વાહન ચાલકો માટે મોટા સમાચાર – ભારતે તમામ પેસેન્જર કાર માટે છ એરબેગ ફરજિયાત બનાવી- તારીખથી આવશે અમલમાં 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય પરિવહન મંત્રી(Union Transport Minister) નીતિન ગડકરી(Nitin Gadkari)એ કારમાં એરબેગને લઈને મોટું એલાન કર્યું છે.

ભારતે તમામ પેસેન્જર કાર માટે છ એરબેગ(6 airbags) ફરજિયાત બનાવી છે. આ નિર્ણય 1 ઓક્ટોબર, 2023થી અમલમાં આવશે. 

ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રી(Businessman Cyrus Mistry)ના અવસાન બાદ માર્ગ સુરક્ષાની ચિંતામાં વધારો થયા બાદ આ જાહેરાત કરવામાં આવી છે. 

આ નિર્ણયના કારણે સૌથી વધારે રાહત કાર કંપનીઓને મળશે.

કારણ કે ઓટો ઈન્ડસ્ટ્રીએ સપ્લાય ચેન સમસ્યાનો સામનો કરવો પડી હતો.

ઉલ્લેખનીય છે કે  આ પહેલા રોડ પરિવહન મંત્રાલયે તેને 1 ઓક્ટોબર, 2022થી 6 એરબેજ ફરજીયાત કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. 

આ સમાચાર પણ વાંચો : નારાયણ રાણે બાદ ભાજપના આ બીજા મોટા નેતાને ગેરકાયદે બાંધકામને લઈને ફટકો- બોમ્બે કોર્ટે આટલા મહિનામાં તોડી પાડવાનો આપ્યો આદેશ

You may also like

Leave a Comment