Site icon

કોરોના લાંબા સમય સુધી પીછો નહીં છોડે; કોરોના મહામારી અંગે નિષ્ણાતોએ વ્યક્ત કર્યો આ મત, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૫ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

કોરોનાની ગંભીર લહેર ધીમે-ધીમે ઓસરી રહી છે. એવામાં હવે નિષ્ણાતોએ એવો મત વ્યક્ત કર્યો છે કે કોરોના લાંબા સમય સુધી સાથે જ રહેશે. જોકેએનો પ્રભાવ ઘટી જશે. એ મહામારી નહીં તો સામાન્ય બીમારી બની સતત સાથે રહેશે અને વ્યાપક રસીકરણ આમાં મોટી ભૂમિકા ભજવશે.

આ અંગે દિલ્હી સરકાર દ્વારા સંચાલિત લોક નાયક જય પ્રકાશ (LNJP) હૉસ્પિટલના ડૉક્ટરે એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોના સતત મ્યુટેટ થતો રહે છે એટલે કે એના સ્વરૂપમાં બદલાવ થઈ રહ્યા છે. એના આ ગુણને કારણે એ લાંબો સમય સુધી ટકી રહેશે, એવી નિષ્ણાતોને ડર છે. એના સ્વરૂપમાં થતા આ પરિવર્તનને ધ્યાનમાં લેતાં એવું જણાય છે કે કોરોનાના કેસ ટૂંક સમયમાં શૂન્ય થઈ જશે એ શક્ય નથી.

મહારાષ્ટ્રમાં કડક પ્રતિબંધ હોવા છતાં કોરોનાનો પગપસારો, રાજ્યમાં કોરોનાના સક્રિય કેસમાં થયો નોંધપાત્ર વધારો ; જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા સામે

ઉલ્લેખનીય છે કે આજે કોઈ પણ સર્જરી કરતાં પહેલાં હેપેટાઇટીસ અને HIV ટેસ્ટ કરવો જરૂરી છે તેમ જ ભવિષ્યમાં કોરોના ટેસ્ટ પણ ફરિજયાત બની શકે છે. રસીકરણને કારણે કોરોનાનું જોખમ ઘટી જરૂર જશે, પરંતુ એક સામાન્ય બીમારી તરીકે એ આપણી વચ્ચે રહેશે.

Nitish Kumar Breaks Silence: નીતીશ કુમાર હવે દિલ્હી જવાની તૈયારીમાં! રાજ્યસભા જવાની જાહેરાત સાથે નવી સરકારને આપ્યું સમર્થન; બિહારમાં નવા યુગની શરૂઆત.
Middle East Crisis Hits Air Travel: એરપોર્ટ પર ફસાયા હજારો મુસાફરો! મિડલ ઈસ્ટ સંકટને લીધે ૧૮૦ ફ્લાઈટ્સના પૈડાં થંભ્યા; એરલાઈન્સે જાહેર કર્યા નવા નિયમો.
Air India Announces Special Flights: એર ઈન્ડિયાએ આ ત્રણ શહેરો માટે જાહેર કરી વિશેષ ફ્લાઈટ્સ! મિડલ ઈસ્ટમાં તણાવ વધતા વિદેશમાં રહેતા ભારતીયો માટે લેવાયો મોટો નિર્ણય.
Congress Rajya Sabha Candidates List: શું કોંગ્રેસની આ યાદી રાજ્યસભાનું ગણિત બદલી નાખશે? સિંઘવી સહિત ૬ નામો પર લગાવ્યો દાવ; બે રાજ્યોમાં ઉમેદવારોની પસંદગીએ બધાને વિચારતા કરી દીધા.
Exit mobile version