News Continuous Bureau | Mumbai
Shardiya Navratri 2024 : માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેનો 9 દિવસીય ઉત્સવ એટલે કે નવરાત્રી (navratri) નો પ્રારંભ આજથી થઇ ગયો છે. નવરાત્રિને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે નવરાત્રીનો સાતમો દિવસ છે એટલે કે આજે સાતમું નોરતું છે. આજના આ પાવન દિવસે મુંબઈમાં બિરાજમાન માતા મહાલક્ષ્મી ના ઘરે બેઠા જ દર્શન કરવાનો લહાવો લ્યો.
Shardiya Navratri 2024 : માતા મહાલક્ષ્મી મંદિર ઘરે બેઠા જ દર્શન કરવાનો લહાવો લ્યો
Shardiya Navratri 2024 લાખો લોકો માટે આસ્થાનું મુખ્ય કેન્દ્ર
મહાલક્ષ્મી મંદિર મુંબઈના સૌથી પ્રાચીન ધાર્મિક સ્થળોમાંનું એક છે. દરિયા કિનારે બી. દેસાઈ માર્ગ પર આવેલું આ મંદિર ખૂબ જ સુંદર, આકર્ષક અને લાખો લોકો માટે આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. આ મંદિર 1831માં હિન્દુ વેપારી ધાકજી દાદાજીએ બનાવ્યું હતું. નવરાત્રી દરમિયાન આ મંદિર વિશેષ રીતે શણગારવામાં આવે છે અને આ દરમિયાન મંદિરમાં ભક્તોની અત્યંત ભીડ જોવા મળે છે.
Shardiya Navratri 2024 : મંદિરમાં છે મહાલક્ષ્મી, મહાકાળી અને મહાસરસ્વતીની મૂર્તિઓ
માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. ઘર અને વેપારમાં સુખ-સમૃદ્ધિ લાવવા માટે મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. મહાલક્ષ્મી મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પર સુંદર કોતરણી કરવામાં આવી છે. મંદિરમાં મહાલક્ષ્મી, મહાકાળી અને મહાસરસ્વતીની મૂર્તિઓ છે. આ ત્રણેય મૂર્તિઓ નાકની ચૂની, સોનાની બંગડીઓ અને મોતીની માળાઓ ધરાવે છે. મહાલક્ષ્મીની મૂર્તિ હથેળીમાં કમળ ધરાવે છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)