સુપ્રીમ કોર્ટ પેનલના સભ્ય અનિલ ધનવતે 23 પાકની MSP ની માગણી પર આપી આ ગંભીર ચેતવણી; જાણો શું કહ્યું?

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 22 નવેમ્બર, 2021

સોમવાર

કેન્દ્ર સરકારે ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત કરી છે. જોકે દિલ્હીના ખેડૂતોએ MSPની તેમની માગણી અને ઔપચારિક રીતે કાયદા પાછા ન ખેંચાય ત્યાં સુધી આંદોલન પૂરું નહિ કરવાનું નક્કી કર્યું છે. ત્રણ કૃષિ કાયદાઓનો અભ્યાસ કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા પેનલ રચવામાં આવી છે. આ પેનલના સભ્ય ખેડૂત નેતા અનિલ ઘનવતે મીડિયાને જણાવ્યું હતું કે 23 પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ( MSP) લંબાવવાની માગ જો મંજૂર થાય તો દેશને નાદારી તરફ દોરી જશે.

 કેન્દ્ર અથવા રાજ્ય સરકાર બંનેમાંથી જે કોઈ પણ MSP માટે ચૂકવણી કરશે તે ટૂંક સમયમાં નાદાર થઈ જશે. તેવું ખેડૂત સંગઠનના નેતા ઘનવતે એક મીડિયા સંસ્થાને જણાવ્યું હતું. આ ખૂબ જ ખતરનાક માંગ છે અને કાયમી નથી. જો સરકાર સંમત થાય તો બે વર્ષમાં દેશ દેવાદાર બની જશે. આ પગલું નાણાકીય રીતે શક્ય ન હોવા ઉપરાંત, તે અશાંતિ અને અરાજકતા તરફ દોરી જશે તેવી ચેતવણી ધનવતે આપી હતી. 

ભર શિયાળે ચોમાસું! મહારાષ્ટ્રમાં આગામી 2 દિવસ ગાજવીજ સાથે પડશે વરસાદ; IMDએ આ જિલ્લા માટે જારી કર્યું યલો એલર્ટ
 

"અત્યારે, જો સરકાર 23 પાકની માગ સાથે સંમત થશે તો અન્ય ખેડૂતો પણ તેમના પાક માટે સમાન માગ સાથે આવશે. દર બીજા દિવસે આંદોલન થશે, દરેક રાજ્યમાં કેટલાક પાકો MSPમાં ન ઉમેરવા માટે પૂછાશે. એકને MSP આપ્યા બાદ તે અન્યને પણ આપવી પડશે તેવું અનિલ ધનવતે કહ્યું હતું.

સરકાર પાસે પાક ખરીદવા અથવા વેચવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ નથી. દેશની બફર સ્ટોક મર્યાદા હાલમાં 41 લાખ ટન છે, પરંતુ સરકારે 110 લાખ ટન ઘઉં અને ડાંગરની ખરીદી કરવી પડી છે. સરકાર પાસે આટલું અનાજ સંગ્રહ કરવાની ક્ષમતા નથી, તેથી તેને ખુલ્લામાં રાખવામાં આવે છે. વરસાદમાં પાક ભીંજાય અને સડે છે. જો MSP સૂચિમાં કેટલાક વધુ પાક ઉમેરાય તો તેઓ તેને કેવી રીતે પ્રાપ્ત કરશે, ક્યાં સંગ્રહ કરશે? અનિલ ધનવતે વધુમાં જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું: "મારી જાણ મુજબ, કોઈ પણ દેશ આવું કરતું નથી; તેઓ સબસિડી આપે છે પરંતુ MSP નહિ. ખેડૂતો હવે સરળતાથી શાંત થવાના નથી કારણ કે તેઓને લાગે છે કે તેઓ સરકારને ઝુકાવવામાં સફળ થયા છે. તેમને લાગે છે કે સરકાર MSP પર પણ ઉપજ આપશે.

અનિલ ઘનવતે જણાવ્યું હતું કે સરકાર હસ્તક્ષેપ ન કરે અને જ્યારે ખેત પેદાશોના ભાવ વધે ત્યારે તેને નીચો લાવવાનો પ્રયત્ન કરે. સ્થાનિક સ્તરે ભાવ વધતાંની સાથે જ સરકાર આયાત કરવાનું શરૂ કરે છે અને નિકાસ મર્યાદા પણ મૂકે છે. જો સરકાર કૃત્રિમ રીતે દર નીચા લાવવાનું ચાલુ રાખશે તો ખેડૂત કેવી રીતે કમાશે? આયાત અને નિકાસએ વેપારીઓનું કામ હોવું જોઈએ, સરકારનું નહીં.

ઘરવાપસીઃ આ રાજ્યમાં 1200 લોકોએ હિંદુ ધર્મ અપનાવ્યો, દિવંગત ભાજપા નેતાના દીકરાએ યોજ્યો કાર્યક્રમ
 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More