Site icon News Continuous Bureau | Mumbai

અમિત શાહે કહ્યું- ત્રિપુરામાં જ નહીં, રાજસ્થાન-કર્ણાટક, છત્તીસગઢ અને એમપીમાં પણ બનશે ભાજપની સરકાર

અમિત શાહે કહ્યું કે આ વખતે ભાજપ ત્રિપુરામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશે. આ વખતે ભાજપ ગત વખત કરતા વધુ બેઠકો જીતશે અને અમારી વોટ ટકાવારી પણ વધશે. એટલું જ નહીં, અમિત શાહે દાવો કર્યો કે આ વર્ષે યોજાનારી ચૂંટણીમાં કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની સરકાર બનશે.

amit-shah-bns-bill-deceiving-women-into-sex-with-fake-identity-punishable-under-new-bill

amit-shah-bns-bill-deceiving-women-into-sex-with-fake-identity-punishable-under-new-bill

News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દાવો કર્યો છે કે આ વખતે પણ ત્રિપુરામાં ભાજપની સરકાર બનશે. અમિત શાહે કહ્યું કે આ વખતે ભાજપ ત્રિપુરામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશે. આ વખતે ભાજપ ગત વખત કરતા વધુ બેઠકો જીતશે અને અમારી વોટ ટકાવારી પણ વધશે. એટલું જ નહીં, અમિત શાહે દાવો કર્યો કે આ વર્ષે યોજાનારી ચૂંટણીમાં કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની સરકાર બનશે.

Join Our WhatsApp Channel

અમિત શાહે કહ્યું કે, આ વખતે ત્રિપુરામાં તમામ પાર્ટીઓ ભાજપથી ડરી રહી છે. આ જ કારણ છે કે રાજ્યમાં લેફ્ટ પાર્ટી પણ આ વખતે કોંગ્રેસની સાથે આવી ગઈ છે.

બિપ્લબ દેબને હટાવ્યા નથી, તેમનું પ્રમોશન થયું: અમિત શાહ

જ્યારે અમિત શાહને પૂછવામાં આવ્યું કે ત્રિપુરાના પૂર્વ સીએમ બિપ્લબ દેબને બદલીને માણિક સાહાને સીએમ બનાવવામાં આવ્યા છે, તો શું તમને તેમના પર વિશ્વાસ નહોતો. તેના પર અમિત શાહે કહ્યું કે તમામ પક્ષોની એક સિસ્ટમ હોય છે. ભાજપમાં પણ જ્યારે કેન્દ્રીય રાજનીતિમાં નેતાઓની જરૂર પડે છે ત્યારે તેમને રાજ્યોમાંથી લાવવામાં આવે છે.

અમિત શાહે કહ્યું, અમે બિપ્લબ દેબને રાજ્યસભામાં લઈને આવ્યા, અમે તેમને રાષ્ટ્રીય મંત્રી બનાવ્યા. દિલ્હીને અડીને આવેલા હરિયાણા રાજ્યના પ્રભારી બનાવાયા. હું તેને પ્રમોશન તરીકે જોઉં છું. બિપ્લબ દેબ રાષ્ટ્રીય સ્તરે ભાજપ માટે કામ કરી રહ્યા છે. આ સાથે તે ત્રિપુરામાં માનિક સાહાને મદદ કરી રહ્યા છે.

અમે ત્રિપુરામાં હિંસા ખતમ કરી: અમિત શાહ

અમિત શાહે કહ્યું, અમે ત્રિપુરામાંથી હિંસા ખતમ કરી નાખી. એટલું જ નહીં, અમે ડ્રગ ડીલરો સામે પણ કાર્યવાહી કરી રહ્યા છીએ. આજે પૂર્વોત્તરમાં શાંતિ છે. અમારી સરકારે ઉગ્રવાદીઓ સાથે કરાર કર્યા છે. 8000થી વધુ ઉગ્રવાદીઓએ આત્મસમર્પણ કરી દીધું. પૂર્વોત્તર વિસ્તાર પહેલા બંધ માટે જાણીતો હતો, આજે ત્યાં વિકાસ થઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો:  બિહાર: JDU નેતાનું વિવાદાસ્પદ નિવેદન, આતંકવાદ સામે લડવા માટે આપી વિચિત્ર ફોર્મ્યુલા, ભડક્યું ભાજપ.

અમિત શાહે કહ્યું કે છેલ્લા 9 વર્ષમાં પીએમ મોદીએ 51 વખત નોર્થ ઈસ્ટની મુલાકાત લીધી છે. આઝાદી પછી કોઈ પણ વડાપ્રધાને આટલી વખત નોર્થ ઈસ્ટની મુલાકાત લીધી નથી. છેલ્લા 9 વર્ષોમાં ઉત્તર પૂર્વની સ્થાનિક ભાષાઓને મજબૂત બનાવવામાં આવી છે, પ્રાથમિક શિક્ષણ પણ પ્રાદેશિક ભાષાઓમાં આપવામાં આવી રહ્યું છે. ભાજપ સરકારે પૂર્વોત્તરની ઓળખ મજબૂત કરી છે.

શું મધ્યપ્રદેશના લોકો ભાજપથી કંટાળી ગયા છે?

શાહને પૂછવામાં આવ્યું કે કોંગ્રેસ કહી રહી છે કે મધ્યપ્રદેશના લોકો ભાજપથી કંટાળી ગયા છે. તેના પર અમિત શાહે કહ્યું કે, આવું લોકો ગુજરાતમાં પણ બોલતા હતા. પણ ત્યાં શું થયું? જનતા મોદીજીની લોકપ્રિયતાનું સ્વાગત કરે છે. મોદીજીએ દેશને જ્યાં પહોંચાડ્યો છે, લોકો તેનું સ્વાગત કરે છે. દેશની અર્થવ્યવસ્થા, વિકાસ અને સુરક્ષા માટે લેવાયેલા પગલાંને જનતા આવકારે છે.

અમિત શાહે કહ્યું કે, PM મોદીના શાસનમાં ભારતને G-20ની અધ્યક્ષતા મળી છે. એ રીતે એનો શ્રેય પીએમ મોદીને જ મળવો જોઈએ. આ એક મોટી સિદ્ધિ છે. અમે તેને દેશના દરેક રાજ્યમાં લઈ જઈ રહ્યા છીએ. જો તેનું આયોજન યોગ્ય રીતે થાય છે, તો તેનો શ્રેય પીએમ મોદીને જ મળશે.

આ સમાચાર પણ વાંચો: કડક પગલાં / RBIએ ફરી કેન્સલ કર્યા આ બે ‘બેંકો’ના લાઈસન્સ, આ કારણે થઈ કાર્યવાહી

Jantar Mantar Protest પેલેટ ગનથી લઈને ટિયર ગેસ સુધી… જંતરમંતર પર બળપ્રયોગ મુદ્દે હાઈલેવલ કમિટી ગઠિત, દિલ્હી પોલીસ રડારમાં
Champat Rai Statement Against Nripendra Misra અયોધ્યા રામ મંદિરમાં મોટો આંતરિક ભડકો ચંપત રાયે નૃપેન્દ્ર મિશ્રા સામે મોરચો ખોલ્યો, ૯ પાનાનો પત્ર લખ્યો
US National Debt Record ટ્રમ્પે અમેરિકાને બનાવ્યું કંગાળ? પહેલીવાર દેશ પરનું દેવું 40 ટ્રિલિયન ડોલરને પાર પહોંચ્યું! જાણો શું થશે અસર?
USCIRF Ban RSS Leaders RSS નેતાઓનું સન્માન નહીં, પ્રતિબંધ લગાવો અમેરિકાની ધાર્મિક સ્વતંત્રતા પંચની ભલામણથી ભારે હોબાળો
Exit mobile version