પ્રજાસત્તાક દિવસે દિલ્હીની ફરતે ટ્રેક્ટર રેલી દરમિયાન ખેડૂત આંદોલન ઉગ્ર બની રહ્યુ છે.
ટ્રેક્ટર રેલી સિંધુ અને ટિકરી બોર્ડર પર બેરિકેડ્સ તોડી આઇટીઓ અને લાલ કિલ્લા સુધી પહોંચી ગઇ હતી. જેમાં કેટલાક ખેડૂતોએ લાલ કિલ્લા પર ખેડૂતોનો ઝંડો ફરકાવ્યો હતો.
સ્થિતિની ગંભીરતાને જોઇને દિલ્હી-એનસીઆરના કેટલાક વિસ્તારોમાં રાત્રિના 12 વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે.
