News Continuous Bureau | Mumbai
Aryan Khan: શાહરુખ ખાન ના પુત્ર આર્યન ખાન પોતાના પ્રથમ શો ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’ થી ડિજીટલ ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ શો 18 સપ્ટેમ્બરે નેટફ્લિક્સપર રિલીઝ થવાનો છે. શો રિલીઝ પહેલા જ ચર્ચામાં છે. અભિનેતા રાઘવ જુયાલ એ આર્યન વિશે એક રસપ્રદ વાત કહી છે કે કેમ આર્યન કેમેરા સામે હસતો નથી.
આ સમાચાર પણ વાંચો : YRKKH Armaan Poddar: ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ નો અરમાન રિયલ લાઈફ માં બન્યો પિતા, રોહિત અને શીના ના ઘરે થયું નાના મહેમાન નું આગમન
રાઘવ જુયાલે કહ્યું – આર્યનને એટિટ્યુડમાં રહેવું ગમે છે
રાઘવે કહ્યું કે આર્યન કેમેરા સામે હસતો નથી કારણ કે તેને એવું કરવું ગમતું નથી. તે એટિટ્યુડ માં રહેવું પસંદ કરે છે. જોકે, શૂટિંગ દરમિયાન તે ખૂબ મજાક કરે છે અને બાળકો જેવી ઊર્જા ધરાવે છે. રાઘવે ઉમેર્યું કે, “મારે એક દિવસ તેને કેમેરા સામે હસાવવાનો છે.”શોમાં અભિનય કરી રહેલા લક્ષ્ય લાલવાણીએ કહ્યું કે આર્યન જો હસે પણ, તો તેની તસવીરો બહાર આવતી નથી. તે ખૂબ પ્રાઈવેટ છે અને પોતાની ઇમેજને લઈને સાવધાન છે. આ વાત પણ દર્શકોમાં તેની મિસ્ટ્રી વધારે છે.
View this post on Instagram
આ શો 18 સપ્ટેમ્બરથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. તેમાં લક્ષ્ય લાલવાણી, રાઘવ જુયાલ, બોબી દેઓલ , સહર બાંબા અને મોના સિંહ મુખ્ય ભૂમિકામાં છે. શોમાં શાહરુખ ખાન, સલમાન ખાન, રણવીર સિંહ અને આમિર ખાન જેવા સ્ટાર્સના કેમિયો પણ જોવા મળશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)