‘બ્રહ્માસ્ત્ર’ ની સિક્વલ મુકાઈ જોખમ માં, ઓરિજિનલ નિર્માતા ધર્મા-ડિઝનીએ પાછા ખેંચ્યા હાથ,હવે અયાન મુખર્જી ને આ પ્રોડક્શન પર છે આશા

:જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, 'બ્રહ્માસ્ત્ર' ધર્મા પ્રોડક્શન ના મૂળ નિર્માતાઓ એટલે કે કરણ જોહર અને ડિઝનીએ તેને બનાવવા નું છોડી દીધું છે. બંનેએ 'બ્રહ્માસ્ત્ર'ના આગળના ભાગો છોડી દીધા છે. આવી સ્થિતિમાં અયાન ફિલ્મને જિયો સ્ટુડિયોમાં લઈ ગયો. જો આ ડીલ ફાઈનલ થઈ જાય તો 'બ્રહ્માસ્ત્ર'ના પાત્રોના સ્પિન-ઓફ પણ થઇ શકે છે.

by Zalak Parikh
brahmastra 2 and 3 in danger disney and dharma productions quit the film

News Continuous Bureau | Mumbai

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ અભિનીત ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’એ તેની રિલીઝ સાથે ચાહકોને ખુશ કર્યા. દિગ્દર્શક અયાન મુખર્જીની આ ફિલ્મ દર્શકોને ફક્ત પંસંદ જ ના આવી પરંતુ તેઓ તેના આગળના ભાગો ની પણ રાહ જોઈ રહ્યા હતા. વર્ષો પહેલા જ્યારે અયાને ‘બ્રહ્માસ્ત્ર’ બનાવવાની જાહેરાત કરી હતી. પછી તેણે કહ્યું કે તે તેને ત્રણ ભાગમાં બનાવવા જઈ રહ્યો છે. પ્રથમ ભાગ આવ્યા બાદ ચાહકો બીજા અને ત્રીજા ભાગની રાહ જોઈ રહ્યા છે, પરંતુ હવે ‘બ્રહ્માસ્ત્ર’ની સિક્વલ જોખમમાં છે.

 

 બ્રહ્માસ્ત્ર ને લઇ ને આવી છે યોજના 

જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, ‘બ્રહ્માસ્ત્ર’ ધર્મા પ્રોડક્શનના મૂળ નિર્માતાઓ એટલે કે કરણ જોહર અને ડિઝનીએ તેને બનાવવાનું છોડી દીધું છે. બંનેએ ‘બ્રહ્માસ્ત્ર’ના આગળના ભાગો છોડી દીધા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બંને આ ફિલ્મના રાઇટ્સ અયાન મુખર્જીને વેચવા માંગતા હતા. અયાન પહેલાથી જ ફિલ્મના અમુક ભાગને નિયંત્રિત કરે છે. ફિલ્મના રાઈટ્સ મળ્યા બાદ અયાન મુખર્જી તેને જિયો સ્ટુડિયોમાં લઈ ગયો.જો ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રોનું માનીએ તો અયાન મુખર્જી હવે Jio સ્ટુડિયો માટે ‘બ્રહ્માસ્ત્ર’ પાર્ટ 2 અને પાર્ટ 3 બનાવવા માંગે છે. આ ઉપરાંત, તેની યોજના સ્ટુડિયો સાથે મળીને સ્પિન ઑફ વેબ સિરીઝ અને ઈન્ડિપેન્ડન્ટ  ફિલ્મોના રૂપમાં ફિલ્મના અન્ય પાત્રોને લાવવાની પણ છે. સૂત્રના જણાવ્યા અનુસાર, અયાને તેના અસ્ત્રાવરમાં નંદી અસ્ત્ર, પવન અસ્ત્ર, ગજ અસ્ત્ર અને જલ અસ્ત્ર બનાવ્યા છે. પોતાની ફિલ્મો દ્વારા તે મોટા પડદા પર જલ અસ્ત્રને જ બતાવી શકશે. જો Jio સ્ટુડિયો સાથે તેની ડીલ કન્ફર્મ થઈ જશે, તો અન્ય તમામ અસ્ત્રો પર સ્પિન-ઓફ કરવામાં આવશે. તેઓ અન્ય નિર્દેશકો દ્વારા નિર્દેશિત કરવામાં આવશે.

 

બ્રહ્માસ્ત્ર ન બનાવવાનું કારણ શું?

બીજી તરફ ડિઝનીની ‘બ્રહ્માસ્ત્ર’ ન બનાવવાનું કારણ પણ સામે આવ્યું છે. કેટલાક રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે ડિઝનીના નવા સીઈઓ બોબ ઈગર હાલમાં કંપનીના ખર્ચમાં ઘટાડો કરવા પર ધ્યાન આપી રહ્યા છે. આ કારણે, તેણે માર્વેલ અને સ્ટાર વોર્સની મૂવીઝ અને સિરીઝને રદ કરી અને મુલતવી રાખી છે. નિર્દેશક પૅટી જેનકિન્સ અને નિર્માતા કેવિન ફીજની નવી સ્ટાર વોર્સ મૂવીઝ અને માર્વેલ ડિઝની પ્લસના નવા શો પણ છે. ‘બ્રહ્માસ્ત્ર’ ન બનાવવું એ પણ ખર્ચ ઘટાડવાનો એક ભાગ છે.તે જ સમયે, કરણ જોહરની ‘બ્રહ્માસ્ત્ર’ ન બનાવવાનું કારણ અયાન મુખર્જીની ફિલ્મ ‘વોર 2’માં કામ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, અયાને ‘બ્રહ્માસ્ત્ર’ની સિક્વલ પહેલા ‘વોર 2’માં કામ કરવાનું નક્કી કર્યું છે. કરણને આ વાત ગમી નથી. ‘બ્રહ્માસ્ત્ર’નો ભાગ 2 અને 3 ડિસેમ્બર 2026 અને ડિસેમ્બર 2027ના રોજ રિલીઝ થવાનો છે. હવે આગળ શું થાય છે તે જોવાનું રહેશે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More