Western Railway: યાત્રીગણ કૃપયા ધ્યાન દે, 1 ફેબ્રુઆરીથી થશે ગાંધીધામ -પાલનપુર એક્સપ્રેસના ટ્રેનના સમયમાં ફેરફાર, જાણી લો નવું સમયપત્રક

Western Railway: 1 ફેબ્રુઆરીથી ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનના સમયમાં ફેરફાર

by khushali ladva
there will be a change in the train timings of Gandhidham-Palanpur Express from February 1

News Continuous Bureau | Mumbai

Western Railway:  પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 19406/19405 ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસના સંચાલન સમયમાં 1 ફેબ્રુઆરી 2025 થી આગામી સૂચના સુધી અસ્થાયી રૂપે ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે:

  •  01 ફેબ્રુઆરી 2025 થી, ટ્રેન નં. 19406 ગાંધીધામ-પાલનપુર એક્સપ્રેસ ગાંધીધામથી 08.10 કલાકને બદલે 05.35 કલાકે ઉપડશે અને 14.50 કલાકને બદલે 12.20 કલાકે પાલનપુર પહોંચશે.
  •  01 ફેબ્રુઆરી, 2025 થી, ટ્રેન નં. 19405 પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ પાલનપુરથી 15.40 કલાકને બદલે 13.10 કલાકે ઉપડશે અને 22.20 કલાકને બદલે 19.50 કલાકે ગાંધીધામ પહોંચશે.

આ સમાચાર પણ વાંચો:  Surat RTO: તૈયાર થઇ જાવ પસંદગીના નંબરપ્લેટ માટે, આ તારીખથી શરૂ થશે મોટર સાયકલના ગોલ્ડન અને સિલ્વર નંબરનો ઓનલાઈન ઓક્શન

ઉપરોક્ત ફેરફારને કારણે, બધા મધ્યવર્તી સ્ટેશનો પર આગમન/પ્રસ્થાનના સમયમાં ફેરફાર થશે. મુસાફરોને વિંનતી કરવામાં આવે છે કે ટ્રેનોના સંચાલન સમય થી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરે જેથી કોઈ અસુવિધા ના થાય.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Join Our WhatsApp Community

You may also like