Site icon

દેશમાં કોરોનાની ગતિ કંટ્રોલની બહાર, આજે ફરી 2.8 લાખથી વધારે કેસ આવ્યા સામે; જાણો લેટેસ્ટ ડેટા.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,18 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

મંગળવાર.

દેશમાં મહામારી કોરોનાની ગતિ વધી રહી છે. તેની સાથે સાથે દેશમાં કોરોનાના સૌથી ખતરનાક વેરિઅન્ટ ઓમિક્રોનનાં કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાનાં ઓમિક્રોન વેરિઅન્ટનાં 8,961 કેસ નોંધાયા છે. ત્યારે છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોનાનાં 2 લાખ 82 હજાર 970 નવા કેસ નોંધાયા છે અને 441 લોકોનાં મોત નિપજ્યાં છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ હવે 15.13% થયો છે.

 

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 18 લાખ 30 હજાર થઈ ગઈ છે. આ સાથે મહામારીનાં કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 87 હજાર 202 થઈ ગઈ છે. માહિતી અનુસાર, ગઈ કાલે એક લાખ 88 હજાર 157 લોકો સાજા થયા હતાં. ત્યાર બાદ અત્યાર સુધીમાં 3 કરોડ 55 લાખ 83 હજાર 39 લોકો સંક્રમણ મુક્ત થઈ ગયા છે.

મહારાષ્ટ્રમાં કોરોનાની કેસની સંખ્યા ઘટતા ત્રીજી લહેર કાબુમાં, પણ હજી ચિંતા કાયમ; એક દિવસમાં મૃત્યુઆંક બમણો થયો… જાણો આજે કેટલા લોકોએ ગુમાવ્યો જીવ

જો કે, ચિંતાજનક વાત એ છે કે દેશમાં ગઈ કાલ કરતાં 44,952 વધુ કેસ નોંધાયા છે. ગઈ કાલે કોરોના વાયરસના 2,38,018 કેસ નોંધાયા હતાં. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ માહિતી આપી છે કે, ગઈ કાલે ભારતમાં કોરોના માટે 18 લાખ 69 હજાર 642 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ગઈ કાલ સુધીમાં કુલ 70 કરોડ 74 લાખ 21 હજાર 650 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Tejas Crash: મોટો ખુલાસો: ‘બ્લેકઆઉટ’ના કારણે થયું તેજસનું ક્રેશ? ડિફેન્સ એક્સપર્ટે ક્રેશ પાછળના રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો.
Red Fort Blast: નાટકીય વળાંક: લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં પકડાયેલા આતંકીએ કોર્ટમાં જજ સમક્ષ શું માગ્યું? જાણો હાઈ-પ્રોફાઈલ કેસ નું નવું અપડેટ
Operation Sindoor: મ્મુ-કાશ્મીર એલર્ટ: ‘ઓપરેશન સિંદૂર’ના વળતા પ્રહારમાં પાકિસ્તાની આતંકીઓ વધુ સક્રિય! સામે આવી ચોંકાવનારી ગુપ્ત જાણકારી
Delhi Blast: લાલ કિલ્લા ધમાકાનું ષડયંત્ર: ફરીદાબાદમાં કેબ ડ્રાઈવરના ઘરમાં બનાવાયો હતો વિસ્ફોટક, તપાસ એજન્સીઓને મોટો પુરાવો મળ્યો
Exit mobile version