Site icon

શાહ પરિવાર પર તૂટી પડશે દુ:ખનો પહાડ-અકસ્માતમાં મૃત્યુ બાદ શોને અલવિદા કહેશે અનુપમા નું આ મુખ્ય પાત્ર

News Continuous Bureau | Mumbai

કિંજલ બેબીનું પાત્ર ભજવનાર અભિનેત્રી નિધિ શાહના(Nidhi Shah) ચાહકો માટે ખરાબ સમાચાર છે. નિધિ શાહ ટીવી સિરિયલ અનુપમાને અલવિદા (Nidhi shah quit Anupama)કહી શકે છે. આ માટે મેકર્સે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. તમને જણાવી દઈએ કે નિધિ શાહ શરૂઆતથી જ અનુપમા સાથે જોડાયેલી હતી. છેલ્લા બે વર્ષથી ચાહકો તેના પાત્રને ખૂબ પસંદ કરી રહ્યા છે.

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનુપમામાં કિંજલનું મૃત્યુ (Kinjal death)થશે. નિર્માતાઓએ કિંજલનો ડેથ ટ્રેક પણ તૈયાર કર્યો છે. અનુપમાના આગામી એપિસોડમાં કિંજલની કારનો અકસ્માત(accident) થશે. અકસ્માત નજીવો હશે પરંતુ ડોકટરો સ્પષ્ટ કહેશે કે માતા કે બાળકમાંથી કોઈ એકને જ બચાવી શકાય છે. આવી સ્થિતિમાં સ્થિતિ ખૂબ જ નાજુક બની જશે અને એક વ્યક્તિના મૃત્યુને કારણે શોમાં ઘણો તણાવ રહેશે.હવે તે વ્યક્તિ કિંજલ નું આવનારું બાળક હશે કે કિંજલ પોતે એ તો સિરિયલ ના નિર્માતા રાજન શાહી (Rajan Shahi)જ જણાવી શકશે. જો કે આ યોજના હજુ પ્રારંભિક તબક્કામાં છે.આપણે  આશા રાખીએ છીએ કે કિંજલ સ્વાસ્થ્યના આ ભય માંથી બચી જાય!! 

આ સમાચાર પણ વાંચો : શક્તિ કપૂરના પુત્ર સિદ્ધાંત કપૂરે પોતાના નિવેદનમાં કર્યો ખુલાસો-જણાવ્યું કેવી રીતે તેના શરીરમાં આવ્યું ડ્રગ્સ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નિધિ શાહ અને ટીવી સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ એક્ટર મોહસિન ખાન(Mohsin Khan) એક પ્રોજેક્ટમાં સાથે જોવા મળવાના છે. તેની હજુ પુષ્ટિ થઈ નથી. નિધિ શાહ એ ટીવી સિરિયલ ‘તુ આશિકી’ થી તેની કારકિર્દીની શરૂઆત કરી (acting carrier)હતી. તેને સિરિયલ 'જાના ના દિલ સે દૂર'થી ઓળખ મળી હતી. અનુપમા પહેલા, તે સીરીયલ ‘કવચ’ અને ‘કાર્તિક પૂર્ણિમા’ માં પણ મહત્વની ભૂમિકામાં જોવા મળી હતી. આ સિવાય નિધિએ ‘તુ આશિકી’ માં જન્નત ઝુબેરની બહેનની ભૂમિકા ભજવી હતી. ટીવી સિવાય નિધિ શાહે ફિલ્મોમાં(film) પણ કામ કર્યું છે. વર્ષ 2013માં નિધિ શાહે રિયા ચક્રવર્તીની ફિલ્મ 'મેરે ડૅડ કી મારુતિ'થી બોલિવૂડમાં ડેબ્યૂ(bollywood debut) કર્યું હતું. આ પછી તે શાહિદ કપૂરની ફિલ્મ ફટા પોસ્ટર નિકલા હીરોમાં જોવા મળી હતી.

Asha Bhosle Passed Away: સંગીત જગતમાં શોકનું મોજું: સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન, આવતીકાલે શિવાજી પાર્કમાં અંતિમ સંસ્કાર
‘Oye Oye’ Song Trivia: શું ‘ત્રિદેવ’નું આઈકોનિક ગીત ‘ઓયે-ઓયે’ પણ ઓરિજિનલ નહોતું? પાઈરેસી અને વિવાદો વચ્ચે જૂના ગીતનું સત્ય આવ્યું સામે
Anant Ambani Birthday: અંબાણી પરિવારના લાડલાનો જન્મદિવસ: રણવીર-જાનહવીના ગરબા અને ગૌરી ખાનની ભક્તિ, જુઓ જામનગરની ઝાકઝમાળ
Aditya Dhar Net Worth : ‘ધુરંધર 2’ ના ડિરેક્ટર આદિત્ય ધરનું આલીશાન સામ્રાજ્ય! નેટવર્થથી લઈને લક્ઝરી કાર સુધીના આંકડાઓ આવ્યા સામે
Exit mobile version