News Continuous Bureau | Mumbai
Western Railways: 16 જાન્યુઆરી 2025 થી યોગા એક્સપ્રેસ ટ્રેનના ટર્મિનલ સ્ટેશનમાં ફેરફાર
અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ અમદાવાદને બદલે સાબરમતીથી ચાલશે.
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ સ્ટેશનને કાયાકલ્પ કરવામાં આવી રહયું છે અને આને વિશ્વસ્તરીય સ્ટેશન તરીકે પુનઃવિકસિત કરવામાં આવી રહ્યું છે. પુનઃવિકાસના કામને ઝડપી બનાવવા ઉદ્દેશ્ય થી અમદાબાદ રેલવે સ્ટેશન થી પ્રસ્થાન/આગમન કરનાર ટ્રેન નંબર 19031/19032 અમદાવાદ-યોગનગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ ના ટર્મિનલ સ્ટેશનને અમદાવાદ થી સાબરમતી (ધરમનગર બાજુ) માં બદલવામાં આવી રહ્યું છે. જેની વિગતો નીચે મુજબ છે.
આ સમાચાર પણ વાંચો : BIS Quiz Competition : બીઆઈએસની ક્વિઝ કોમ્પિટિશન માં અમદાવાદની બે વિજેતા વિદ્યાર્થિનીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એનાયત કર્યો એવોર્ડ
• 16 જાન્યુઆરી 2025 થી આગળની સૂચના સુધી ટ્રેન નંબર 19031 અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ અમદાવાદ ને બદલે સાબરમતી થી 11:25 કલાકે ઉપડશે.
• 17 જાન્યુઆરી 2025 થી આગળની સૂચના સુધી ઋષિકેશ ચાલતી ટ્રેન નંબર 19032 યોગ નગરી ઋષિકેશ – અમદાવાદ યોગા એક્સપ્રેસ અમદાવાદ ને બદલે સાબરમતી સ્ટેશન પર 15:20 કલાકે ટર્મિનેટ (સમાપ્ત) થશે અને અમદાવાદ સ્ટેશન પર જશે નહીં.
મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી કરવામાં આવે છે. ટ્રેનોના રોકાણ, સંરચના, માર્ગ અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.