Site icon News Continuous Bureau | Mumbai

વેક્સિન લેવાના નિયમોમાં ફરી થયા ફેરબદલ; હવે કોરોનાથી રિકવર થયાના આટલા મહિના બાદ જ લઈ શકાશે વેક્સિન, જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૮ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

દેશમાં ચાલતા રસીકરણ અભિયાનમાં વારંવાર નવા બદલાવ થઈ રહ્યા છે. હવે કોરોનાથી સાજી થયેલી વ્યક્તિને વેક્સિન આપવા બાબતે નવા બદલાવ કરવામાં આવે એવી શક્યતા છે. નવા નિયમ મુજબ રિકવર થયાના લગભગ નવ મહિના બાદ જ તેવી વ્યક્તિને વેક્સિન અપાશે.

આ અંગે ટૂંક સમયમાં જ નૅશનલ એક્સપર્ટ ગ્રુપ ઑન વેક્સિન ઍડ્મિનિસ્ટ્રેશન (NEGVAC) નિર્ણય લઈ શકે છે. હાલમાં જ કોરોનાથી સાજા થયેલા લોકો માટે વેક્સિન આપવાનો સમય છ મહિના છે. જો નવો નિયમ અમલમાં આવશે તો એને લંબાવીને નવ મહિના કરવામાં આવે એવી શક્યતા છે. એક્સપર્ટ ગ્રુપે તથ્યોને ધ્યાનમાં રાખીને આ પ્રકારનું સૂચન કર્યું છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાની પહેલી લહેર દરમિયાન રીઇન્ફેક્શનનો રેટ ૪.૫ ટકા જેટલો હતો. કેટલાક દેશોમાં કરવામાં આવેલા અભ્યાસ પ્રમાણે કોરોના સંક્રમણ થયાના છ મહિના સુધી તે વ્યક્તિના શરીરમાં ઍન્ટીબૉડી રહે છે. જોકેકોવિશીલ્ડનો બીજો ડોઝ લેવાની મુદત પણ સતત વધારવામાં આવી છે. હવે લોકોમાં સવાલ થઈ રહ્યો છે કે શું સરકાર વેક્સિનની માગને પહોંચી વળવા તો આ બદલાવ નથી કરી રહી?

Nationwide Chemist Strike 2026। મેડિકલ સ્ટોર્સની હડતાળથી દેશમાં હાહાકાર! ૧૫ લાખ કેમિસ્ટો આજે કેમ રાખી રહ્યા છે બંધ? જાણી લો તમારા રાજ્યની સ્થિતિ
Commodity Crisis: કોમોડિટી માટે કપરો કાળ: સરકાર અને પ્રજા સૌ ના માટે સમય સ્વયં સંયમનો..!
US Russian Oil Waiver| રશિયન ઓઇલ પર અમેરિકા નરમ વૈશ્વિક સ્તરે તેલના ભાવ ઘટવાની આશા વચ્ચે ભારત માટે આવ્યા સારા સમાચાર
Government Officials Gold Ban| સોનાની ખરીદી પર બ્રેક! સરકારી બાબુઓ માટે નવો નિયમ, તિજોરી ખાલી થતી બચાવવા માટે દેશે લીધું મોટું પગલું
Exit mobile version