News Continuous Bureau | Mumbai
IndiGo ભારતની સૌથી મોટી બજેટ એરલાઈન ઇન્ડિગો આ સમયે એક મોટી ઓપરેશનલ મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી છે. ગુરુવારે સતત ત્રીજા દિવસે પણ દેશભરના અલગ-અલગ એરપોર્ટ્સ પર ઘણી ફ્લાઇટ્સ રદ થવાની સૂચના છે. આ પહેલાં મંગળવાર અને બુધવારે ૨૦૦થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જેનાથી હજારો યાત્રીઓને પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો.
આજે પણ મોટી સંખ્યામાં ઇન્ડિગોની ફ્લાઇટ્સ પ્રભાવિત
ગુરુવારે દિલ્હીથી રવાના થનારી ૩૦થી વધુ ફ્લાઇટ્સ ઇન્ડિગોએ રદ કરી છે. હૈદરાબાદમાં પણ લગભગ ૩૩ ફ્લાઇટ્સ કેન્સલ થઈ. મુંબઈ એરપોર્ટ પર પણ ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દેશભરમાં ઇન્ડિગોએ આજે લગભગ ૧૭૦થી વધુ ફ્લાઇટ્સ રદ કરી છે. જણાવી દઈએ કે ઇન્ડિગો દરરોજ ૨૨૦૦થી વધુ વિમાનોનું ઓપરેશન કરે છે.
રદ થવા પાછળના મુખ્ય કારણો
બુધવારે એક સત્તાવાર નિવેદનમાં ઇન્ડિગોએ જણાવ્યું કે ‘ટેક્નિકલ ગ્લિચિસ’, શિયાળાના હવામાન સાથે જોડાયેલા ‘શિડ્યુલ’માં ફેરફાર, ખરાબ હવામાન, એવિએશન સિસ્ટમમાં વધેલી ભીડ અને ‘ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટેશન્સ’ના કારણે તેમના ઓપરેશન પર એટલો ખરાબ અસર પડ્યો કે તેમને ઘણી ફ્લાઇટ્સ રદ કરવી પડી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Vladimir Putin: પુતિનનો ભારત પ્રવાસ બંને દેશો માટે કેમ મહત્ત્વનો? સંરક્ષણ, ઓઇલ સેક્ટર અને મિસાઇલ અપગ્રેડની વિગતો
ઇન્ડિગોની માફી અને ૪૮ કલાકની યોજના
સતત રદ થઈ રહેલી ફ્લાઇટ્સને લઈને કંપનીએ યાત્રીઓની માફી માંગી છે. એરલાઈન કંપનીએ કહ્યું કે આ અવરોધને રોકવા અને સ્થિરતા પાછી લાવવા માટે, તેમણે પોતાના ‘શિડ્યુલ’માં થોડો બદલાવ કરવાનું શરૂ કરી દીધું છે. આ પગલાં આગામી ૪૮ કલાકો સુધી લાગુ રહેશે અને તેનાથી કંપની પોતાના ઓપરેશનને ‘નોર્મલ’ કરી શકશે અને ધીમે ધીમે આખા નેટવર્કમાં ‘પંક્ચ્યુઆલિટી’ પાછી મેળવી શકશે.
