News Continuous Bureau | Mumbai
Dhurandhar 2: ૧૯ માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધુરંધર 2’ ને લઈને ચારેતરફ વાહવાહી થઈ રહી છે. રણવીર સિંહ અને આદિત્ય ધરની આ ફિલ્મમાં સૌથી વધુ જો કોઈની ચર્ચા થતી હોય તો તે છે પીઢ અભિનેતા રાકેશ બેદી. ફિલ્મમાં તેમણે કરાચીના એક અત્યંત શાતિર અને ચતુર રાજનેતા ‘જમીલ જમાલી’ નું પાત્ર ભજવ્યું છે. રણવીર સિંહે પોતે રાકેશ બેદીના અભિનયના મુક્તકંઠે વખાણ કરીને તેમને ફિલ્મના અસલી હીરો ગણાવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Dhurandhar 3: ધુરંધર 2’ ના એન્ડ ક્રેડિટ્સમાં છુપાયેલું છે મોટું રહસ્ય! ડાયરેક્ટર આદિત્ય ધરના સંકેતે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
રણવીર સિંહે રાકેશ બેદીના હાથ પકડીને કરી ખાસ વાત
એક તાજેતરના પોડકાસ્ટ દરમિયાન રાકેશ બેદીએ શૂટિંગના છેલ્લા દિવસની યાદો તાજી કરી હતી. તેમણે જણાવ્યું કે, શૂટિંગના અંતિમ દિવસે રણવીર સિંહે તેમનો હાથ પકડીને ભાવુક સ્વરે કહ્યું હતું કે, “જો આ ફિલ્મ ૧૦૦૦ કરોડનો બિઝનેસ કરશે, તો તેમાં ૫૦૦ કરોડનું યોગદાન રાકેશજી તમારી એક્ટિંગના કારણે હશે.” રાકેશ બેદીએ વિનમ્રતાપૂર્વક આટલું મોટું નિવેદન ન આપવા કહ્યું હોવા છતાં, રણવીરે ભારપૂર્વક જણાવ્યું હતું કે તે જે બોલી રહ્યો છે તેમાં તેને પૂરો વિશ્વાસ છે.
રાકેશ બેદીએ વધુમાં જણાવ્યું કે માત્ર કલાકારો જ નહીં, પરંતુ ડિરેક્ટર આદિત્ય ધર પણ તેમના કામથી અત્યંત પ્રભાવિત હતા. આદિત્ય ધરે રાકેશ બેદીના ખભા પર હાથ રાખીને કહ્યું હતું કે, “રાકેશજી, જ્યારે તમારા શૂટિંગનો છેલ્લો દિવસ આવશે ત્યારે હું રડી પડીશ, હું તમને ખૂબ જ મિસ કરીશ.” સેટ પર આ પ્રકારનું સકારાત્મક અને લાગણીશીલ વાતાવરણ હોવાને કારણે જ ફિલ્મમાં દરેક પાત્ર જીવંત બન્યું હોવાનું રાકેશ બેદી માને છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
