• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - train service
Tag:

train service

Festival Special Trains તહેવારોની સિઝનમાં મુસાફરોની 'રેલ'ની 'રેલચેલ
દેશ

Festival Special Trains: તહેવારોની સિઝનમાં મુસાફરોની ‘રેલ’ની ‘રેલચેલ’; મધ્ય રેલવે દોડાવશે આટલી સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેન, જાણો સંપૂર્ણ માહિતી

by Dr. Mayur Parikh September 8, 2025
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai
Festival Special Trains દિવાળી અને છઠ પૂજા જેવા તહેવારો દરમિયાન મુસાફરોની ભીડને નિયંત્રિત કરવા માટે, મધ્ય રેલવેએ કુલ 944 આરક્ષિત અને બિન-આરક્ષિત વિશેષ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેનો મુંબઈ, પુણે, કોલ્હાપુર અને નાગપુર જેવા મુખ્ય વિભાગોમાંથી કોલ્હાપુર અને સાવંતવાડી સહિત દક્ષિણ અને ઉત્તર ભારતના વિવિધ શહેરોમાં જશે. આ સુવિધાનો લાભ તિરુવનંતપુરમ, હઝરત નિઝામુદ્દીન, સાંગાનેર, ગોરખપુર, કલબુર્ગી અને દાનાપુર જેવા સ્થળોએ મુસાફરી કરતા મુસાફરોને મળશે. આ ટ્રેનોમાં એર-કન્ડિશન્ડ, સ્લીપર અને બિન-આરક્ષિત મિશ્ર કોચ હશે.

તહેવારોની સિઝનમાં મુસાફરોની સુવિધા માટેનું આયોજન

આ વર્ષે 18 ઓક્ટોબરે ધનતેરસ અને 22 ઓક્ટોબરથી છઠ પૂજા શરૂ થશે. રેલવેના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા મુજબ, વર્ષના 300થી 320 દિવસોમાં ભારતના વિવિધ ભાગોમાંથી મોટી સંખ્યામાં લોકો કામ માટે મુંબઈ, પુણે અને નાગપુર જેવા શહેરોમાં આવે છે. તહેવારો દરમિયાન આ મુસાફરો તેમના વતન પાછા જાય છે, તેથી લગભગ 30 થી 40 દિવસના આ સમયગાળામાં વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગયા વર્ષે પણ ભારતીય રેલવેએ આ સમયગાળામાં કુલ 4,521 સેવાઓ ચલાવી હતી.

મુસાફરોની સલામતી માટે વિશેષ વ્યવસ્થા

મુસાફરોની સલામતી અને સગવડતા માટે રેલવે પ્રશાસન દ્વારા કેટલાક વિશેષ ઉપાયો કરવામાં આવ્યા છે. મુખ્ય સ્ટેશનો પર મુસાફરોને માર્ગદર્શન આપવા માટે ‘મે આઈ હેલ્પ યુ’ બૂથ સ્થાપિત કરવામાં આવશે. સ્ટેશનો પર ટિકિટ કાઉન્ટરોની સંખ્યા વધારવામાં આવશે. એલટીટી અને સીએસએમટી જેવા મુખ્ય સ્ટેશનો પર મુસાફરો માટે ‘હોલ્ડિંગ એરિયા’ બનાવવામાં આવશે. આ ઉપરાંત, વધારાના આરપીએફ કર્મચારીઓ અને ટિકિટ તપાસનીશોને પણ તૈનાત કરવામાં આવશે જેથી ભીડને નિયંત્રિત કરી શકાય.

આ સમાચાર પણ વાંચો : Apple: એપલ પ્રેમીઓ માટે સારા સમાચાર, આ તારીખે લોન્ચ થશે આઇફોન 17 સીરીઝ

26 સપ્ટેમ્બરથી 29 નવેમ્બર સુધી ચાલશે ટ્રેનો

મધ્ય રેલવેએ આ વર્ષની દિવાળી અને છઠ પૂજા માટે 26 સપ્ટેમ્બરથી 29 નવેમ્બર સુધી વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનો મુંબઈ સહિત ભારતના વિવિધ ભાગોમાં જશે. મહારાષ્ટ્રના લાતૂર, સાવંતવાડી રોડ, નાગપુર, પુણે, કોલ્હાપુર અને નાંદેડ જેવા સ્થળોએ જનારા મુસાફરો માટે પણ ઉત્સવ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે. દક્ષિણ તરફ જનારા મુસાફરો માટે કરીમનગર, કોચુવેલી, કાઝીપેટ, બેંગલુરુ અને અન્ય સ્થળો માટે પણ વિશેષ ટ્રેનોનું આયોજન કરવામાં આવ્યું છે.

September 8, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Western Railway to Run Superfast Special Train Between Ahmedabad and Bandra Terminus
અમદાવાદ

Ahmedabad to Bandra: પશ્ચિમ રેલ્વે અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવશે

by Akash Rajbhar January 24, 2025
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai 

Ahmedabad to Bandra: પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે અને મુસાફરોના વધારાના ધસારાને ધ્યાનમાં રાખીને મુસાફરીની માંગને પહોંચી વળવા માટે અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ સ્ટેશનો વચ્ચે ખાસ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે.આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:-

* ટ્રેન નં. 09462/09461 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ (૨ ટ્રિપ)

ટ્રેન નં. 09462 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 24 જાન્યુઆરી, 2025, શુક્રવારના રોજ અમદાવાદથી 20.00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 04.20 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09461 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ 25 જાન્યુઆરી, 2025, શનિવારના રોજ બાંદ્રા ટર્મિનસથી 05:35 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 13:45 વાગ્યે અમદાવાદ પહોંચશે.

આ સમાચાર પણ વાંચો : Road Under Bridge: માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ડી-કેબિન ખાતે નવનિર્મિત રોડ અંડર બ્રિજનું ઉદ્ઘાટન કર્યું.

આ ટ્રેન બંને દિશામાં વડોદરા, ઉધના, વલસાડ, વાપી, દહાણુ રોડ અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ હશે.

ટ્રેન નંબર 09462 અને 09461 માટે બુકિંગ ૨૨ જાન્યુઆરી, ૨૦૨૫ થી બધા પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને રચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

January 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Western Railway to run special between Ahmedabad and Tiruchirappalli
અમદાવાદ

Western Railway: પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને તિરુચિરાપલ્લી ની વચ્ચે વિશેષ નું સંચાલન

by khushali ladva December 28, 2024
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

Western Railway: ટ્રેન નંબર 09419/09420 અમદાવાદ–તિરુચિરાપલ્લી-અમદાવાદ સ્પેશિયલ. ટ્રેન નંબર 09419 અમદાવાદ-તિરુચિરાપલ્લી સ્પેશિયલ 02 જાન્યુઆરી 2025 થી આગળની સૂચના સુધી દર ગુરુવારે અમદાવાદથી 09:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે (શનિવારે) 03:45 કલાકે તિરુચિરાપલ્લી પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09420 તિરુચિરાપલ્લી-અમદાવાદ સ્પેશિયલ, 05 જાન્યુઆરી, 2025 થી આગળની સૂચના સુધી દર રવિવારે તિરુચિરાપલ્લીથી 05:40 કલાકે ઉપડશે અને બીજા દિવસે (સોમવારે) 21:15 કલાકે અમદાવાદ પહોંચશે.

આ સમાચાર પણ વાંચો:  01 જાન્યુઆરી 2025થી અમદાવાદ ડિવિઝન પર નવું ટાઈમ ટેબલ લાગુ

માર્ગમાં બંને દિશાઓ માં, આ ટ્રેન વડોદરા, સુરત, વલસાડ, વાપી, વસઈ રોડ, કલ્યાણ, પુણે, સોલાપુર, કલબુરગી, વાડી, રાયચુર, મંત્રાલયમ, ગુંટાકલ, તાડીપત્રી, કડપા , રેણીગુંટા, અરાકોણમ, પેરમ્બુર, ચેન્નાઈ એગમોર, તાંબરમ, ચેંગલપટ્ટુ, વિલ્લુપુરમ, કડલુર પોર્ટ, ચિદમ્બરમ, શિરકાશી, વૈદ્દીશ્વરનકોઈલ, મઈલાડુતુરૈ, કુંભકોણમ,પાપનાશમ અને તંજાવુર સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

ટ્રેન નંબર 09419/09420 અમદાવાદ-તિરુચિરાપલ્લી-અમદાવાદ સ્પેશિયલટ્રેન નંબર 09419 નું બુકિંગ 29 ડિસેમ્બર 2024 થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઇઆરસીટીસી વેબસાઇટ પરશરુ થશે. ટ્રેનના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

December 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
CR’s new Digha station likely to open in april
મુંબઈ

લાંબા ઈંતજારનો આવશે અંત.. ઉરનના લોકોને મળશે લોકલ ટ્રેનનો લાભ, આ મહિના સુધીમાં શરૂ થઇ શકે છે ટ્રેન સેવા..

by Dr. Mayur Parikh March 14, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

છેલ્લા 25 વર્ષથી રાહ જોઈ રહેલી ઉરણ લોકલ હવે ટૂંક સમયમાં સમયમાં જ શરૂ થશે એવા સંકેત મળી રહ્યા છે. ગત ગુરુવારે મધ્યરાત્રિની આસપાસ ખારકોપર અને ઉરણ વચ્ચે લોકલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ગુરુવારે બપોરે 2:00 વાગ્યે અને શુક્રવારે બપોરે 1:00 વાગ્યે એક પરીક્ષણ ટ્રેન ઉરણ સ્ટેશન પર પહોંચી હતી.

ખારકોપર અને ઉરણ વચ્ચેની સિગ્નલિંગ સિસ્ટમનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું છે અને એક ઇન્સ્પેક્શન કાર અને બોય રેગ્યુલેટીંગ મશીન ઉરણ સ્ટેશનમાં પ્રવેશ્યું છે. ઉરણ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મની સફાઈ શરૂ કરવામાં આવી છે.

મુંબઈથી એક કલાકના અંતરે આવેલ ઉરણ બે દાયકા કરતા વધુ સમયથી લોકલની રાહ જોઈ રહ્યું છે. નવી મુંબઈના વિકાસ બાદ ઉરણમાં લોકલ આવશે તેવી અપેક્ષા હતી. જોકે, વનવિભાગની મેન્ગ્રોવની સમસ્યાના કારણે આ વિસ્તારમાં ટ્રેન સેવા ઘણા વર્ષોથી ઠપ હતી. આ કારણે ઉરણથી નવી મુંબઈ જવા માટે એસટી, એનએમએમટી, ખાનગી વાહનો દ્વારા મુસાફરી કરવી પડે છે અને રસ્તા પર ખાડા અને જામનો સામનો કરવો પડે છે. જોકે હવે ઉરણ અને દ્રોણાગિરી રેલવે સ્ટેશનનું કામ ઝડપી કરવામાં આવ્યું છે અને માર્ચના અંત સુધીમાં સેવા શરૂ થવાની સંભાવના છે.

આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો : પદાધિકારીઓની સાથે શહેરની શાખા પણ શિંદેની શિવસેનાની થઈ.

ઉલ્લેખનીય છે કે નવી મુંબઈમાં સીએસટીથી પનવેલ સુધીની હાર્બર રેલ્વે ચાલી રહી છે. મુંબઈને શરૂઆતમાં નવી મુંબઈ સાથે જોડવામાં આવ્યા પછી, થાણે-વાશી ટ્રાન્સ-હાર્બર રૂટ શરૂ કરવામાં આવ્યો. નેરુલ-ઉરણ રેલ્વે પછી ઉરણને નવી મુંબઈ અને મુંબઈ સાથે જોડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાસ્તવમાં આ રેલ્વે લાઇનના નિર્માણની જાહેરાત 1997માં કરવામાં આવી હતી. ત્યારે આ રૂટની સમયમર્યાદા 2004 સુધી નક્કી કરવામાં આવી હતી. પરંતુ વાસ્તવમાં આ કામ 2012માં શરૂ થયું હતું. આ 27 કિમી લાંબી રેલવે લાઇનનું નિર્માણ સિડકો અને રેલ્વે ભાગીદાર તરીકે કરવામાં આવી રહ્યું છે. સિડકો અને રેલવેની ભાગીદારી અનુક્રમે 77 ટકા અને 23 ટકા છે. નેરુલ-ઉરણ રેલ્વે લાઇન પર કુલ દસ સ્ટેશન છે અને આ સમગ્ર પ્રોજેક્ટના નિર્માણનો ખર્ચ લગભગ બે હજાર કરોડ રૂપિયા છે.

March 14, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

સોમવારથી વેસ્ટર્ન રેલવેમાં ઠંડા ઠંડા કૂલ કૂલ- એસી લોકલના આઠ ફેરા વધશે- જાણો ટાઈમ ટેબલ અહીં

by Dr. Mayur Parikh August 5, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

પ્રવાસીઓની(Passengers) માગણીને ધ્યાનમાં રાખીને વેસ્ટર્ન રેલવેએ(Western Railway) સોમવાર, 8 ઓગસ્ટથી એસી લોકલની(AC local) આઠ સર્વિસ વધારવાનો નિર્ણય લીધો છે. હાલ વેસ્ટર્ન રેલવેમાં રોજની એસી ટ્રેનની(AC train) 40 સર્વિસ હોય છે. તો રવિવારના 32 સર્વિસ હોય છે.

રેલવેના અધિકારીના(Railway Officer) કહેવા મુજબ વેસ્ટર્ન રેલવેમાં પાંચમી રેકનું આગમન થયું છે, તેને કારણે એસીની આઠ વધારાની સર્વિસ ઉપલબ્ધ થશે. આ સર્વિસ સવારના પીક અવર્સમાં(peak hours) રહેશે.

એસી સર્વિસ સવારના વિરારથી 7.30 વાગે અને બોરીવલીથી સવારના 9.48 વાગે ઉપલબ્ધ થશે. તો સાંજના પીક અવર્સમાં  એક સર્વિસ ચર્ચગેટથી સાંજના 6.35 વાગે ઉપડશે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈવાસીઓ સાવધાન- આ બે વિસ્તારમાં સ્વાઈન ફ્લૂના દર્દીઓ વધ્યા- સ્થાનિક લોકો ચેતજો

એસી લોકલની ટિકિટના(Train ticket) દરમાં 50 ટકાનો ઘટાડો કર્યા બાદ મે મહિનાથી એસી ટ્રેનમાં પ્રવાસ કરનારાઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. જુલાઈમાં પ્રતિદિન એસી લોકલમાં પ્રવાસ કરનારાઓની સંખ્યા 46,800 હતી. એપ્રિલમાં આ જ સંખ્યા 22,000 હતી. એસી લોકલનું પ્રતિ પાંચ કિલોમીટરનું મિનિમમ ભાડું 35 રૂપિયા છે

August 5, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક