Site icon

Kaushalyotsav Ahmedabad: અમદાવાદની શાળાઓમાં નવી શિક્ષણ નીતિના સુયોગ્ય અમલીકરણ થકી વિશેષ આયોજનો, યોજાઈ જિલ્લા કક્ષાની આ સ્કીલ કોમ્પિટિશન..

Kaushalyotsav Ahmedabad: અમદાવાદ જિલ્લાની શાળાઓમાં નવી શિક્ષણ નીતિ(NEP 2020)ના સુયોગ્ય અમલીકરણ થકી વિશેષ આયોજનો. અમદાવાદ ગ્રામ્યની ૪૨ શાળાના ૧૧૯ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર લીધો ભાગ. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, અમદાવાદ-ગ્રામ્ય દ્વારા શાળાના બાળકોના કૌશલ્ય વિકાસ માટે કરાયું આયોજન

District Level Skill Competition Kaushalyotsav -2024-25' was held in Ahmedabad

District Level Skill Competition Kaushalyotsav -2024-25' was held in Ahmedabad

News Continuous Bureau | Mumbai 

Kaushalyotsav Ahmedabad:  અમદાવાદ જિલ્લાની શાળાઓમાં નવી શિક્ષણ નીતિ(NEP 2020)ના સુયોગ્ય અમલીકરણ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો યોજવામાં આવે છે. આવી જ પ્રવૃત્તિઓના ભાગરૂપે એફ. ડી. હાઇસ્કુલ, મકતમપુર ખાતે અમદાવાદ ગ્રામ્યની શાળાઓને આવરી લેતી જિલ્લા કક્ષાની સ્કીલ કોમ્પિટિશન ‘કૌશલ્યોત્સવ-૨૦૨૪-૨૫’ યોજાઈ હતી.  

Join Our WhatsApp Community

સ્પર્ધામાં અમદાવાદ ( Kaushalyotsav ) ગ્રામ્યની કુલ ૪૨ શાળાના ૧૧૯ વિદ્યાર્થીઓએ પોતાના વોકેશનલ ટ્રેનર્સ સાથે ભાગ લીધો હતો. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓના વોકેશનલ કોર્સિસ ( Vocational Courses ) આધારિત પ્રોજેક્ટ્સ અને મોડેલને રજૂ કરતા પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં અમદાવાદ (  Ahmedabad ) જિલ્લામાં ધો. ૯ થી ૧૨માં એગ્રીકલ્ચર, બ્યુટી અને વેલનેસ, ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર, રિટેઈલ, એપેરલ, ઓટોમોટીવ, હેલ્થકેર અને આઈ.ટી. ક્ષેત્રના વોકેશનલ કોર્સ ચાલી રહ્યા છે.

સ્પર્ધામાં (  Ahmedabad Schools ) મોડેલ સ્કુલ, સાણંદ પ્રથમ ક્રમે, એફ. ડી. હાઈસ્કુલ, મકતમપુર દ્વિતીય ક્રમે અને સાર્વજનિક હાઈસ્કુલ, સરખેજ તૃતીય ક્રમે વિજેતા જાહેર થયા હતા. પ્રથમ વિજેતા થયેલ કૃતિ રાજ્યકક્ષાએ ભાગ લેશે.

અમદાવાદ-ગ્રામ્યના ( Kaushalyotsav Ahmedabad ) જિલ્લા શિક્ષણાધિકારી કૃપાબેન જહાના માર્ગદર્શન હેઠળ આ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર શિક્ષા, ગાંધીનગર દ્વારા પણ માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. 

આ પ્રસંગે સમગ્ર શિક્ષા, ગાંધીનગરના વોકેશનલ શાખા અધિકારી રહેમાન પરબડિયાએ ઉપસ્થિત રહીને ભાગ લેનાર વિદ્યાર્થીઓને  પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Mahakumbh Mela Indian Railways: ભારતીય રેલવેએ મહાકુંભ મેળા દરમિયાન મફત મુસાફરી વિશે ભ્રામક અહેવાલો અંગે આપી સ્પષ્ટતા, જાણો શું કહ્યું..

તેમણે વિદ્યાર્થીઓને સરળ શૈલીમાં રેગ્યુલર વિષયોની સાથે એક વોકેશનલ ( Vocational  ) વિષય પસંદ કરવાનું મહત્વ સમજાવ્યું હતું. શાળાઓને આવા કોર્સ ચલાવવાની મંજુરી, કોર્સ માટે જરૂરી માર્ગદર્શકો અને જરૂરી લેબોરેટરીની પ્રક્રિયાની સમજ પણ તેમણે આ તકે પૂરી પડી હતી. વિદ્યાર્થીઓને પગભર બનવામાં આવા વિષયો કેટલા ઉપયોગી બની શકે છે તે વિશે તેમણે ઉપસ્થિત સૌને વિવિધ ઉદાહરણો થકી સમજાવ્યું હતું.

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અમદાવાદ(ગ્રામ્ય)ના શિક્ષણ નિરીક્ષકશ્રી અને વોકેશનલ પ્રોજેક્ટ ઇન્ચાર્જ શ્રીમતી ચારુશીલાબેન મકવાણાએ આ પ્રસંગે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ના પરિપ્રેક્ષ્યમાં પ્રસંગ પરિચય આપ્યો હતો.

આ પ્રસંગે શિક્ષણ નિરીક્ષક ઇન્દુબહેન ચાવડા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી  ડો. નિકુંજભાઈ પટેલ, સરકારી પોલિટેકનીક અમદાવાદના પ્રોફેસર ઝંખનાબહેન મહેતા, કુબેરનગર આઈ.ટી.આઈ.ના વાઈસ પ્રિન્સીપાલ શ્રી વિજયભાઈ કોરડીયા, એફ.ડી. શૈક્ષણિક સોસાયટીના જોઈન્ટ સેક્રેટરી શ્રી ઈમ્તિયાઝભાઈ શેખ અને વાઈસ ચેરમેનશ્રી આર. એમ. ફારૂકી, એફ. ડી. હાઇસ્કુલના આચાર્ય શ્રી એમ. આઈ. પટેલ, સરકારી માધ્યમિક શાળા કુજાડના આચાર્ય ડો. સ્નેહલ વૈદ્ય વગેરે ઉપસ્થિત રહ્યા હતા

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Western Railway: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ત્રણ ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 24 ડિસેમ્બર થી લાગુ*
Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Exit mobile version