News Continuous Bureau | Mumbai
Lalbaugcha Raja Visarjan 2024: મુંબઈના આરાધ્ય દેવ એવા લાલગાબાના રાજાને ભક્તોએ ભીની આંખે વિદાય આપી છે. છેલ્લી આરતી કરીને, ભક્તોએ ‘ગણપતિ બાપ્પા મોર્યા, અગલે બરસ તું જલ્દી આ’ નારા સાથે લાલગાબાના રાજાને વિદાય આપી. રાજાને વિદાય આપતી વખતે ભક્તોની આંખોમાં આંસુ આવી ગયા. ભક્તોએ આખરે ભારે હૈયે રાજાને તરાપા પર બેસાડીને પોતાના પ્રિય રાજાને વિદાય આપી છે. ગઈકાલે સવારે લાલબાગના રાજાની મંડપમાંથી વિદાયયાત્રા કાઢવામાં આવી હતી. જે બાદ આખરે ભક્તોએ પોતાના પ્રિય બાપ્પાને વિદાય આપી છે. લાલગાબાના રાજાની સાથે અન્ય ગણેશની મૂર્તિઓ પણ ગિરગાંવ ચૌપાટીમાં પ્રવેશી હતી.
#AnanbhaiAmbani graces the grand visarjan of Lalbaug Cha Raja 🙏 celebrates a vibrant tradition with devotion 🌺✨ pic.twitter.com/3e8Qou4uZv
— Bollywood World (@bwoodworld) September 18, 2024
અનંત અંબાણીએ પણ રાજાના વિસર્જન સમારોહમાં ભાગ લીધો
લાખો ભક્તો તેમના પ્રિય બાપ્પાને વિદાય આપવા માટે ગિરગાંવ ચોપાટી પર આવ્યા હતા. અનંત અંબાણીએ પણ રાજાના વિસર્જન સમારોહમાં ભાગ લીધો હતો. તેમના પ્રિય બાપ્પાના અંતિમ દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ગિરગાંવ ચોપાટી પર વિસર્જન પહેલાં, લાલ બાગના રાજાની આરતી કરવામાં આવી હતી. આ સમયે ગિરગાંવ ચોપાટી પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.
VIDEO | Anant Ambani, non-executive director, Reliance Industries, participates in 'visarjan' of Lalbaugcha Raja Ganesh idol at Mumbai's Girgaon Chowpatty. #GaneshUtsav2024 #MumbaiNews #lalbaugcharaja2024
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/wzj7RCjqOm
— Press Trust of India (@PTI_News) September 18, 2024
ભક્તોએ ભીની આંખે આપી વિદાય
રાજા ગિરગાંવ ચોપાટીમાં પ્રવેશ્યા પછી આરતી કરવામાં આવી હતી. ત્યારપછી લાલબાગના રાજાને વિદાય આપવા અહીંથી કોળી ભાઈઓની ઘણી બોટ દરિયામાં ગઈ હતી. લાલબાગના રાજાને વિદાય આપતી વખતે કાર્યકરો અને ગણેશ ભક્તો ભાવુક થયા હોવાનું જોવા મળ્યું હતું. ભક્તોએ લાલબાગના રાજાને તરાપા પર બેસાડીને વિસર્જન કર્યું હતું. રાફ્ટ પર 5 સ્કુબા ડાઇવર્સ હતા. જેમના દ્વારા હાઇડ્રોલિક ક્રેન્સ દ્વારા લાલબાગના રાજાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ સમયે દરેક ભક્તોની આંખો ભીની થઇ ગઈ હતી. ગણપતિ બાપ્પા મોરયા આવતા વર્ષે વહેલા આવો, લાલબાગના રાજાનો વિજય થાય એવા નારા લગાવીને ભક્તોએ તેમના પ્રિય રાજાને વિદાય આપી.
Final glimpse of Lalbaug Cha Raja 2024 ✨🙌🙏
.#wassupmumbai #lalbaughcharaja #visarjan #mumbai pic.twitter.com/eWF8reDMJF— Wassup Mumbai (@Wassup_Mumbai) September 18, 2024
અનેક ગણેશ મંડળોના ગણપતિનું વિસર્જન બાકી
લાલબાગના રાજાની સાથે ચિંચપોકલીના ચિંતામણી પણ ગિરગાંવ ચોપાટીમાં પ્રવેશ્યા. ચિંતામણીને પણ ભક્તોએ વિદાય આપી છે. ચિંતામણી નું વિસર્જન ગત રાત્રે જ થવાનું હતું, પરંતુ ગત રાત્રે 11 વાગ્યાના અરસામાં દરિયામાં ભારે ભરતી આવી ગઈ હતી. જેના કારણે ગણેશ મંડળો છેલ્લા કેટલાક સમયથી ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરી શક્યા ન હતા. આથી હજુ અનેક ગણેશ મંડળોના ગણપતિનું વિસર્જન બાકી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)