Mumbai: મુંબઈમાં મહાપાલિકા કરશે હવે મલબાર હિલની બાળગંગા ટાંકીને પુનઃસ્થાપિત.. થશે સૌંદર્યકરણમાં વધારો.

Mumbai: આ પ્રોજેક્ટમાં પુનઃસ્થાપન કાર્ય બે તબક્કામાં હાથ ધરવામાં આવશે અને આગામી વર્ષ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય માળખાને તેની મૂળ ઓળખમાં પુનઃસ્થાપિત કરવાનો, પ્રવાસીઓને આકર્ષવા અને ધાર્મિક વિધિઓની સુવિધા આપવાનો છે.

by Bipin Mewada
BMC in Mumbai will now rehabilitate this area of Malabar Hill.. Know what will be the features of this project.

News Continuous Bureau | Mumbai 

Mumbai: BMCએ મલબાર હિલમાં સદીઓ જૂની બાણગંગા ટાંકીના ( Banganga tank ) પુનઃ સ્થાપિત  કરવાનું કામ હાથ ધર્યું છે. ડી વોર્ડની ટીમે તાજેતરમાં આ વિસ્તારમાં લગભગ 12 બાંધકામોને તોડી પાડ્યા હતા અને કબજેદારોના પુનર્વસનની પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી.

બાણગંગા ટાંકી એ 11મી સદીની ગ્રેડ-1 હેરિટેજ વિસ્તાર છે. જે ગૌડ સારસ્વત બ્રાહ્મણ મંદિર ટ્રસ્ટની ( Goud Saraswat Brahmin Temple trust ) છે અને તેની જાળવણી મહારાષ્ટ્ર પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવે છે. કાશી અને કાવલે મઠ સહિત 16 અગ્રણી મંદિરો છે. તે શહેરના છેલ્લા બાકી રહેલા કુદરતી જળાશયોમાંથી ( reservoirs ) એક છે. તે અરબી સમુદ્રની નજીક હોવા છતાં, આ ટાંકી તાજા પાણીનો સંગ્રહ કરવા માટે જાણીતી છે.

 રિનોવેશનનું ( renovation ) કામ પુરાતત્વ અને મ્યુઝિયમ ડિપાર્ટમેન્ટના ડિરેક્ટોરેટના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે..

એક અહેવાલ મુજબ, આ પ્રોજેક્ટમાં પુનઃસ્થાપન કાર્ય બે તબક્કામાં હાથ ધરવામાં આવશે અને આગામી વર્ષ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય માળખાને તેની મૂળ ઓળખમાં પુનઃસ્થાપિત કરવાનો, પ્રવાસીઓને આકર્ષવા અને ધાર્મિક વિધિઓની સુવિધા આપવાનો છે. આ પ્રોજેક્ટમાં ટાંકીની આસપાસના ગેરકાયદે બાંધકામને દૂર કરવા, 11મી સદીના રામ કુંડને પુનઃસ્થાપન કરવું, જાહેર સુવિધાઓ પૂરી પાડવાની વ્યવસ્થા કરવી અને ટાંકીના પુનઃસંગ્રહ અને પુનઃનિર્માણ કાર્યનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો :  Zeeshan Siddique: જો તમે રાહુલ ગાંધીને મળવા માંગતા હોવ તો તમારે 10 કિલો વજન ઘટાડવું પડશેઃ ઝીશાન સિદ્દીકી.. જાણો વિગતે..

બણગંગા વિસ્તારમાં ઘણા વર્ષોથી રહેલા ગેરકાયદે બાંધકામોને દૂર કરવાનું પડકારજનક કાર્ય હવે પૂર્ણ થવાની સંભાવના છે. જેમાં આ પ્રોજેક્ટમાં અસરગ્રસ્ત પરિવારોને સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી દ્વારા વૈકલ્પિક આવાસ આપવામાં આવશે. બીએમસીને ( BMC) આવા પરિવારો તરફથી સંમતિ પત્ર પણ મળી ગયો છે.

મિડીયા રિપોર્ટ મુજબ, આ પ્રોજેક્ટમાં કાળા બેસાલ્ટ પથ્થરોથી બનેલી ટાંકીના પગથિયાંનું સમારકામ કરવામાં આવશે. તેમજ તળાવ વિસ્તારને લેજર લાઇટ એન્ડ સાઉન્ડ શોથી ઝળહળતો કરવામાં આવશે. જેમાં ભીંતચિત્રો પણ હશે; તો પથ્થરમાર્ગનું પુનઃનિર્માણ કરીને તેને ‘ભક્તિ માર્ગ’ નામ આપવામાં આવશે. દરમિયાન, સુરક્ષા હેતુઓ માટે તળાવ અને તેની આસપાસના વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવામાં આવશે.

રિનોવેશનનું કામ પુરાતત્વ અને મ્યુઝિયમ ડિપાર્ટમેન્ટના ડિરેક્ટોરેટના માર્ગદર્શન હેઠળ અને મુંબઈ હેરિટેજ કન્ઝર્વેશન કમિટીના સંકલનમાં થઈ રહ્યું છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More