News Continuous Bureau | Mumbai
Pension Adalat : પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર રેલવે બોર્ડની સૂચના મુજબ નિવૃત્ત કર્મચારીઓના પેન્શન સંબંધિત પ્રશ્નોના ઝડપી નિકાલ માટે 16 જૂન, 2025 (સોમવાર) ના રોજ પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
સિનિયર ડિવિઝનલ પર્સનલ ઓફિસર શ્રી સિદ્ધાર્થના જણાવ્યા મુજબ અમદાવાદ ડિવિઝનમાંથી જે પણ કર્મચારી સેવાનિવૃત્ત થયા છે તે પેન્શનરો/ફેમિલી પેન્શનરોની પેન્શન સંબંધિત ફરિયાદોના નિરાકરણ માટે ડિવિઝનલ રેલવે મેનેજર ઑફિસ, અમદાવાદ ખાતે 16.06.2025 ના રોજ પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Ladki Bahin Yojana : લાડકી બહેનોની આશા પર પાણી! 1500 વધારીને 2100 રૂપિયા ન કરી શકાય, આ મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહી વાત…
અમદાવાદ ડિવિઝનમાંથી રેલ્વે સેવામાંથી નિવૃત્ત થયેલા તમામ કર્મચારીઓ, પેન્શનરો/કૌટુંબિક પેન્શનરો અને પેન્શન સંબંધિત ફરિયાદો હોય, તેઓ તેમની અરજી (ત્રણ પ્રતિકૃતિમાં) ડિવિઝનલ રેલવે મેનેજર (સ્થાપના) ઑફિસ, અમદાવાદ ડિવિઝન પશ્ચિમ રેલવે, જીસીએસ હૉસ્પિટલ ની સામે અમદુપુરા અમદાવાદ માં તારીખ 23.05.2025 સુધી સબમિટ કરી શકે છે. કૃપા કરીને અરજીમાં તમારું નામ, હોદ્દો, છેલ્લો પગાર, ભરતીની તારીખ, નિવૃત્તિની તારીખ, PPO નકલ અને ફરિયાદનો પ્રકાર દાખલ કરો.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.