News Continuous Bureau | Mumbai
Mohsin Naqvi પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ મોહસિન નકવીએ ભારતની માફી માંગી લીધી છે. તેમણે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ની બેઠકમાં કહ્યું કે, “આપણે હવે નવી શરૂઆત કરવી જોઈએ.” નકવી એશિયા કપ ૨૦૨૫ના ફાઇનલ મેચ પછી ટ્રોફી પોતાની સાથે લઈને જતા રહ્યા હતા. ભારતે આ મુકાબલામાં પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી હતી. નકવી અત્યાર સુધી અકડ બતાવી રહ્યા હતા, પરંતુ હવે નમ્યા છે. તેમણે ટ્રોફી પરત કરવાને લઈને પણ પ્રતિક્રિયા આપી છે.
આ સમાચાર પણ વાંચો: UPI Security: સાયબર ગુનેગારો હવે નહીં કરી શકે છેતરપિંડી! યુપીઆઇ પર બંધ થયો આ વિકલ્પ
નકવીએ ટ્રોફી પર શું કહ્યું?
મીડિયા રિપોર્ટ મુજબ નકવીએ એસીસીની બેઠકમાં કહ્યું, “જે થયું તે ન થવું જોઈતું હતું, પરંતુ હવે આપણે નવી પહેલ કરવી જોઈએ. સૂર્યકુમાર યાદવ પોતે આવીને ટ્રોફી લઈ જાય.”ભૂતપૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદે કહ્યું, “માફી માંગી રહ્યા છે કે નથી માંગી રહ્યા, તે અલગ વાત છે. ટ્રોફી તેમની વ્યક્તિગત સંપત્તિ ન હતી, તે લઈ કેવી રીતે ગયા? આ તો એવું થઈ ગયું કે આઉટ થઈ ગયા તો બેટ અને બોલ લઈને જતા રહ્યા.”