Site icon

શું મુંબઈનું હીરા બજાર હવે સુરત જશે? અનેક લોકો પહેલેથી જતા રહ્યા અને હવે વધુ લોકો જવાની વાત કરી રહ્યા છે. શું છે તથ્ય?

ન્યુઝ કંટીન્યૂઝ

મુંબઈ, 1 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

મુંબઈ શહેરના હીરા બજારની ચમક હવે ધીમે-ધીમે ઓછી થઈ રહી છે. ઓપેરા હાઉસ વિસ્તારમાં પંચરત્ન આ ઈમારતને માત્ર ભારત નહીં પરંતુ વિશ્વનું અગ્રગણ્ય હીરાનું વેપાર કેન્દ્ર માનવામાં આવતું હતું. પંચરત્નમાં સેંકડો અને હજારો ની સંખ્યામાં લોકો રોજગારી મેળવતા હતા અને અહીંથી અનેક લોકોએ કરોડો રૂપિયા કમાયા. હવે આ બજાર બાંદરા કુર્લા કોમ્પલેક્સ માં શિફ્ટ થઈ ગયું છે. અહીં ડાયમંડ બુર્સમાં સેંકડો અને હજારો લોકો વેપાર કરે છે. પરંતુ કદાચ આ જગ્યા પર વેપારીઓ વધુ સમય નહીં ટકે. 


આનું પ્રમુખ કારણ છે સુરતનો વધી રહેલો વેપાર. સુરતમાં ડાયમંડ બજાર હવે જોરમાં છે.ઉત્તર મુંબઈ ડાયમંડ એસોસિએશનના ઉપાધ્યક્ષ રાજેશભાઈએ ન્યુઝ કંટીન્યૂઝ અને જણાવ્યું કે અનેક ફેક્ટરી માલિકો તેમજ ટ્રેડરો સુરત જતા રહ્યા છે. શક્ય છે કે આવનાર દિવસમાં વધુ લોકો સુરત જતા રહે. આ પરિસ્થિતિમાં મુંબઈ નો વેપાર પહેલા કરતા ઓછો થશે પરંતુ મુંબઈની ચમક કરી જવાની નથી.
ઉલ્લેખનીય છે કે અનેક સૌરાષ્ટ્રવાસીઓ સુરત જવાની તરફેણમાં છે કારણ કે તેઓ પાસે સુરતમાં ઓફિસ અને જમીન છે. આ ઉપરાંત તેઓ પોતાના ગામ સાથે જોડાયેલા રહે છે. આ પરિસ્થિતિમાં હવે જોવાનું એ રહે છે કે વેપારીઓ કેટલા ઝડપથી અને કેટલી સંખ્યામાં શિફ્ટ થાય છે.

Relief from Inflation: વિશ્વભરમાં તેલના ભાવ ઘટવાના સંકેત: ફસાયેલું ઈરાની તેલ બજારમાં આવતા મચશે ધૂમ; ભારત સહિત અનેક દેશોને થશે મોટો ફાયદો
Banking Rules Change: બદલાઈ ગયા ATM ટ્રાન્ઝેક્શનના નિયમો; HDFC થી લઈને PNB સુધીની બેંકોએ કર્યા મોટા ફેરફાર, જાણી લો નવા સર્વિસ ચાર્જ.
Mumbai Real Estate Prices: ઈરાન-ઈઝરાયેલ તણાવની માઠી અસર: મુંબઈમાં ઘર ખરીદવું હવે થશે વધુ મોંઘું, હોર્મુઝ સંકટથી પ્રોપર્ટીના ભાવમાં (Property Rates) તોતિંગ વધારો
Gold Price Hike: સોનાના ભાવમાં ₹૩૩૫૦નો ઉછાળો, ચાંદી પણ ₹૮૫૪૦ વધી: શું બજારમાં ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે?
Exit mobile version