News Continuous Bureau | Mumbai
Nasha Mukti Abhiyan: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજના યુવાનો નશામુક્ત બને એ માટે શાળા અને કોલેજોમાં નશામુક્તિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે,આ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી માંડવી તાલુકાના યોગ કોચ અંજલીબેન વાંકડા અને કમલેશભાઈ ચૌધરી દ્વારા સરસ્વતી વન વિદ્યામંડળ સંચાલિત માંડવીની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે નશામુક્તિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો.આ અવસરે વિદ્યાર્થીઓને વ્યસન મુક્તિ અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
આ પ્રસંગે ( Gujarat State Yog Board ) કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી વિનુભાઈ મકવાણાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.તેમજ માંડવી તાલુકા યોગ કોચ અંજલીબેન વાંકડા દ્વારા નશા ( Drugs ) મુક્તિ અભિયાન વિશે કોલેજના વિદ્યાર્થીઓને ( College Students ) માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

‘Nasha Mukti Abhiyan’ program organized by Gujarat State Yoga Board at Surat College
આ સમાચાર પણ વાંચો : Pitru Paksha 2024: અહીં પિંડ દાન ચઢાવવાથી પૂર્વજોની આત્માઓને મોક્ષ મળે છે. બિહારમાં ગયા કરતાં આઠ ગણું વધુ ફળદાયી
આ ( Surat ) પ્રસંગે કોલેજના પ્રોફેસર કિર્તીદાબેન વ્યાસ, પ્રોફેસર ભરતભાઈ ચૌધરી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સુરત જિલ્લાના કો-ઓડીનેટર સુરેશભાઈ ચૌહાણ, સોશિયલ મીડિયા કો-ઓડીનેટર વિશાલભાઈ ડાભી, માંડવી તાલુકા યોગ કોચ કમલેશભાઈ ચૌધરી, યોગ ટ્રેનર કિશોરભાઈ અને ભગવતીબેન સહિત વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા.

‘Nasha Mukti Abhiyan’ program organized by Gujarat State Yoga Board at Surat College
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.