News Continuous Bureau | Mumbai
Waqf Amendment Bill: સરકારે વકફ સુધારા બિલ માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની રચના કરી છે. કમિટીમાં કુલ 31 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં લોકસભાના 21 અને રાજ્યસભાના 10 સભ્યોનો સમાવેશ થાય છે. આ કમિટી હવે વકફ બિલ પર મંથન કરશે અને આગામી સંસદ સત્રના પ્રથમ સપ્તાહના છેલ્લા દિવસે તેનો રિપોર્ટ સરકારને સુપરત કરશે.
21 MPs from Lok Sabha who will be members of the JPC are – Jagdambika Pal, Nishikant Dubey, Tejasvi Surya, Aparajita Sarangi, Sanjay Jaiswal, Dilip Saikia, Abhijit Gangopadhyay, DK Aruna, Gaurav Gogoi, Imran Masood, Mohammad Jawed, Maulana Mohibullah Nadvi, Kalyan Banerjee, A… https://t.co/CFOYj0tjY6
— ANI (@ANI) August 9, 2024
Waqf Amendment Bill: જેપીસીમાં આ સાંસદોને સ્થાન આપવામાં આવ્યું
જેપીસીમાં જે 21 લોકસભા સાંસદોને સ્થાન આપવામાં આવ્યું છે તેમાં ભાજપના જગદંબિકા પાલ, નિશિકાંત દુબે, તેજસ્વી સૂર્યા, અપરાજિતા સારંગી, સંજય જયસ્વાલ, દિલીપ સૈકિયા, અભિજીત ગંગોપાધ્યાય અને ડીકે અરુણાનો સમાવેશ થાય છે. આ સિવાય કોંગ્રેસ તરફથી ગૌરવ ગોગાઈ, ઈમરાન મસૂદ અને મોહમ્મદ જાવેદને આ સમિતિનો ભાગ બનાવવામાં આવ્યા છે. સમાજવાદી પાર્ટીના સભ્ય મૌલાના મોહિબુલ્લા નદવી, તૃણમૂલ કોંગ્રેસના કલ્યાણ બેનર્જી, ડીએમકેના એ. રાજા, તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના લવુ શ્રીકૃષ્ણ, જનતા દળ (યુનાઈટેડ)ના દિલેશ્વર કામત, શિવસેના (યુબીટી)ના અરવિંદ સાવંત, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એસપી)ના સુરેશ ગોપીનાથ મ્હાત્રે, શિવસેનાના નરેશ ગણપત મ્હસ્કે, લોક જનશક્તિ પાર્ટી ( રામવિલાસના અરુણ ભારતી અને AIMIMના અસદુદ્દીન ઓવૈસી પણ આ સમિતિમાં સામેલ છે.
આ સમાચાર પણ વાંચો: Waqf Board Bill 2024 : વકફ સંશોધન બિલ પર વિપક્ષની માંગ સરકારે સ્વીકારી, અધ્યક્ષ સામે મુક્યો આ પ્રસ્તાવ..
મહત્વનું છે કે લોકસભામાં, સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ વક્ફ (સુધારા) બિલ, 2024માં JPC માટે 21 લોકસભા સાંસદોના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે રાજ્યસભાને JPCમાં નિયુક્ત કરવા માટે 10 સભ્યોના નામની ભલામણ કરવા પણ કહ્યું હતું.
Waqf Amendment Bill: માંગણી મુજબ બિલને સંસદની સંયુક્ત સંસદીય સમિતિને મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો
લોકસભાએ રાજ્યસભાને આ સંયુક્ત સમિતિ માટે 10 સભ્યોની પસંદગી કરવા અને નીચલા ગૃહને જાણ કરવાની ભલામણ કરી છે. સરકારે ગુરૂવારે લોકસભામાં વકફ બોર્ડનું સંચાલન કરતા કાયદામાં સુધારા સાથે સંબંધિત બિલ રજૂ કર્યું હતું, જેને શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે ચર્ચા અને દલીલો બાદ સંયુક્ત સમિતિને મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ ગૃહમાં ‘વક્ફ (સુધારા) બિલ, 2024’ રજૂ કર્યું અને વિવિધ પક્ષોની માંગણી મુજબ બિલને સંસદની સંયુક્ત સંસદીય સમિતિને મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો. આ અંગે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે, હું તમામ પક્ષોના નેતાઓ સાથે વાત કર્યા બાદ આ સંયુક્ત સંસદીય સમિતિની રચના કરીશ.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
