ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 માર્ચ 2021
આજે મોદી સરકારની કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જે મુજબ 1 એપ્રિલ પછી ૪૫ વર્ષ ઉંમર થી ઉપરની દરેક વ્યક્તિ હવે કોરોના ની રસી મફત લઇ શકશે.
આ માટે કોઇ વિશેષ અને અલગ વ્યવસ્થા કરવામાં આવી નથી. હાલ જે મોજુદા રજીસ્ટ્રેશન ની વ્યવસ્થા છે તે વ્યવસ્થા હેઠળ તેઓ વેક્સિન લઇ શકશે.
મહારાષ્ટ્રમાં આટલા મહિનામાં સર્વે કોઈને વેક્સિન મળી જશે.
સરકારે જાહેરાત કરી છે કે તેમની પાસે પૂરતા પ્રમાણમાં રસી ની વ્યવસ્થા છે. આથી દરેક વ્યક્તિને રસી મળી શકશે.
