News Continuous Bureau | Mumbai
Vande Bharat: ચોમાસુ શરૂ થતા પહેલા સાંથલ પરગણાના લોકોને વધુ એક ભેટ મળવા જઈ રહી છે. એક તીર્થસ્થળને બીજા તીર્થસ્થાન સાથે જોડવા માટે હવે વંદે ભારત ટ્રેન ( Vande Bharat Express ) શરૂ થવાની છે. વાસ્તવમાં બાબા બૈદ્યનાથ ધામથી કાશી વિશ્વનાથ ધામ સુધી વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવશે. આ ટ્રેન દેવઘરથી ઉપડશે અને ગયા થઈને બનારસ જશે. આ ટ્રેન ચોમાસા પહેલા શરૂ થાય તેવી શક્યતા છે.
કાશી વિશ્વનાથ ધામ અને બાબા બૈદ્યનાથ ધામ ( Baba Baidyanath Dham ) વચ્ચે મુસાફરી હવે સરળ બનશે. વંદે ભારત એક્સપ્રેસ ચોમાસા પહેલા આ બંને તીર્થ સ્થાનો વચ્ચે ચલાવવામાં આવશે. એવી અપેક્ષા છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ( Narendra Modi ) આ ટ્રેનને વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી બતાવશે.
Vande Bharat: આ ટ્રેન દેવઘરથી બનારસ વાયા ગયા રેલવે સ્ટેશન સુધી ચલાવવામાં આવશે….
આ ટ્રેન દેવઘરથી બનારસ વાયા ગયા રેલવે સ્ટેશન સુધી ચલાવવામાં આવશે. નોર્થ ઈસ્ટર્ન રેલવેના અધિકારીઓના એક નિવેદમનાં જણાવ્યા અનુસાર આ ટ્રેન માટેનો પ્રસ્તાવ રેલવે બોર્ડને મોકલવામાં આવ્યો છે. ચોમાસા માં, બાબા બૈદ્યનાથ અને કાશી વિશ્વનાથ ધામ ( Kashi Vishwanath Dham ) વચ્ચે ભક્તોની ભારે ભીડ હોય છે, પરંતુ વારાણસી અને દેવઘર વચ્ચે કોઈ સીધી ટ્રેન સેવા ન હોવાથી. દેવઘર જવા માટે મુસાફરોને જસીડીહ સ્ટેશન પર ઉતરવું પડે છે. જેથીભક્તોને ભારે સમસ્યા સહન કરવી પડે છે. તેથી હવે આ ટ્રેનથી તેમની સમસ્યાનો ઉકેલ લાવવાનો ઉદ્દેશ્ય રહેશે.જો કે, આ ટ્રેનનું ભાડું, રૂટ અને સમય અંગે અંતિમ નિર્ણય લેવાનો હજુ બાકી છે.
આ સમાચાર પણ વાંચો : PM Narendra Modi: PM મોદી 21 જૂને કાશ્મીરની મુલાકાતે, આતંકવાદી હુમલા વચ્ચે PM મોદી જમ્મુ-કાશ્મીરના આ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવશે…
આ ટ્રેન દ્વારા ત્રણ તીર્થસ્થળોને જોડવામાં આવી રહ્યા છે. આ ટ્રેન શરૂ થવાથી યાત્રાળુઓને ( pilgrims ) ઘણો ફાયદો થવાનો છે. લોકો હવે બાબા બૈદ્યનાથ ધામથી સરળતાથી કાશી વિશ્વનાથની યાત્રા કરી શકશે.