Site icon

ઈન્ફોસિસની ટીકા કરતા પાંચજન્યના લેખથી આરએસએસે જાળવ્યું અંતર, આપ્યું આ નિવેદન ; જાણો વગિતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 06 સપ્ટેમ્બર, 2021 

Join Our WhatsApp Community

સોમવાર 

દેશના આર્થિક હિતોને નુકસાન પહોંચાડવા માટે અને અર્બન નક્સલીઓ, ડાબેરીઓ તથા ટૂકડે-ટૂકડે ગેંગને મદદ કરવાના આક્ષેપ સાથે અગ્રણી આઈટી કંપની ઈન્ફોસિસની ટીકા કરતા પાંચજન્યના લેખથી આરએસએસે છેડો ફાડયો છે. 

આરએસએસના પ્રવકતા સુનીલ આંબેકરે કહ્યું કે ભારતની અગ્રણી આઈટી કંપનીના રૂપમાં ઈન્ફોસિસે દેશની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. 

ઈન્ફોસિસ દ્વારા સંચાલિત પોર્ટલ સાથે કેટલીક સમસ્યાઓ હોઈ શકે છે, પરંતુ આ સંદર્ભમાં પાંચજન્ય દ્વારા પ્રકાશિત લેખ માત્ર લેખકનો વ્યક્તિગત મત દર્શાવે છે. 

આંબેકરે ત્યાં સુધી કહી દીધું કે પાંચજન્ય આરએસએસનું મુખપત્ર નથી અને તેમાં વ્યક્ત કરવામાં આવેલા લેખ અથવા મતને આરએસએસ સાથે જોડવા જોઈએ નહીં.

ઉલ્લેખનીય છે કે આરએસએસના મુખપત્ર પાંચજન્યમાં અગ્રણી આઈટી કંપની ઈન્ફોસિસની ટીકા કરતો લેખ પ્રકાશિત થયા પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ આ લેખથી અંતર જાળવ્યું હતું.

કમાલ છે! દિલ્હીની ટ્રૅક્ટર પરેડમાં ભાગ લીધા બાદ હરિયાણાનો ગાયબ થયેલો યુવક આટલા મહિના બાદ મળી આવ્યો; જાણો વિગત

Solan Fire Incident: હિમાચલના સોલનમાં ભીષણ આગનો તાંડવ; 7 વર્ષના બાળકનું કરૂણ મોત, 9 લોકો હજુ પણ ફસાયા.
ISRO PSLV-C62 Mission Failure: ઈસરોને નવા વર્ષનો મોટો ઝટકો: PSLV-C62 મિશન ત્રીજા તબક્કામાં ટેકનિકલ ખામીને કારણે નિષ્ફળ.
Vande Bharat Sleeper Fare: એરપોર્ટ જેવી સુવિધા અને કડક નિયમો: વંદે ભારત સ્લીપરમાં નો-વેઈટિંગ પોલિસી, જાણો કેટલું ખર્ચવું પડશે ભાડું
Gulshan Kumar Murder Case: ‘કેસેટ કિંગ’ ગુલશન કુમારની હત્યા કરનાર શાર્પ શૂટર અબ્દુલ મર્ચન્ટનું જેલમાં મોત, જાણો શું છે મૃત્યુનું આંચકાજનક કારણ
Exit mobile version