Ahmedabad City Police :ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા, અમદાવાદ શહેર પોલીસ દ્વારા એકતા ક્રિકેટ કપ 2025નું કરાયું આયોજન

Ahmedabad City Police :પોલીસ કમિશનર શ્રી જી.એસ. મલિક તથા જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસ મહારાજના હસ્તે ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાયો

News Continuous Bureau | Mumbai 

Ahmedabad City Police :આગામી 27મી જૂનના રોજ અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા યોજાનાર છે, જેના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ દ્વારા એકતા ક્રિકેટ કપ-2025 નું આયોજન કરાયું છે. છેલ્લાં ચાર વર્ષથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે.

Join Our WhatsApp Community

Ahmedabad City Police Ekta Cricket Cup 2025 organized by Ahmedabad City Police

ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નિમિત્તે અમદાવાદ શહેર પોલીસ દ્વારા કોમી એકતાને જાળવવા હિન્દુ – મુસ્લિમ ભાઈઓ વચ્ચે એકતા કપ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન બોમ્બે હાઉસિંગ ક્રિકેટ ગ્રાઉન્ડ (ખંડાલા) સરસપુર ખાતે કરવામાં આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Gujarat Solar Water Filter : ગુજરાતની ત્રણ યુનિવર્સિટીના સંશોધકોએ સાથે મળીને તૈયાર કર્યું સૌર ઉર્જા થી પાણી શુદ્ધ થાય તેવું ડિવાઈસ; જાણો આ સંશોધન વિશે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી.એસ.મલિક તથા જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસ મહારાજના હસ્તે આ ક્રિકેટ કપ ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી હસમુખભાઈ પટેલ, સેક્ટર-1ના અધિક પોલીસ કમિશનર શ્રી નીરજ બડગુજર, વિવિધ સંપ્રદાયના સંતો, આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Civil Hospital Ahmedabad: બ્રેઇન ડેડ ભાઈના અંગદાનથી બહેનનો કરુણામય નિર્ણય : સિવિલ હોસ્પિટલમાં 210મું અંગદાન, અનેકને મળ્યું નવજીવન
Ahmedabad Civil Hospital: સિવિલના તબીબોની ૧૧ કલાકની અથાક મહેનતે આપ્યું ૧૧ પીડિતોને નવજીવન!!
Gujarat 108 Ambulance: ગુજરાત રાજ્યમાં સફળતાપૂર્વક ૧૮ વર્ષ પૂર્ણ કરતી ગુજરાતની લાઈફલાઈન ૧૦૮ ઈમરજન્સી સેવા
Exit mobile version