News Continuous Bureau | Mumbai
Ahmedabad Division: પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોના સમયપાલન ને વધુ સારું બનાવવાના ઉદ્દેશ્ય થી 6 ફેબ્રુઆરી 2025 થી અમદાવાદ મંડળ થી ચાલનારી કેટલીક ટ્રેનોના આગમન/પ્રસ્થાન ના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેનો સમય થી 5 થી 10 મિનિટ પહેલા ચાલશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
1. ટ્રેન નંબર 22484 ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ 6 ફેબ્રુઆરી 2025 થી ગાંધીધામથી 23:20 કલાકને બદલે 23:15 કલાકે ઉપડશે અને સામાખ્યાલી 00.04/00:06 કલાકે, રાધનપુર 01.36/01.38 કલાકે, ભાભર 01:57/01:59 કલાકે અને ભીલડી સ્ટેશન પર 02.55 કલાકે પહોંચીને 03.00 કલાકે તેના ગંતવ્ય સ્થાન માટે પ્રસ્થાન કરશે.
2. ટ્રેન નં. 14893 ભગત કી કોઠી-પાલનપુર એક્સપ્રેસ 6 ફેબ્રુઆરી 2025 થી ભીલડી સ્ટેશન પર 03.00/03:10 કલાક ના બદલે 02:50 કલાકે પહોંચીને 03:00 કલાકે ગંતવ્ય સ્થાન માટે પ્રસ્થાન કરશે.
3. ટ્રેન નં. 12993 ગાંધીધામ-પુરી એક્સપ્રેસ 7 ફેબ્રુઆરી 2025 થી ગાંધીધામથી 23:10 કલાક ને બદલે 23:05 કલાકે ઉપડશે અને ભચાઉ 23:35/23:37 કલાકે અને સામાંખ્યાલી સ્ટેશન પર 23:48 કલાકે પહોંચીને 23:50 કલાકે ગંતવ્ય સ્થાન માટે પ્રસ્થાન કરશે.
4. ટ્રેન નંબર 20804 ગાંધીધામ-પુરી એક્સપ્રેસ 9 ફેબ્રુઆરી 2025 થી ગાંધીધામથી 23:10 કલાક ને બદલે 23:05 કલાકે ઉપડશે અને ભચાઉ 23:35/23:37 કલાકે અને સામાખ્યાલી સ્ટેશન પર 23:48 કલાકે પહોંચીને 23:50 કલાકે ગંતવ્ય સ્થાન માટે પ્રસ્થાન કરશે.
આ સમાચાર પણ વાંચો: Criminal Laws: ગુજરાતમાં નવા કાયદાઓના અમલીકરણ અંગે કેન્દ્ર અને રાજ્યની ઉચ્ચસ્તરીય બેઠક, આ તારીખ સુધી થશે ૧૦૦% અમલીકરણ
મુસાફરોને વિનંતી છે કે કૃપા કરીને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરે .
ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય અંગે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry. indianrail.gov.in પર જઈને જોઈ શકો છો.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.