ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૧ મે ૨૦૨૧
શુક્રવાર
દેશના સૌથી મોટા ઉદ્યોગ સમૂહ ટાટા કંપનીના મહત્વપૂર્ણ એકમ એવા ટાટા મોટર્સે જાહેરાત કરી છે કે તેમના કર્મચારીઓમાંથી જે કોઈ વ્યક્તિ કોરોનાને કારણે મરી જશે તે વ્યક્તિના પરિવારને બેસિક સૅલરીના 50 ટકા રકમ આપવામાં આવશે. આ ઉપરાંત તેમણે જાહેરાત કરી છે કે આ પૈસા તેમના પરિવારજનોને ત્યાં સુધી મળશે જ્યાં સુધી દિવંગત કર્મચારીનો રિટાયર્ડ થવાનો સમય ન આવ્યો હોય.
ઉલ્લેખનીય છે કે ટાટા કંપનીએ ભારતની સૌથી ભરોસામંદ કંપનીઓમાંથી એક છે. આ સાથે જ ટાટા મોટર્સે જાહેરાત કરી છે કે તેમના ૯૦ ટકા કર્મચારીઓનું વેક્સિનેશન થઈ ગયું છે.
