Amit Shah: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદ, ગુજરાતમાં અમીન PJKP વિદ્યાર્થી ભવનનું ઉદ્ઘાટન કર્યું, આધુનિક મલ્ટિસ્પેશિયાલિટી SLiMS હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કર્યું

Amit Shah: શ્રી અમિત શાહે અમદાવાદના શ્રી જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરી, મહાપ્રભુ જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. મહાપ્રભુ જગન્નાથજીની રથયાત્રા એ ભારતીય સાંસ્કૃતિક વારસા અને સમૃદ્ધિને જાળવવા માટેનો એક શુભ પ્રસંગ છે અને દેશના કરોડો ભક્તો દ્વારા તેની ખૂબ જ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છેઃ શ્રી અમિત શાહ. જો કોઈ સંસ્થા તેની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ કરે તો કહી શકાય કે સંસ્થાને સમગ્ર સમાજનો સહયોગ મળ્યો છે. આજની પેઢીએ દેશ માટે પોતાનો જીવ બલિદાન આપવાની જરૂર નથી પરંતુ દેશ માટે જીવવાની જરૂર છે, જીવનભર દેશ માટે કામ કરવાનો જુસ્સો હોવો જોઈએ. પટેલ સમાજ મહેનતુ છે, શિક્ષણ, ધંધાકીય મન, હિંમત અને સમાજને એક તરીકે આગળ લઈ જવા જેવા ગુણો ધરાવે છે, જે તેમને ખાસ કરીને કડવા પાટીદારને ખૂબ આગળ લઈ ગયા છે. પટેલ સમાજે પોતાનો તેમજ સમગ્ર સમાજનો વિકાસ કરીને ગુજરાત અને દેશના વિકાસમાં ઘણું યોગદાન આપ્યું છે. પોતાનું ભલું કરવું એ દરેક વ્યક્તિનો અધિકાર છે, પરંતુ વ્યક્તિએ એવો આત્મકલ્યાણનો માર્ગ પસંદ કરવો જોઈએ કે જેનાથી અન્ય લોકોને પણ ફાયદો થાય. વિદ્યાર્થીઓએ તેમના જીવનમાં એક લક્ષ્ય નક્કી કરવું જોઈએ અને તેને પ્રાપ્ત કરવા માટે શોર્ટકટ લીધા વિના સખત મહેનત કરવી જરૂરી છે

 News Continuous Bureau | Mumbai

Amit Shah: કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતનાં અમદાવાદમાં ( Ahmedabad ) અમીન પીજેકેપી વિદ્યાર્થી ભવનનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 

Join Our WhatsApp Community
Amit Shah inaugurated the Amin PJKP Vidyarthi Bhavan in Ahmedabad, Gujarat, also inaugurated the modern multispecialty SLiMS Hospital.

Amit Shah inaugurated the Amin PJKP Vidyarthi Bhavan in Ahmedabad, Gujarat, also inaugurated the modern multispecialty SLiMS Hospital.

શ્રી અમિત શાહે અમદાવાદમાં આધુનિક મલ્ટિસ્પેશિયાલિટી SLiMS હોસ્પિટલનું ( SLiMS Hospital ) પણ ઉદઘાટન કર્યું હતું.

Amit Shah inaugurated the Amin PJKP Vidyarthi Bhavan in Ahmedabad, Gujarat, also inaugurated the modern multispecialty SLiMS Hospital.

આ પહેલા શ્રી અમિત શાહે અમદાવાદના શ્રી જગન્નાથ મંદિરમાં ( Jagannath temple ) મંગળા આરતી કરી હતી.

Amit Shah inaugurated the Amin PJKP Vidyarthi Bhavan in Ahmedabad, Gujarat, also inaugurated the modern multispecialty SLiMS Hospital

Amit Shah inaugurated the Amin PJKP Vidyarthi Bhavan in Ahmedabad, Gujarat, also inaugurated the modern multispecialty SLiMS Hospital.

કેન્દ્રીય ગૃહમંત્રીએ એક્સ પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં મહાપ્રભુ જગન્નાથજીની રથયાત્રાના અવસર પર દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે, “મહાપ્રભુ જગન્નાથની રથયાત્રા ( Jagannath Rath Yatra ) ભારતીય સાંસ્કૃતિક વારસા અને સમૃદ્ધિને જાળવી રાખવા અને નવી પ્રગતિ પ્રદાન કરવા માટેનો શુભ અવસર છે, જેને દેશના કરોડો ભક્તો ખૂબ જ ભક્તિભાવથી ઉજવે છે. આ યાત્રા એ વાતનું પ્રતીક છે કે ભારતીય સંસ્કૃતિ ગતિશીલ છે અને ઉજવણી અને આધ્યાત્મિકતા તેની લાક્ષણિકતાઓ છે. હું મહાપ્રભુની રથયાત્રા પર તમામ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને મહાપ્રભુ જગન્નાથ, વીર બલભદ્ર અને માતા સુભદ્રાને દરેકના કલ્યાણ અને પ્રગતિ માટે પ્રાર્થના કરું છું.”

 

અમીન પીજેકેપી વિદ્યાર્થી ભવનના ઉદઘાટન બાદ શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, જો કોઈ સંસ્થાએ તેની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ કર્યા હોય તો એમ કહી શકાય કે સંસ્થાને સમગ્ર સમાજનો સહયોગ મળ્યો છે, તો જ તે 100 વર્ષ પૂરા કરી શકી છે. તેમણે જણાવ્યું હતું કે, આ સંસ્થાએ 92 વર્ષથી હજારો બાળકોના જીવનમાં સતત જ્ઞાનનો દીપક પાથર્યો છે અને આ હોસ્ટેલે ગુજરાત અને દેશની સેવા કરનારા અનેક વ્યક્તિત્વો આપ્યા છે. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે પણ જો તમે તેનો સામનો સ્મિત અને દૃઢ નિશ્ચયથી કરશો તો બધી જ મુશ્કેલીઓ જાતે જ દૂર થઈ જશે.

Amit Shah inaugurated the Amin PJKP Vidyarthi Bhavan in Ahmedabad, Gujarat, also inaugurated the modern multispecialty SLiMS Hospital

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, આ સંસ્થાએ ગુજરાતના વિકાસમાં યોગદાન આપનારા અનેક સારા નાગરિકો પેદા કર્યા છે. તેમણે કહ્યું હતું કે, આજે જ્યાં આપણે સૌ બેઠા છીએ, ત્યાં સરદાર પટેલે એક સમયે આઝાદીની ચળવળ દરમિયાન પોતાનાં દિવસો ગાળ્યાં હતાં અને ઘણી બેઠકો યોજી હતી. તેમણે કહ્યું હતું કે, દરેક સ્થળની પોતાની સંસ્કૃતિ હોય છે અને ભૂમિ સાથે જોડાણ આપણામાં સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન કરે છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, અહિં આવનારા વિદ્યાર્થીઓએ હંમેશા એ યાદ રાખવું જોઈએ કે આઝાદીની ચળવળમાં સરદાર પટેલ જેવા મહાન વ્યક્તિત્વે અહિંથી બહુ મોટું યોગદાન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આજની પેઢીના વિદ્યાર્થીઓએ દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપવાની જરૂર નથી પરંતુ તેમણે દેશ માટે જીવવાની જરૂર છે. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે તેઓ તેમના જીવનમાં જે પણ કરે છે, તે તેમણે દેશ માટે કરવું જોઈએ. તેમણે કહ્યું હતું કે, આપણામાં દેશ માટે જીવનભર કામ કરવાનો જુસ્સો હોવો જોઈએ.

આ સમાચાર પણ વાંચો  : Radhika merchant: અનંત સાથે લગ્ન પહેલા રાધિકા ના ઘરે થઇ ગ્રહશાંતિ ની પૂજા, અંબાણી પરિવારની થવાવાળી નાની વહુ ની સાદગી એ જીત્યા લોકો ના દિલ, જુઓ વિડીયો

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ઉચ્ચ શિક્ષણ માટે આ વિદ્યાર્થી ભવનમાં આશરે 1000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે. તેમણે જણાવ્યું હતું કે, જે વિસ્તારોમાં ઉચ્ચ શિક્ષણની સુવિધા નથી ત્યાંના વિદ્યાર્થીઓ પણ અહીં આવીને અભ્યાસ કરી શકશે, જેનાથી તેમના જીવનને પ્રકાશિત કરી શકાશે. તેમણે જણાવ્યું હતું કે, કડવા પટેલ સમાજે ગુજરાતના વિકાસમાં ઘણું યોગદાન આપ્યું છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, ગુજરાત અને પટેલ સમાજના વિકાસનો ગ્રાફ જોઇએ તો બંને સમાંતરે આગળ વધી રહ્યા છે. તેમણે કહ્યું કે પટેલ સમાજના વિકાસની સાથે સાથે ગુજરાતનો પણ વિકાસ થયો છે. તેમણે જણાવ્યું હતું કે, પટેલ સમાજ મહેનતુ સમાજ છે, જેમાં શિક્ષણ, ધંધાકીય માનસ, સાહસ જેવા ગુણો છે અને સમાજને એક કરીને આગળ વધવા જેવા ગુણો ધરાવે છે, જેણે સમગ્ર પટેલ સમાજને, ખાસ કરીને કડવા પાટીદાર સમાજને ખૂબ જ આગળ લઈ ગયો છે. તેમણે જણાવ્યું હતું કે, આ સમાજે પોતાનો તેમજ સમાજનો વિકાસ કરવાની સાથે ગુજરાત અને દેશના વિકાસમાં ઘણું યોગદાન આપ્યું છે.

Amit Shah inaugurated the Amin PJKP Vidyarthi Bhavan in Ahmedabad, Gujarat, also inaugurated the modern multispecialty SLiMS Hospital.

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, અહીં આવનારા તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ ભાગ્યશાળી છે કે તેમને એક ઐતિહાસિક સ્થળે અભ્યાસ કરવાની તક મળી છે. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિનો અધિકાર છે કે તે પોતાના કલ્યાણ માટે વિચારે અને પોતાની ખુશીની શોધમાં રહે, પરંતુ જો કોઈ પોતાના કલ્યાણ માટે આવો રસ્તો પસંદ કરે તો સમાજ માટે સારું રહેશે જેનાથી બીજા લોકોને પણ ફાયદો થશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓએ તેમના જીવનમાં એક ધ્યેય નક્કી કરવું જોઈએ અને તેને હાંસલ કરવા માટે પ્રયાસો કરવા અતિ મહત્ત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે જીવનમાં સખત મહેનત કરવી જરૂરી છે પરંતુ કોઈએ ક્યારેય શોર્ટકટ ન અપનાવવો જોઈએ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Organ donation Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં થયું ૨૨૧મું અંગદાન : એક લીવર, બે કિડનીનું દાન મળ્યું
Jagudan station block: *જગુદણ સ્ટેશન પર એન્જિનિયરીંગ કામ માટે બ્લૉકના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે*
Vande Mataram exhibition: સાબરમતી રેલવે સ્ટેશન પર “વંદે માતરમ્” પ્રદર્શનનું આયોજન*
Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Exit mobile version