News Continuous Bureau | Mumbai
Ekta kapoor new show: એકતા કપૂર ટીવી ની ક્વીન છે. હાલ એકતા કપૂર તેના નવા શો ને લઈને ચર્ચામાં છે. આ શોમાં મુખ્ય ભૂમિકા કોણ ભજવશે તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ એકતા કપૂર ના આ નવા શો માટે શિવાંગી જોશી ની પસંદગી કરવામાં આવી છે તેમજ તેની સાથે તેનો ઓનસ્ક્રીન જમાઈ ને પણ પસંદ કરવામાં આવ્યો છે.તેમજ આ શો નું ટાઇટલ પણ ફાઇનલ કરવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો: Ranveer allahbadia controversy: રણવીર અલ્હાબાદિયા વિવાદ પર ગુસ્સે ભરાયો મીકા સિંહ, ગાયકે શો ને લઈને કહી આવી વાત
એકતા કપૂર ના શો માં શિવાંગી જોશી અને હર્ષદ ચોપરા જોવા મળશે.
મીડિયા રિપોર્ટ મુજબ એકતા કપૂર નો નવો શો સોની ટીવી પર પ્રસારિત થશે. રિપોર્ટ મુજબ આ શો નું શીર્ષક નક્કી થઈ ગયું છે. આ શોનું શીર્ષક ‘બહારે’ હશે. એકતાએ હર્ષદ ચોપરા અને શિવાંગી જોશીને ફાઇનલ કરી લીધા છે.જોકે, હજુ સુધી કોઈપણ અપડેટ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી.
#EXCLUSIVE! #ShivangiJoshi, #HarshadChopda OFFICIALLY sign #EktaKapoor‘s next, show’s title is…https://t.co/F9SgoQhdqW
— @zoomtv (@ZoomTV) February 12, 2025
તમને જણાવી દઈએ કે શિવાંગી જોશીએ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં નાયરા ની ભૂમિકા ભજવી હતી જે અક્ષરા એટલે કે પ્રણાલીની માતાની ભૂમિકા માં હતી. જ્યારે કે હર્ષદ શિવાંગીના જમાઈ એટલે કે અભિમન્યુ ની ભૂમિકામાં જોવા મળ્યો હતો. હવે શિવાંગી જોશી ની જોડી તેના ઓનસ્ક્રીન જમાઈ સાથે જામશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)