Site icon

Post Office Rakhi: પોસ્ટ ઓફિસ દ્વારા રાખડી મોકલવા માટે ડિઝાઇનર એન્વલપ્સ, કિંમત માત્ર ₹10

Post Office Rakhi: હવે બહેનો ડિઝાઇનર એન્વલપમાં પોસ્ટ દ્વારા રાખડી મોકલી શકશે - પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

Designer envelopes for sending rakhi by Post Office, price only ₹10

Designer envelopes for sending rakhi by Post Office, price only ₹10

News Continuous Bureau | Mumbai

Post Office Rakhi: રક્ષાબંધનનો  તહેવાર 19મી ઓગસ્ટે ઉજવાશે અને ટપાલ વિભાગે ( India Post ) તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉત્તર ગુજરાત ક્ષેત્રના પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે,રાખડી મોકલવા માટે પોસ્ટ ઓફિસ દ્વારા રંગબેરંગી ડિઝાઇનર રાખી એન્વલપ્સ ( Rakhi envelopes ) ઉપલબ્ધ છે. આ ખાસ રાખી એન્વલપ્સ ઉત્તર ગુજરાત ક્ષેત્રના અમદાવાદમાં અમદાવાદ જીપીઓ, નવરંગપુરા એચપીઓ અને રેવડી બજારની હેડ પોસ્ટ ઓફિસ તેમજ મુખ્ય પોસ્ટ ઓફિસ ( Postal Department ) અને અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાની પસંદગીની સબ પોસ્ટ ઓફિસોમાં વેચાણ માટે ઉપલબ્ધ રહેશે.

Join Our WhatsApp Community

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આ ડિઝાઇનર રાખી ( Rakhi ) એન્વલપ્સ 11 સેમી X 22 સેમીના કદના છે. એન્વલપ્સની કિંમત માત્ર ₹10 છે જે પોસ્ટેજ શુલ્ક સિવાય છે. રાખી એન્વલપ્સ ઈન્ડિયા પોસ્ટના લોગો અને રક્ષાબંધન ઈમેજ સાથે ડિઝાઈન કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે વિશિષ્ટ ડિઝાઇનને કારણે, તે અન્ય મેઇલમાંથી સૉર્ટ કરવામાં અને ‘રક્ષા બંધન’ ( Raksha Bandhan ) તહેવાર પહેલાં વિતરણ કરવામાં મદદ કરશે.

આ સમાચાર પણ વાંચો  :  Master Mathan: પ્રધાનમંત્રીએ પૂર્વ સાંસદ થિરુ માસ્ટર મથનના નિધન પર શોક વ્યક્ત કર્યો

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Western Railway: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ત્રણ ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 24 ડિસેમ્બર થી લાગુ*
Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Exit mobile version