરછમાં તાત્કાલિક કોઈ ગેરરીતિ સામે આવી નથી, પરંતુ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે તપાસ ચાલુ છે.

આ સમાચાર પણ વાંચો : Perishable Food: મહારાષ્ટ્રના ખેડૂતોને મોટી રાહત: વિદેશમાંથી આવશે આધુનિક ટેકનોલોજી, હવે નાશવંત ખાદ્ય ચીજો મહિનાઓ સુધી ટકશે!

માલિકના ઘરમાંથી દાગીના ગાયબ થવાનો સંદેહ

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેના માલિકના ઘરમાંથી લગભગ 10 લાખ રૂપિયાના દાગીના ગાયબ થયા હતા અને નોકરાણી નો આમાં સામેલ હોવાનો સંદેહ હતો. એવો અંદાજ છે કે આ આરોપને કારણે પેદા થયેલા તણાવને લીધે તેણે આત્મહત્યા કરી હશે. એન્ટોપ હિલ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક એ જણાવ્યું કે કથિત ચોરી અંગે કોઈ ઔપચારિક ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. તેમણે કહ્યું, “અમે તમામ બાજુઓથી તપાસ કરી રહ્યા છીએ.” પોલીસ નોકરાણી નો મોબાઈલ ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક પુરાવાઓનું વિશ્લેષણ કરીને વિગતવાર તપાસ કરી રહી છે.

November 6, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Female doctor commits suicide મહારાષ્ટ્રમાં ડૉક્ટરના આપઘાતથી ભૂકંપ હાથ પર લખી સુસાઇડ નોટ
રાજ્ય

Female doctor commits suicide: મહારાષ્ટ્રમાં ડૉક્ટરના આપઘાતથી ભૂકંપ: હાથ પર લખી સુસાઇડ નોટ, પોલીસકર્મી પર લગાવ્યો આવો ગંભીર આરોપ

by aryan sawant October 24, 2025
written by aryan sawant

News Continuous Bureau | Mumbai

Female doctor commits suicide મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં એક જિલ્લા હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા ડૉક્ટરે કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ડૉક્ટરે પોતાના હાથ પર એક સુસાઇડ નોટ લખી છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટરે (SI) પાંચ મહિનાના સમયગાળામાં તેમની સાથે 4 વખત બળાત્કાર કર્યો હતો. એક અધિકારીએ જણાવ્યું કે ગુરુવારે મોડી રાત્રે પીડિતા ફલટણની એક હોટેલના રૂમમાં લટકતી હાલતમાં મળી આવી હતી. ફલટણ સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે કામ કરતી ડૉક્ટરે એ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર પર માનસિક અને શારીરિક ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો અને જણાવ્યું હતું કે પોલીસકર્મીના સતત હેરાનગતિને કારણે તેમણે પોતાનો જીવ આપી દીધો.

સુસાઇડ નોટ અને પત્રમાં લગાવેલા આરોપો

પીડિતાની હથેળી પર લખેલી નોટમાં સ્પષ્ટ લખ્યું હતું: “પોલીસ ઇન્સ્પેક્ટર ગોપાલ બડને ના કારણે મારું મૃત્યુ થયું. તેણે મારી સાથે ચાર વખત બળાત્કાર કર્યો. તેણે પાંચ મહિનાથી વધુ સમય સુધી મારી સાથે બળાત્કાર, માનસિક અને શારીરિક શોષણ કર્યું.” આત્મહત્યાના થોડા મહિના પહેલાં, મહિલા ડૉક્ટરે 19 જૂનના રોજ ફલટણની સબ-ડિવિઝનલ ઓફિસના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસને (DSP) લખેલા એક પત્રમાં પણ આવા જ ગંભીર આરોપો લગાવ્યા હતા. તે પત્રમાં તેમણે ફલટણ ગ્રામીણ પોલીસ વિભાગના ત્રણ પોલીસ અધિકારીઓ પર ઉત્પીડનનો આરોપ લગાવીને કાયદેસરની કાર્યવાહીની માંગ કરી હતી.

આ સમાચાર પણ વાંચો : PM Modi: ‘લાલુના ‘ફાનસ’ પર PM મોદીનો ‘ડિજિટલ’ પ્રહાર: સમસ્તીપુરમાંથી RJD પર નિશાન સાધ્યું, જાણો ભાષણના 10 મહત્ત્વના પોઈન્ટ્સ

રાજકીય વિવાદ અને ત્વરિત કાર્યવાહી

Text: ગુરુવારે રાત્રે થયેલી આ આત્મહત્યાથી શુક્રવારે રાજ્યમાં રાજકીય વિવાદ ઊભો થયો છે. જોકે, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના આદેશ બાદ તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી પોલીસકર્મી ગોપાલ બડને ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.આ દરમિયાન, મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ એ કહ્યું કે, “અમે આ મામલાની નોંધ લીધી છે અને સતારા પોલીસને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. આરોપીઓની શોધખોળ માટે ટીમો તૈનાત કરવામાં આવી છે. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં સામેલ લોકોને છોડવામાં નહીં આવે.”

October 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai Suicide Daughter of IAS couple dies by suicide at Mumbai’s Nariman Point
મુંબઈ

Mumbai Suicide : મુંબઈમાં IAS ઓફિસરની દીકરીએ 10મા માળેથી કૂદીને કરી આત્મહત્યા, પોલીસને મળી સ્યુસાઇડ નોટ; સામે આવ્યું આ ચોંકાવનારું કારણ..

by kalpana Verat June 3, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Mumbai Suicide : દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામોની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે મુંબઈમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે.  ( Daughter of IAS couple ) મીડિયા રિપોર્ટ મુજબ અહીં એક ઉચ્ચ IAS અધિકારીની પુત્રીએ જીવનનો અંત આણ્યો છે. અહેવાલ છે કે તેણીએ મંત્રાલયની સામેની ઇમારત પરથી કૂદીને  આત્મહત્યા કરી હતી.  

Mumbai Suicide :  બિલ્ડિંગના 10 માળા પર થી કૂદીને આત્મહત્યા કરી 

મીડિયા રિપોર્ટ મુજબ, વિકાસ રસ્તોગી અને રાધિકા રસ્તોગી, એક IAS દંપતીની પુત્રીએ, સવારે ચાર વાગ્યે મંત્રાલયની સામે સ્થિત બિલ્ડિંગના 10 માળા પર થી કૂદીને આત્મહત્યા ( jumped from 10th floor ) કરી હતી. આ ઘટનાને પગલે મુંબઈના ઉચ્ચ અધિકારીઓના વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે. વિકાસ રસ્તોગી ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના સચિવ છે.

Mumbai Suicide ડિપ્રેશનમાં રહેતી હતી

Mumbai Suicide: અહેવાલો મુજબ યુવતીનું નામ લિપી રસ્તોગી છે અને તે 26 વર્ષની છે. વિકાસ રસ્તોગી 1997 બેચના IAS અધિકારી છે. લિપી રસ્તોગી ( Lipi Rastogi Suicide ) અભ્યાસમાં એટલી આગળ નહોતી. જેથી તે ડિપ્રેશનમાં રહેતી હતી. લિપી રસ્તોગીને ચિંતા હતી કે તેના માતા-પિતા આટલા મોટા અધિકારીઓ છે અને તે તેના લાયક છે કે નહીં. આ કારણે તેણીએ જીવનનો અંત આણ્યો હોવાની મંત્રાલય વિસ્તારમાં ચર્ચા છે. તેણે આત્મહત્યા કરતા પહેલા એક સુસાઈડ નોટ લખી હતી. તેણીએ તેના મૃત્યુ માટે કોઈને જવાબદાર ઠેરવ્યા નથી. આ પછી કફ પરેડ પોલીસ સ્ટેશનમાં અકુદરતી મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે. 

આ સમાચાર પણ વાંચો :  Milk price hike : ચૂંટણી પરિણામો પહેલા મોંઘવારીનો વધુ એક માર! દૂધની કિંમતમાં થયો વધારો; જાણો પ્રતિ લિટર કેટલો ભાવ વધ્યો

Mumbai Suicide : શૈક્ષણિક કામગીરી સંતોષકારક ન હોવાથી તે ચિંતિત હતી

રસ્તોગીનું સત્તાવાર નિવાસસ્થાન નરીમાન પોઈન્ટ ( Nariman Point ) વિસ્તારમાં છે. લિપી રસ્તોગીએ આ બિલ્ડિંગના દસમા માળેથી છલાંગ લગાવી હતી. તેની કૂદી પડવાની જાણ થતાં, લિપીને સારવાર માટે જીટી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જોકે, હોસ્પિટલમાં લાવવામાં આવે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. લિપી સોનીપત,  એલએલબી અભ્યાસક્રમનો અભ્યાસ કરે છે. જો કે, શૈક્ષણિક કામગીરી સંતોષકારક ન હોવાથી તે ચિંતિત હતી. 

June 3, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Atal Setu Suicide Female doctor committed suicide by jumping from Atal Setu, first such incident after construction of bridge
મુંબઈરાજ્ય

Atal Setu Suicide: મહિલા ડોક્ટરે અટલ સેતુ પરથી કૂદીને કરી આત્મહત્યા, બ્રિજ બનાવ્યા બાદ પ્રથમ આવી ઘટના, જાણો વિગતે..

by Bipin Mewada March 20, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Atal Setu Suicide: મુંબઈના ભોઈવાડા વિસ્તારમાં રહેતી 43 વર્ષીય મહિલાએ ( woman ) સોમવારે ઘરેથી કામ પર જવા નીકળી હતી. જે તે રાત્રે ઘરન પહોંચતા તેના પરિવારજનોએ તેની શોધખોળ શરુ કરી હતી. આખરે જ્યારે મહિલા ન મળી ત્યારે પરિવારે ભોઈવાડા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. પોલીસે ગુમ થયાની ફરિયાદ નોંધાવી અને મહિલાની શોધખોળ શરૂ કરી હતી. 

મહિલાના પિતાએ ફરિયાદમાં પોલીસને જણાવ્યું હતું કે, ઘરમાંથી એક સુસાઈડ નોટ ( suicide note ) મળી આવી હતી. જેમાં મહિલાએ અટલ સેતુ પર જવા વિશે લખ્યું હતું. માહિતીના આધારે પોલીસે તપાસ માટે સીસીટીવી ફૂટેજ તપાસવાનું કરવાનું શરૂ કર્યું હતું, ત્યારે પોલીસને સીસીટીવી ફુટેજથી ( CCTV footage ) જાણવા મળ્યું હતું કે, મહિલા પરેલના શિંદેવાડી વિસ્તારમાંથી 01:45 વાગ્યે ટેક્સી લઈને આવી હતી અને લગભગ 2:14 વાગ્યે અટલ સેતુ ઉપરથી નીચે કૂદી ( suicide ) પડી હતી..

 પોલીસે તમામ કોસ્ટલ પોલીસ અને સ્થાનિક માછીમારોને પણ જાણ કરી છે..

મિડીયા રિપોર્ટ મુજબ, મૃતક મહિલા વ્યવસાયે ડોક્ટર છે અને છેલ્લા 10 વર્ષથી તે ડિપ્રેશનમાં હતી. જો કે હજી મહિલાનો મૃતદેહ મળ્યો નથી. આ મામલામાં નવી મુંબઈની ન્હાવશેવા પોલીસે ટેક્સી ડ્રાઈવરનું નિવેદન પણ નોંધ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Thane Accident: થાણેમાં ઈલેક્ટ્રીક મોટરબાઈકની બેટરી વિસ્ફોટ થતા, ઘરની છત અને દિવાલ ધારાશાહી.. 3 લોકો ઘાયલ..

આ મામલે પોલીસે તમામ કોસ્ટલ પોલીસ અને સ્થાનિક માછીમારોને પણ જાણ કરી છે. મહિલાને શોધવા માટે બોટ કોસ્ટલ વિભાગ, એમટી વિભાગને પણ માહિતી આપવામાં આવી છે. હાલ આ મામલામાં કામગીરી અને વધુ તપાસ ચાલી રહી છે.

 

March 20, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Maharashtra Roommates committed such an act in a medical college in Maharashtra.. Student committed suicide.. Police investigation underway..
રાજ્ય

Maharashtra: મહારાષ્ટ્રમાં મેડિકલ કોલેજમાં રૂમમેટ્સે કર્યું આવુ કૃત્ય.. વિદ્યાર્થીએ કર્યો આપધાત.. પોલિસ તપાસ ચાલુ.. જાણો સંપુર્ણ મુદ્દો વિગતે..

by Bipin Mewada December 11, 2023
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Maharashtra: મહારાષ્ટ્ર ( Maharashtra ) ના રાયગઢ ( Raigad ) જિલ્લામાં એક મેડિકલ સ્ટુડન્ટે ( Medical Student ) ગળેફાંસો ખાઈ લેતા ખળભળાટ મચી ગયો છે. એમબીબીએસના ( MBBS ) પ્રથમ વર્ષના વિદ્યાર્થીએ 1 ડિસેમ્બરે પોતાના હોસ્ટેલના રૂમ ( Hostel Room ) માં ફાંસી લગાવી ( Suicide ) લીધી હતી. બે દિવસ બાદ તેના રૂમમાંથી એક સુસાઈડ નોટ ( Suicide note ) મળી આવી હતી. તેના આધારે ત્રણ લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.આ ઘટના રાયગઢના કર્જત શહેરની ( Karjat ) એક ખાનગી મેડિકલ કોલેજની છે. પીટીઆઈના અહેવાલ મુજબ, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે હોસ્ટેલના તેના ત્રણ રૂમમેટ્સે તેને હેરાન કર્યો અને રેગિંગ કરી હતી.

પોલીસે રવિવારે ન્યૂઝ એજન્સી પીટીઆઈને આ અંગેની માહિતી આપી હતી. કર્જત પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે ત્રણ વિદ્યાર્થીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 306 (આત્મહત્યા માટે ઉશ્કેરવું) અને અન્ય સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો છે.

પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે…

તેમણે કહ્યું કે પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે અને હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. અધિકારીએ જણાવ્યું કે, હર્ષલ મહાલે, એમબીબીએસના પ્રથમ વર્ષના વિદ્યાર્થીએ 1 ડિસેમ્બરે સાંજે લગભગ 7 વાગ્યે તેના હોસ્ટેલના રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  Punjab: શું પંજાબના BJP સાંસદ અને અભિનેતા સની દેઓલ ગુમ થઈ ગયા છે.. લાગ્યા મિસિંગ પોસ્ટર… આટલા હજારનુ મળશે ઈનામ… જાણો શું છે આ મામલો..

તેણે કહ્યું કે બે દિવસ પછી, માતાપિતાએ રૂમમાંથી એક સુસાઈડ નોટ અને મોબાઈલ ફોન મેળવ્યો અને 4 ડિસેમ્બરે ફરિયાદ સાથે પોલીસનો સંપર્ક કર્યો હતો. અધિકારીએ જણાવ્યું કે, મહાલેએ સુસાઈડ નોટમાં આરોપ લગાવ્યો છે કે તેના ત્રણ રૂમમેટ્સે તેને માનસિક રીતે હેરાન કર્યા હતા અને ટોર્ચર કર્યા હતા અને તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

December 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Surat Crime 7 members of the same family committed suicide in Surat. This was mentioned in a one-and-a-half-page suicide note…
સુરત

Surat Crime: સુરતમાં એક જ પરિવારના 7 સભ્યો આપઘાત કરતાં અરેરાટી!! દોઢ પાનાની સુસાઈટ નોટમાં કર્યો આ ઉલ્લેખ… જાણો સંપુર્ણ મામલો વિગતે..વાંચો અહીં..

by Hiral Meria October 29, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Surat Crime: ગુજરાત ( Gujarat ) ના સુરતમાં બનેલી એક ઘટનાએ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવી દીધો છે. આ ઘટનાએ દિલ્હી (Delhi) બુરારી મિસ્ટ્રી ડેથ કેસની ( mystery death case ) યાદ અપાવી દીધી છે. આ ઘટનાથી ગુજરાત સહિત સમગ્ર દેશ હચમચી ગયો હતો. ગુજરાતના સુરતમાં એક જ પરિવારના સાત સભ્યો ( family members ) એ આત્મહત્યા ( suicide ) કરી લીધી છે. પોલીસ તપાસમાં બહાર આવેલી પ્રાથમિક માહિતી મુજબ સમગ્ર પરિવારે આર્થિક તંગીના ( Financial Crisis  ) કારણે આપઘાત કર્યો હોઈ શકે છે. સાત લોકોના પરિવારમાં ત્રણ નાના બાળકોનો પણ સમાવેશ થાય છે.

ગુજરાતના સુરતમાં એક જ પરિવારના સાત સભ્યોએ આત્મહત્યા કરી લીધી છે. આર્થિક તંગીના કારણે આપઘાત કર્યાની પોલીસ પ્રાથમિક માહિતી મેળવી રહી છે. આ સાત લોકોમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે. કનુભાઈ સોલંકી અને તેમના પરિવારજનોએ તેમના નિવાસસ્થાને આત્મહત્યા કરી લીધી છે. કનુભાઈના પુત્ર મનીષની લાશ પંખાથી લટકતી હાલતમાં મળી આવી હતી. કનુભાઈ, તેમના પત્ની શોભનાબેન, મનીષની પત્ની રીટા બેન, મનીષની 10 અને 13 વર્ષની પુત્રીઓ દિશા અને કાવ્યા અને પુત્ર કુશલના મૃતદેહ પથારીમાં પડેલા મળી આવ્યા હતા.

ચોંકાવનારી ઘટના અંગે માહિતી આપતા ઝોન 5ના ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું હતું કે આ ઘટના અડાજણ વિસ્તારના સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં બની હતી. એપાર્ટમેન્ટના પહેલા માળે કનુભાઈ સોલંકી તેમના પરિવાર સાથે રહેતા હતા. કનુભાઈના પુત્ર મનીષ ઉર્ફે શાંતુ સોલંકીની લાશ પંખાથી લટકતી હાલતમાં મળી આવી હતી, જ્યારે કનુભાઈ, તેની પત્ની શોભનાબેન, મનીષની પત્ની રીટા, મનીષની 10 અને 13 વર્ષની પુત્રીઓ દિશા અને કાવ્યા અને નવજાત પુત્ર કુશલના મૃતદેહ પથારી પર મળી આવ્યા હતા.

ઘરમાંથી એક સુસાઈડ નોટ અને એક ખાલી બોટલ મળી આવી…

ઘટના અંગે માહિતી આપતા ડીસીપીએ વધુમાં જણાવ્યું હતું કે, “પોલીસના જણાવ્યા મુજબ, મનીષ સોલંકી ઈન્ટીરીયર ડીઝાઈન અને ફર્નિચરનો વ્યવસાય કરતો હતો. ઘરમાંથી એક સુસાઈડ નોટ અને એક ખાલી બોટલ પણ મળી આવી હતી, જેમાં સંભવતઃ ઝેર હતું. સુસાઈડ નોટ ( Suicide note ) અને પોલીસે ખાલી બોટલ કબજે કરી તપાસ માટે મોકલી આપી હતી.તપાસમાં જાણવા મળ્યું હતું કે મનીષ સિવાયના તમામ મૃતકોએ ઝેર પીધું હતું.મનિષના ઘરેથી મળેલી સ્યુસાઈડ નોટમાં જણાવ્યું હતું કે લોકોને આપેલા પૈસા પરત ન આવવાના કારણે આર્થિક તંગીના કારણે તેણે આત્મહત્યા કરી છે.

ઘટના અંગે સુરતના મેયર નિરંજન જાંઝમેરાએ જણાવ્યું હતું કે, “મનીષ સોલંકીએ ફાંસી લગાવતા પહેલા તેના પરિવારના સભ્યોને ઝેર આપ્યું હોય તેવું લાગે છે. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Israel Hamas War: ઈઝરાયેલની સેનાએ ગાઝામાં હુમલા કર્યા તેજ, તુર્કીના રાષ્ટ્રપતિ થઈ ગયા ગુસ્સે અને કહ્યું- આ પાગલપન… .

2018માં રાજધાની દિલ્હીમાં બનેલી એક ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. દિલ્હીના બુરાડી વિસ્તારમાં એક જ ઘરમાંથી 11 મૃતદેહો મળી આવ્યા હતા. મૃતકોમાં સાત મહિલાઓ અને ચાર પુરૂષોનો સમાવેશ થાય છે. તમામ મૃતકો એક જ પરિવારના સભ્યો હતા. તમામે આત્મહત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ઘટનાની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તપાસ બાદ જાણવા મળ્યું કે પરિવારના તમામ સભ્યોએ અંધશ્રદ્ધાના કારણે આત્મહત્યા કરી છે. તમામ મૃતદેહો ઘરની અંદર લટકેલા મળી આવ્યા હતા. દિલ્હીના બુરાડીમાં રહેતા ભાટિયા પરિવારના 11 સભ્યોના મૃતદેહ લટકેલા મળી આવ્યા હતા. દિલ્હીમાં જે ઘરમાં આ 11 લોકોના મોત થયા હતા તે ઘરમાંથી 11 પાઇપ મળી આવ્યા હતા. આ પાઈપોને લઈને પોલીસ સમક્ષ અનેક સવાલો ઉભા થયા છે.

પરોપકાર, ભલમંતશાહી, દયાળુ અને સત્યભાવ મને હેરાન કરી ગયું..

મનીષ કનુભાઈ સોલંકીએ દોઢ પાનાની સુસાઈટ નોટમાં લખ્યું છે કે, “પરોપકાર, ભલમંતશાહી, દયાળુ અને સત્યભાવ મને હેરાન કરી ગયું, રૂપિયા લીધા પછી કોઈ પાછા આપતા નથી. ઉપકાર નો બદલો કોઈ પાછો આપતો નથી. મારી જિંદગી માં મેં ઘણાને મદદ કરી છે. મારા બાળકો અને મારા પિતાની ચિંતા સતત મને મારી નાંખતી. રિટાબેન તારું ધ્યાન રાખજે, ઘનશ્યામ, જિન્નાભાઈ અને બાલાભાઈ બધા રીટાબેનનું ધ્યાન રાખજો. જાણતા-અજાણતા કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. અમારી જાતિના કારણ જવાબદાર વ્યક્તિઓના નામ લખવા નથી ,જેને કુદરત જરૂરથી પરચો આપશે. તે કદી સુખી નહિ થશે. કોઈના નામ લખવામાં અમને સંકોચ થશે. કુદરત જાણે છે બંધુ, જીવતા પણ કોઈને હેરાન નથી કર્યા અને મર્યા પછી પણ કોઈને હેરાન નહિ કરીએ.”

October 29, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

અભિનેત્રી વૈશાલી ઠક્કર સુસાઈડ કેસમાં આવ્યો નવો વળાંક- આત્મહત્યા માટે પ્રેરિત કરવા બદલ આ દંપતીની થઇ ધરપકડ

by Dr. Mayur Parikh October 18, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કરને આત્મહત્યા માટે ઉશ્કેરવાના મામલે ઈન્દોર પોલીસે (Indore police)રવિવારે તેના પાડોશી રાહુલ અને તેની પત્ની દિશા નવલાનીની ધરપકડ(arrest) કરી હતી. વૈશાલીની સુસાઈડ નોટના (suicide note)આધારે બંનેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે દંપતી વિરુદ્ધ કલમ 306 હેઠળ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે સુસાઈડ નોટમાં અભિનેત્રીએ તેના પાડોશી અને તેની પત્ની પર માનસિક ત્રાસનો(mental harassment) આરોપ લગાવ્યો હતો, ત્યારબાદ પોલીસે બંનેની ધરપકડ કરી હતી. ધરપકડ દરમિયાન પતિ-પત્ની બંને ઘરે હાજર હતા.

અભિનેત્રીએ પાડોશી રાહુલ પર છેલ્લા અઢી વર્ષથી માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે સુસાઈડ નોટમાં તેણે તેના માતા-પિતાને (parents)આરોપી રાહુલને સજા કરવાની અપીલ કરી છે. વૈશાલીએ સુસાઈડ નોટમાં લખ્યું છે કે મારી આત્મહત્યા બાદ રાહુલને સજા થવી જ જોઈએ, મમ્મી-પાપા આઈ લવ યુ અને નોટના અંતે ‘આઈ કવીટ’ લખ્યું છે. હાલ પોલીસે સુસાઈડ નોટ(suicide note) કબજે કરી હેન્ડરાઈટીંગ એક્સપર્ટને મોકલી આપી છે. પાડોશીની ધરપકડ કરતા પહેલા પોલીસે સુસાઈડ નોટના આધારે કહ્યું હતું કે અભિનેત્રીનો પૂર્વ બોયફ્રેન્ડ(boyfriend) તેને હેરાન કરતો હતો. પોલીસે વૈશાલીને હેરાન કરનારાઓ સામે કાર્યવાહી કરવાની પણ વાત કરી છે.

આ સમાચાર પણ વાંચો : સલમાન ખાન અને શાહરૂખ ખાન પર બાબા રામદેવે કર્યા આકરા પ્રહાર-બોલિવૂડ સ્ટાર્સ પર લગાવ્યો આ  આરોપ

વૈશાલીએ સુસાઈડ નોટમાં જણાવ્યું છે કે ‘રાહુલે મિત્રતામાં મારી સાથે દગો કર્યો હતો. તેણે છેતરપિંડી કરીને મારા ફોટા લીધા અને પછી આ ફોટો-વિડિયો મારા એનઆરઆઈ મંગેતરને(NRI fiyanse) મોકલ્યા, જેના કારણે મારી સગાઈ તૂટી ગઈ.’ તમને જણાવી દઈએ કે, વૈશાલી ઠક્કર ઈન્દોરના તેજાજી નગર પોલીસ સ્ટેશન વિસ્તારની સાંઈ બાગ કોલોનીમાં રહેતી હતી. રવિવારે અભિનેત્રીએ ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા (suicide)કરી લીધી હતી. વૈશાલીએ સ્ટાર પ્લસની સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'થી અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. તે દિવંગત અભિનેતા સુશાંત સિંહની ખૂબ સારી મિત્ર હતી.

October 18, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

અરેરે-લોકડાઉનમાં મજૂરોને ફ્લાઈટમાં ઘરે મોકલનારા ખેડૂતે કરી લીધી આત્મહત્યા-કારણ જાણી તમે પણ થઇ જશો ભાવુક

by Dr. Mayur Parikh August 26, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

કોરોના મહામારી(Corona epidemic) દરમિયાન બિહારના મજૂરોને(Bihar Labourers) ઘરે મોકલવા માટે ફ્લાઈટની ટિકિટ (Flight ticket) ખરીદનારા ખેડૂતે આત્મહત્યા(Farmer suicide) કરી લીધી છે. પપ્પન સિંહ ગહલોતે(Pappan Singh Gehlot) મંગળવારે સાંજે ઉત્તર દિલ્હીના બહારના વિસ્તારમાં આવેલા તિગીપુર ગામ(Tigipur village) સ્થિત પોતાના ઘરેમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. પોલીસે જણાવ્યું કે સાંજે લગભગ પાંચ વાગે તેમને ઘટનાની સૂચના મળી. ગહલોતે એક સ્યૂસાઈડ નોટ (Suicide note) પણ છોડી છે. જેમાં તેમણે બ્લડ પ્રેશર અને શુગરનું લેવલ(Blood pressure and sugar levels) વધુ હોવાની સમસ્યાના કારણે આત્મહત્યા કરી હોવાનું કહ્યું છે.

તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ(Postmortem) માટે નજીકની હોસ્પિટલ મોકલી દેવાયો. ગહલોત લોકડાઉન સમયે ખુબ ચર્ચામાં હતા. તેમણે પોતાના મજૂરોને ફ્લાઈટથી બિહાર મોકલ્યા હતા. જેથી કરીને કોવિડ-૧૯ મહામારી દરમિયાન પોતાના પરિવારને મળી શકે. અનેક લોકો તેમને દિલ્હીના સોનુ સૂદ કહેતા હતા. પોલીસના જણાવ્યાં મુજબ મશરૂમની ખેતી કરનારા ખેડૂત પપ્પન સિંહ ગહલોત મંગળવારે સાંજે લગભગ પાંચ વાગે તિગીપુર ગામમાં પોતાના ઘરની સામે આવેલા શિવ મંદિરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા.  

આ સમાચાર પણ વાંચો : પશ્ચિમ મહારાષ્ટ્રમાં ધરા ધણધણી ઊઠી- મધ્યરાત્રિના આ જિલ્લામાં અનુભવાયા ભૂકંપના આંચકા- આટલી હતી તીવ્રતા

બોલીવુડ અભિનેત્રી(Bollywood actress) માધુરી દિક્ષીતે(Madhuri Dixit) પણ રેડિયો પર તેમની કહાની સાંભળી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે કેવી રીતે તેમણે લોકોની મદદ કરી હતી. ગહલોતના પરિવારમાં તેમના પત્ની અને એક પુત્રી છે. પોલીસના જણાવ્યા મુજબ ગહલોત રોજ મંદિરે જતા હતા. જોકે મંગળવારે સાંજે પૂજારીએ તેમનો મૃતદેહ પંખાથી લટકતો જોયો અને પોલીસને જાણ કરી.

August 26, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

સાંગલીના એક પરિવારના 9 સભ્યોની આત્મહત્યા પાછળ Rice Puller જવાબાદર-  જાણો શું છે આ Rice Puller

by Dr. Mayur Parikh June 22, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રના(Maharashtra) સાંગલી જિલ્લાના(Sangli district) મ્હૈસલ ગામ(Mhaisal village) એક જ પરિવારના 9 સભ્યોના આત્મહત્યાથી(suicide) દેશભરમાં ચકચાર મચી ગઇ છે.

પોલીસે આત્મહત્યાનો કેસ નોંધ્યો છે, છતાં આત્મહત્યા કરવા પાછળના અન્ય કારણની તપાસ કરી રહી છે. સ્થાનિક ગ્રામવાસીઓના(Local villagers) દાવા મુજબ Rice Pullerની જાળમાં ફસાઈને પરિવારે આત્મહત્યા કરી છે, તેના ચક્કરમાં કરોડો રૂપિયાનું દેવું(Debt) કરી બેઠા હોવાનું કહેવાય છે.

મ્હૈસલ ગામના રહેવાસીઓના કહેવા મુજબ કોઈ વિદેશી કંપની(Foreign company) પાસેથી 3000 કરોડ રૂપિયા આ બંને ભાઇઓને મળવાના હતા. વનમોર ભાઈઓ કોઈ રાઈસ પુલર (Rice Puller) સોદાની વાત કરતા હતા.

પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે કે, આ પરિવારના બંને મુખિયાઓ દેવા તળે દબાઇ ગયા હતા. ઘટના સ્થળેથી મળેલી સુસાઈડ નોટમાં(Suicide note) લખેલા નામના આધારે આ કેસમાં 25 લોકો સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

મ્હૈસલ ગામમાં થઇ રહેલી ચર્ચા પ્રમાણે બંને ભાઈઓ રાઈસ પુલર એટલે કે ચોખા ખેંચતી જાદુઈ ધાતુના સોદામાં સામેલ હતા. આ સોદામાં એક ટોળકીએ વનમોર ભાઈઓને વચન આપ્યું હતું કે, જો તેઓને 'રાઇસ પુલર' ધાતુ મળશે તો તેઓ મોટો નફો કરશે. આરોપ છે કે ટોળકીના ચુંગાલમાં ફસાઇ ગયા હતા. જેના કારણે બંને ભાઇઓ લોકો પાસેથી અને બેંક પાસેથી પણ લોન લીધી હતી અને આખરે દેવા તળિયે દબાઇ ગયા હતા.

આ સમાચાર પણ વાંચો : હવે શિવસેનાના આ દિગ્ગજ નેતાની આજકાલમાં ધરપકડ થાય તેવી શક્યતા- શિવસેનામાં ખળભળાટ

 'રાઇસ પુલર' ચીટ્સ દેશમાં અને ખાસ કરીને મહારાષ્ટ્રના ગ્રામીણ ભાગોમાં(Rural parts) સામાન્ય છે. એવો દાવો કરવામાં આવે છે કે આકાશી વીજળીના સંપર્કમાં આવવાથી રાઈસ પુલરમાં અલૌકિક શક્તિ(Supernatural power) ઉત્પન્ન થાય છે. ઠગ દાવો કરે છે કે રાઈસ પુલર (જે વાસણ, વાટકી, કાચ અથવા મૂર્તિના આકારમાં હોઈ શકે છે) તેના ચુંબકીય બળને કારણે તે ખૂબ મૂલ્યવાન હોય છે. જે લોકો આ ખાસ ધાતુના વાસણો ખરીદે છે, તેમનો વેપાર અને સંપત્તિ દિવસે બે ગણી અને રાતે ચાર ગણી વધી જાય છે.

નાસા(NASA) જેવી વૈજ્ઞાનિક સંસ્થાઓ(Scientific Institute) ઉપગ્રહો અને અવકાશમાં ઊર્જા ઉત્પન્ન(Generating energy) કરવા માટે તેનો ઉપયોગ કરી શકે છે અને કરોડો રૂપિયામાં તેની ખરીદી કરે છે. આ લોભમાં લોકો લાખો-કરોડોના ખર્ચે 'રાઈસ પુલર' ખરીદે છે, પરંતુ તેમની પાસેથી 'રાઈસ પુલર' ખરીદવા કોઈ સંસ્થા આવતી નથી.  
 

June 22, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક