News Continuous Bureau | Mumbai
Nitin Desai : આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈના અવસાનથી તેમના લાખો ચાહકો ને આઘાત લાગ્યો છે. સમગ્ર બોલિવૂડમાં શોકની લહેર છે. નીતિન દેસાઈએ એક કરતાં વધુ શાનદાર ફિલ્મોમાં પોતાની કળાનું પ્રદર્શન કર્યું છે. 02 ઓગસ્ટ 2023 ના રોજ, નીતિન દેસાઈએ તેમના એનડી સ્ટુડિયોમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી. તેમના નિધનથી પરિવાર અને ચાહકોને ઘેરો આઘાત લાગ્યો છે. જ્યાં નીતિન દેસાઈએ તેમના જીવનની અંતિમ ક્ષણો વિતાવી હતી, તે જ એનડી સ્ટુડિયોમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
એનડી સ્ટુડિયો માં થશે નીતિન દેસાઈ ના અંતિમ સંસ્કાર
નીતિન દેસાઈના બાળકો અમેરિકામાં રહે છે. પિતાના નિધનના સમાચાર મળ્યા બાદ તેઓ અમેરિકા થી રવાના થઈ ગયા છે. પરિવાર તરફથી કહેવામાં આવ્યું છે કે જ્યારે બાળકો પહોંચી જશે ત્યારે નીતિન દેસાઈના અંતિમ સંસ્કાર તેમના સ્ટુડિયોમાં જ કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે શુક્રવારે નીતિન દેસાઈના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.નીતિન દેસાઈએ અમિતાભ બચ્ચનથી લઈને આમિર ખાન સુધીના ઘણા મહાન કલાકારો સાથે કામ કર્યું છે. 4 વખત નેશનલ એવોર્ડ જીતનાર અને 9 વખત ફિલ્મફેર એવોર્ડ જીતનાર નીતિન દેસાઈ બોલિવૂડ સ્ટાર્સના દિલની નજીક હતા. અક્ષય કુમાર સાથે તેની મિત્રતા ખૂબ જ ગાઢ હતી. માનવામાં આવી રહ્યું છે કે બોલિવૂડના તમામ સ્ટાર્સ તેમના અંતિમ દર્શન માટે પહોંચશે.
આ સમાચાર પણ વાંચો : PM Modi On Muslim Women: PM મોદીની NDA સાંસદોને સલાહ, રક્ષાબંધન પર મુસ્લિમ મહિલાઓની વચ્ચે જાઓ… જાણો બીજું શું કહ્યું
View this post on Instagram
નીતિન દેસાઈ નો પરિવાર
નીતિન દેસાઈના પિતાનું નામ ચંદ્રકાંત ગણપત દેસાઈ અને માતાનું નામ મીના ચંદ્રકાંત દેસાઈ હતું. તેની માતા પણ એક ફિલ્મ પ્રોડ્યુસર હતી. ફિલ્મ બેકગ્રાઉન્ડમાંથી આવતા નીતિન દેસાઈની પત્ની નયના નિતન દેસાઈ પણ ફિલ્મ નિર્માતા છે. 2018 માં, તેણે ટ્રકભર સ્વપ્ન ફિલ્મનું નિર્માણ કર્યું. નીતિન દેસાઈને 2 બાળકો છે, એક પુત્ર અને એક પુત્રી. પુત્રીનું નામ માનસી દેસાઈ છે જે પ્રોડક્શન કોઓર્ડિનેટર તરીકે કામ કરે છે.