• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - telecast
Tag:

telecast

kundali bhagya off air last episode to air on this date
મનોરંજન

Kundali bhagya off air: કુંડલી ભાગ્ય શો થઇ રહ્યો છે બંધ, જાણો ક્યારે ટેલિકાસ્ટ થશે સિરિયલ નો છેલ્લો એપિસોડ

by Zalak Parikh November 21, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Kundali bhagya off air: ઝી ટીવીનો લોકપ્રિય શો કુંડલી ભાગ્ય બંધ થવા જઈ રહ્યો છે. આ શો છેલ્લા 7 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ સિરિયલ માં શ્રદ્ધા આર્યા પ્રીતાનું પાત્ર ભજવી ને લોકપ્રિય થઇ હતી.લોકો ને આ સિરિયલ માં પ્રીતા અને કરણ ની  પસંદ આવી હતી.હવે આ શો ઓફ એર જવાનો છે તો ચાલો જાણીયે આ શો નો છેલ્લો એપિસોડ ક્યારે ટેલિકાસ્ટ થશે.   

આ સમાચાર પણ વાંચો : Sushmita sen birthday: મિડલ ક્લાસ ફેમિલી માંથી આવેલી સુષ્મિતા સેન આજે છે કરોડો ની સંપત્તિ ની માલકીન, જાણો અભિનેત્રી ની નેટવર્થ વિશે

કુંડલી ભાગ્ય નો છેલ્લો એપિસોડ 

મીડિયા રિપોર્ટ મુજબ કુંડલી ભાગ્ય નો છેલ્લો એપીસીડ 6 ડિસેમ્બર ના રોજ ટેલિકાસ્ટ થશે. આ શો ના ઓફ એર જવાથી શો ના લીડ અભિનેતા શક્તિ આનંદ ખુબ દુઃખી છે.

 

View this post on Instagram

 

A post shared by Tellychakkar Official ® (@tellychakkar)


કુંડલી ભાગ્ય બંધ થવાનું સાચું કારણ તો સામે આવ્યું નથી પરંતુ એવું કહેવાય છે કે શો ની ઘટતી ટીઆરપી ને કારણે આ શો બંધ થઇ રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 21, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ramanand sagar ramayan is again starting on doordarshan
મનોરંજન

Ramayan: ફરી એકવાર રામ ભક્તિ માં લીન થવા થઇ જાઓ તૈયાર, વધુ એક વખત ટીવી પર ટેલિકાસ્ટ થવા જઈ રહી છે રામાયણ, જાણો ક્યાં જોઈ શકશો રામાનંદ સાગર ની ધારાવાહિક

by Zalak Parikh January 31, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Ramayan: વર્ષ 1987 માં આવેલી રામાનંદ સાગર ની રામાયણ આજે પણ દર્શકો માં પ્રિય છે. રામાયણ નું નામ લેતા જ રામાનંદ સાગર ની રામાયણ યાદ આવે છે. આ શો ના તમામ પાત્રો એ લોકો ના દિલ માં એક ખાસ જગ્યા બનાવી છે. તે પછી અરુણ ગોવિલ હોય દીપિકા ચીખલીયા હોય કે દારા સિંહ હોય આજે ય લોકો તેમને રામાયણ માં તેમના પાત્ર થી જ ઓળખે છે. હવે રામાયણ ના ચાહકો માટે સા સમાચાર છે. રામાયણ ફરી એક વખત ટીવી પર ટેલિકાસ્ટ થવા જઈ રહી છે. 

આ સમાચાર પણ વાંચો : Dunki: આંતરરાષ્ટ્રીય વાગ્યો ડંકી નો ડંકો, આ દેશની સંસદમાં બતાવાશે શાહરૂખ ખાનની ફિલ્મ

 

રામાયણ થશે ટીવી પર ટેલિકાસ્ટ 

દૂરદર્શન પર રામાયણ ફરી એક વખત ટેલિકાસ્ટ થવાની છે. આ વાત ની માહિતી દૂરદર્શને તેમના સોશિયલ મીડિયા પર આપી છે. ચેનલે આ વાત ની સત્તાવાર રીતે જાહેરાત કરતા લખ્યું,’ધર્મ, પ્રેમ અને સમર્પણની અનોખી ગાથા… ફરી એકવાર સમગ્ર ભારતનો સૌથી લોકપ્રિય શો ‘રામાયણ’ આવી રહ્યો છે, જલ્દી જ જુઓ # DDNational પર .

धर्म, प्रेम, और समर्पण की अद्वितीय गाथा…एक बार फिर आ रहा है पूरे भारत का सबसे लोकप्रिय शो ‘रामायण’, जल्द देखिए #DDNational पर। #Ramayan | @arungovil12 | @ChikhliaDipika | @LahriSunil pic.twitter.com/zqOrwx2pOg

— Doordarshan National दूरदर्शन नेशनल (@DDNational) January 30, 2024


આ પોસ્ટ બાદ ચાહકો માં એક અનોખો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, આ શો ક્યારે ટેલિકાસ્ટ થશે તેની તારીખ જાહેર કરવામાં આવી નથી.રામાયણ માં ભગવાન રામ ની ભૂમિકા માં અરુણ ગોવિલ, માતા સીતા ની ભૂમિકા માં દીપિકા ચીખલીયા, લક્ષ્મણ ની ભૂમિકામાં સુનિલ લહરી, હનુમાન ના રોલ માં દારા સિંહ અને રાવણ ના રોલ માં અરવિંદ ત્રિવેદી જેવા મહાન કલાકારો જોવા મળ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

January 31, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ayodhya Broadcasting of Ramayana started in these places in Ayodhya city.. Huge crowd of people.
દેશમનોરંજન

Ayodhya: અયોધ્યા શહેરમાં આ સ્થળોએ શરૂ થયું રામાયણનું પ્રસારણ.. લોકોની ઉમટી ભીડ..

by Bipin Mewada January 2, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai 

Ayodhya: અયોધ્યામાં યોજાનાર ભગવાન શ્રી રામના રાજ્યાભિષેક સમારોહની દેશભરના નાગરિકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરેક રામ ભક્તો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવાની લાગણી ધરાવી રહ્યા છે. ત્યારે ભગવાન શ્રી રામના ( Ram ) વિવિધ જીવન આદર્શો વિશે ભક્તોમાં જાગૃતિ લાવવા માટે રામાનંદ સાગર ( Ramanand Sagar ) દ્વારા નિર્દેશિત ‘રામાયણ’ ( Ramayan ) સિરિયલ અયોધ્યા શહેરમાં બતાવવામાં આવી રહી છે.

નવી પેઢીમાં શ્રી રામના જીવન આદર્શો અને મૂલ્યોને સ્થાપિત કરવા યોગી સરકારે રામાનંદ સાગરની ‘રામાયણ’ સિરિયલનું ( Serial ) અયોધ્યા શહેરમાં વિવિધ સ્થળોએ પ્રસારણ શરૂ કર્યું છે. આ માટે શહેરમાં વિવિધ સ્થળોએ LED ડિસ્પ્લે સ્ક્રીન ( LED display screen ) પણ લગાવવામાં આવી છે. જે દ્વારા લોકોને ફરી રામાયણ સિરિયલ જોવાનો મોકો મળી રહ્યો છે.

રામાયણ સિરિયલનું ટેલિકાસ્ટ 25મી ડિસેમ્બરથી અયોધ્યા શહેરમાં 7 અલગ-અલગ જગ્યાએ શરૂ ..

આ સિરિયલનું ટેલિકાસ્ટ ( telecast ) 25મી ડિસેમ્બરથી અયોધ્યા શહેરમાં 7 અલગ-અલગ સ્થળોએ શરૂ કરવામાં આવ્યું છે. ‘રામાયણ’ સીરીયલ માહિતી અને જનસંપર્ક વિભાગ દ્વારા રામકથા પાર્ક મ્યુઝિયમ, કનક ભવન, શ્રી રામ આશ્રમ, અશરફી ભવન, લક્ષ્મણ કિલ્લો વગેરે સ્થળોએ સાંજે 5 થી 11 વાગ્યા સુધી પ્રસારિત કરવામાં આવી રહ્યું છે. આ સિરીયલ જોવા માટે અહીંયા લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. તેથી અયોધ્યામાં હાલ દરેક જગ્યાએ રામાયણ સિરિયલનું જ સંગીત સંભળાઈ રહ્યું છે. જેના ગીતો સંગીતકાર રવિન્દ્ર જૈને કમ્પોઝ કર્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  Bhupendra Patel : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની બેઠક સંપન્ન થઇ

January 2, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ramayan will be aired again on tv amid adipurush controversy
મનોરંજન

‘આદિપુરુષ’ વિવાદ વચ્ચે ટીવી પર ફરી પ્રસારિત થશે ‘રામાયણ’, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો તમારી મનપસંદ સિરિયલ

by Zalak Parikh June 28, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

રામાનંદ સાગરના લોકપ્રિય શો ‘રામાયણ’ને 30 વર્ષથી વધુ સમય પૂરો થઈ ગયો છે, પરંતુ આજે પણ લોકો તેના દરેક પાત્રના ઘણા દ્રશ્યો યાદ કરે છે. આ શોમાં અરુણ ગોવિલ, દીપિકા ચિખલિયા, સુનીલ લાહિરી, દારા સિંહ અને અરવિંદ ત્રિવેદી મુખ્ય ભૂમિકામાં હતા. ‘રામાયણ’ મૂળ રૂપે 1987-88માં દૂરદર્શન પર પ્રસારિત કરવામાં આવી હતી. તેની લોકપ્રિયતા જોઈને પછીથી તેને અન્ય ચેનલો પર ફરીથી પ્રસારિત કરવામાં આવી. ‘આદિપુરુષ’ વિવાદને કારણે ફરી એકવાર ‘રામાયણ’ની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર યુઝર્સે રામાનંદ સાગરના શો સાથે સરખામણી કરીને ‘આદિપુરુષ’ના નિર્માતાઓને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. આ બધાની વચ્ચે ‘રામાયણ’ ફરીથી ટીવી પર બતાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Shemaroo TV (@shemaroo.tv)

શેમારુ ટીવી પર પ્રસારિત થશે રામાયણ 

‘રામાયણ’ ટૂંક સમયમાં ટીવી પર બતાવવામાં આવશે. શેમારૂ ટીવીએ જાહેરાત કરી છે કે પૌરાણિક શો ચેનલ પર 3જી જુલાઈથી સાંજે 7.30 વાગ્યે પ્રસારિત થશે. જો તમે પણ આ સિરિયલને મિસ કરી રહ્યાં હોવ અથવા જે યુવાનોએ હજુ સુધી આ સિરિયલ જોઈ નથી તેઓ જોઈ શકે છે.શૉની એક વીડિયો ક્લિપ શેર કરીને શેમારુએ સોશિયલ મીડિયા પેજ પર આ માહિતી આપી છે. પોસ્ટમાં લખ્યું છે, ‘અમે તમારા બધા પ્રિય દર્શકો માટે લાવી રહ્યા છીએ વિશ્વ વિખ્યાત પૌરાણિક ધારાવાહિક રામાયણ… રામાયણ જુઓ 3જી જુલાઈથી સાંજે 7:30 વાગ્યે ફક્ત તમારી મનપસંદ ચેનલ શેમારૂ ટીવી પર.’ પોસ્ટમાં, તે વિવિધ પ્લેટફોર્મ વિશે જણાવવામાં આવ્યું છે કે જેના પર શેમારૂ ટીવી ઉપલબ્ધ છે.

 

તમને જણાવી દઈએ કે પહેલા લોકડાઉન દરમિયાન લોકોની માંગ પર દૂરદર્શન પર ‘રામાયણ’ ફરી બતાવવામાં આવી હતી. તે સમયે તે મોટી સંખ્યામાં જોવા માં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : આદિપુરુષ સામેની અરજી પર અલ્હાબાદ હાઈકોર્ટ નું કડક વલણ, સેન્સર બોર્ડ અને ફિલ્મના નિર્માતા ને લગાવી ફટકાર

June 28, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
when doordarshan rejected ramanand sagar ramayana congress
મનોરંજન

દૂરદર્શન પર ‘રામાયણ’ પ્રસારિત થાય તેવું કોઈ ઈચ્છતું નહોતું, બે વર્ષ સુધી ઓફિસના ચક્કર લગાવતા રહ્યા રામાનંદ સાગર,પછી આવી રીતે મળી લીલી ઝંડી

by Zalak Parikh April 28, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

1976 ની વાત છે.રામાનંદ સાગરે ભગવાન રામ, ભગવાન કૃષ્ણ અને મા દુર્ગાની વાર્તાઓને ટીવી દ્વારા લોકો સુધી પહોંચાડવાનું નક્કી કર્યું.તે રામચરિત માનસ પર આધારિત સિરિયલથી તેની શરૂઆત કરવા માંગતા હતા.પરંતુ, તેમના ડ્રીમ પ્રોજેક્ટ ‘રામાયણ’ પર કામ કરતા પહેલા, રામાનંદ સાગરે એક પ્રયોગ તરીકે ‘વિક્રમ ઔર બેતાલ’ દ્વારા ભારતીય પૌરાણિક કથાઓ કહેવાનું શરૂ કર્યું.1985માં આવેલી આ ટીવી સિરીઝ ઘણી હિટ સાબિત થઈ હતી.આ સીરિયલની સફળતા બાદ જ રામાનંદ સાગરે પોતાના ડ્રીમ પ્રોજેક્ટની શરૂઆત કરી.પરંતુ, દૂરદર્શન કે તત્કાલીન કોંગ્રેસ સરકારને ‘રામાયણ’ પર સિરિયલ બનાવવાનો કોન્સેપ્ટ પસંદ આવ્યો ન હતો.

 

દૂરદર્શને રામાયણ ને પ્રસારિત કરવાનો કર્યો હતો ઇન્કાર 

રામાનંદ સાગરે પણ ‘રામાયણ’ના ત્રણ પાયલોટ એપિસોડનું નિર્માણ કર્યું હતું.પરંતુ, તેનું પ્રસારણ દૂરદર્શન પર શરૂ થઈ શક્યું ન હતું.લગભગ બે વર્ષ સુધી, રામાનંદ સાગર દૂરદર્શન અને માહિતી અને પ્રસારણ મંત્રાલયના ચક્કર લગાવતા રહ્યા.જોકે, દૂરદર્શને ‘રામાયણ’નો પહેલો પાયલોટ એપિસોડ જોયા બાદ તેને નકારી કાઢ્યો હતો.દૂરદર્શનનું માનવું હતું કે ‘રામાયણ’ના એપિસોડ જોયા પછી લોકો હંગામો મચાવશે.પરંતુ, રામાનંદ સાગરે હાર ન માની.તેણે દૂરદર્શન અનુસાર ‘રામાયણ’નો પહેલો એપિસોડ ફરીથી શૂટ કર્યો.જો કે, કેટલાક વધુ વાંધાઓ નોંધાવતા, દૂરદર્શને બીજા પાયલોટ એપિસોડને પણ નકારી કાઢ્યો.રામાનંદ સાગરે ફરી એપિસોડ બનાવ્યો.જોકે, દૂરદર્શને તેને ત્રીજી વખત પણ ફગાવી દીધો હતો.

 

રામાનંદ સાગરે હાર ના માની  

રામાનંદ સાગર નારાજ હતા.તેનો સમય અને પૈસા બંનેનો વ્યય થતો હતો.પરંતુ, તેણે હાર ન માની.દૂરદર્શનના સરકારી અધિકારીઓ પાસેથી જવાબ જાણવા તેઓ કલાકો સુધી મંડી હાઉસમાં ઊભા રહીને પોતાના વારાની રાહ જોતા હતા.’રામાયણ’ના ડાયલોગ્સને કારણે ઘણી વખત અધિકારીઓએ રામાનંદ સાગરનું અપમાન પણ કર્યું હતું.પરંતુ, રામાનંદ સાગરે ચાલુ રાખ્યું.છેવટે, ઘણા મહિનાઓની મહેનત પછી, દૂરદર્શન એક હદ સુધી ‘રામાયણ’નું પ્રસારણ કરવા સંમત થયું.જોકે, સરકાર હજુ પણ માનતી ન હતી. 

 

અજીત કુમાર પંજા ને કારણે પ્રસારિત થઇ હતી રામાયણ 

1986 માં, અજીત કુમાર પંજાએ ભારતના નવા ‘માહિતી અને પ્રસારણ મંત્રી’ તરીકેનો કાર્યભાર સંભાળ્યો.અજીત કુમાર પંજાના પ્રયાસોને કારણે ‘રામાયણ’ પ્રસારિત થઈ શકી.આ સીરિયલ એટલી સફળ થઈ કે લોકો તેના એક એપિસોડ જોવા માટે પોતાનું તમામ કામ છોડી દેતા હતા.દેશના રસ્તાઓ રવિવારની સવારે નિર્જન થઈ જતા હતા.જણાવી દઈએ કે, રામાનંદ સાગરના પુત્ર પ્રેમ સાગરે પણ તેમના પુસ્તક એન એપિક લાઈફઃ રામાનંદ સાગર ફ્રોમ બરસાત ટુ રામાયણમાં આ બધી બાબતોનો ઉલ્લેખ કર્યો છે.

April 28, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

શેમારૂ એન્ટરટેઈનમેન્ટ ની નવી ચેનલ શેમારૂ ઉમંગ પર જુઓ કિસ્મત કી લકીરો સે જેમાં છે ભાગ્ય, બલિદાન અને પ્રેમની રસપ્રદ વાર્તા-જાણો ક્યારે અને કેટલા વાગ્યે થશે પ્રસારિત

by Dr. Mayur Parikh September 5, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

શેમારૂ એન્ટરટેઈનમેન્ટની નવી ચેનલ શેમારૂ ઉમંગે(Shemaroo Umang) તેનો પહેલો ઓરિજિનલ શો 'કિસ્મત કી લકીરો સે' લોન્ચ કર્યો છે. હિન્દી ભાષા પર આધારિત, 'કિસ્મત કી લકીરો સે' (Kismat ki lakiron se)માં ભાગ્ય, બલિદાન અને પ્રેમની રસપ્રદ વાર્તા જોવા મળશે.આ શો 5 સપ્ટેમ્બર એટલે કે આજથી દર સોમવારથી શનિવાર રાત્રે 8 વાગ્યે શેમારૂ ઉમંગ પર પ્રસારિત થશે.

આ શો દર્શકોને રોજિંદા કૌટુંબિક ઉતાર-ચઢાવમાંથી એક રોમાંચક પ્રવાસ પર લઈ જશે, જે આખરે એક સુંદર સંબંધમાં ફેરવાય છે. એટલું જ નહીં, આ શોમાં બે બહેનોના (two sisters)વિરોધાભાસી વ્યક્તિત્વને પણ સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે, જેમાંથી એક બહેન ખૂબ જ નમ્ર, દયાળુ, સંભાળ રાખનારી અને પરિવાર પ્રત્યે સમર્પિત છે, જ્યારે બીજી બહેન મનમૌજી, સ્વતંત્ર અને આધુનિક છે. આ બહેનોના જીવનમાં ઉતાર-ચઢાવ અને તેમના ભાગ્ય માં શું લખાયેલ છે તે જાણવા માટે શો જોવાનું ચૂકશો નહીં.શોના મુખ્ય કલાકારોમાં અભિનેતા વરુણ શર્માનો સમાવેશ થાય છે, જેણે ‘સસુરાલ સિમર કા’, અને ‘ભાગ્યલક્ષ્મી’ જેવા શોથી ખૂબ લોકપ્રિયતા મેળવી છે. બીજી તરફ ‘પવિત્ર ભરોસા કા સફર’માં પવિત્રાનું મુખ્ય પાત્ર ભજવતી અભિનેત્રી શૈલી પ્રિયા, સ્પ્લિટ્સવિલા-9ના અભિષેક પઠાનિયા અને સુમતિ સિંહ, જે ‘રૂપ મર્દ કા નયા સ્વરૂપ’ અને ‘અમ્મા કે બાબુ કી બેબી’માં તેની ભૂમિકાઓ માટે જાણીતી છે.તેઓ પણ લીડ રોલમાં જોવા મળશે. 

આ સમાચાર પણ વાંચો : અનુપમા ના ફેન્સ માટે ખરાબ સમાચાર-પારસ કલનાવત પછી કિંજૂ બેબી એ નહિ આ અભિનેત્રીએ રાતોરાત છોડી દીધો શો-પોતે જ જણાવ્યું કારણ

શેમારૂ ઉમંગ આ વર્ષે એપ્રિલમાં લોન્ચ (launch)કરવામાં આવી છે. શેમારૂ ઉમંગનું પ્રસારણ તમામ મુખ્ય કેબલ નેટવર્ક અને ડીડી ફ્રી ડીશ પર થાય છે.

September 5, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

દેવીઓ અને સજ્જનો થઈ જાઓ તૈયાર, ‘કૌન બનેગા કરોડપતિ’નું સમયપત્રક બહાર પડ્યું; જાણો કેટલા વાગ્યે અને ક્યારે ટીવી પર આવશે KBC-13

by Dr. Mayur Parikh August 11, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 11 ઑગસ્ટ, 2021

બુધવાર

દરેક વ્યક્તિ ટીવી ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ'ની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. દરેક વ્યક્તિ આમાં પોતાનું નસીબ અજમાવે છે. એની પાછળનું કારણ માત્ર મોટી કમાણી જ નથી, પણ લોકો અમિતાભ બચ્ચનને નજીકથી મળવા માગે છે, તો દર્શકોની રાહ હવે પૂરી થઈ છે. 'કૌન બનેગા કરોડપતિ 13' સોની ટીવી પર 23 ઑગસ્ટથી પ્રસારિત થશે. KBC–13 અઠવાડિયામાં પાંચ દિવસ એટલે કે સોમવારથી શુક્રવારે રાત્રે 9 વાગ્યે પ્રસારિત થશે. સોની એન્ટરટેઇન્મેન્ટ ટેલિવિઝને એના સોશિયલ મીડિયા હૅન્ડલ પર પ્રોમો શૅર કરીને આ તમામ માહિતી આપી છે.

વેબ સિરીઝ ‘સ્કૅમ ૧૯૯૨’થી આવ્યો પ્રતીક ગાંધીના કરિયરમાં નવો વળાંક, આ મોટા પ્રોડક્શને પ્રતીકને સાઇન કર્યો તેની આગલી ફિલ્મમાં; જાણો વિગત

'કૌન બનેગા કરોડપતિ'નો નવો પ્રોમો અનોખી રીતે રિલીઝ કરવામાં આવ્યો છે. પ્રોમોનો જે ભાગ શૅર કરવામાં આવ્યો છે એ એનો ત્રીજો ભાગ છે. આને શૅર કરતાં, કેપ્શનમાં લખ્યું છે કે ભાગ એક અને બે પર જબરદસ્ત પ્રતિસાદ બદલ આભાર. હવે અમે તમારા માટે ભાગ ત્રીજાની સુંદર શ્રેણી શૅર કરી રહ્યા છીએ! ઉલ્લેખનીય છે કે KBC–13નો પ્રોમો ફિલ્મી ફૉર્મેટ જેવો બનાવવામાં આવ્યો છે. લાંબા ફૉર્મેટની ફિલ્મનો ખ્યાલ ફિલ્મ નિર્માતા નિતેશ તિવારીએ લીધો છે. તે નિતેશ તિવારી દ્વારા લખાયેલ અને નિર્દેશિત છે. આ ફિલ્મનું શીર્ષક 'સમ્માન' છે.

August 11, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક