News Continuous Bureau | Mumbai
Parag Tyagi: બોલીવૂડ અભિનેત્રી શેફાલી જરીવાલા ના અવસાન બાદ રવિવારે તેની અસ્થિઓનું વિસર્જન મુંબઈના જુહૂ બીચ પર કરવામાં આવ્યું. આ પ્રસંગે તેના પતિ પરાગ ત્યાગી ખૂબ જ ભાવુક જોવા મળ્યો હતો. વિસર્જન બાદ પરાગ ત્યાગી ભાંગી પડ્યો હતો અને તેની આંખોમાં આંસુ સ્પષ્ટ દેખાતા હતા.
આ સમાચાર પણ વાંચો : Shefali Jariwala Passes Away: શેફાલી જરીવાલા ના નિધન થી ભાંગી પડ્યો પરાગ ત્યાગી, અભિનેત્રી ના પતિ નો ભાવુક વિડીયો આવ્યો સામે
અંતિમ વિદાય સમયે પરાગ ત્યાગીનો દુઃખદ સંઘર્ષ
શેફાલી જરીવાલાના અવસાન બાદ પરાગ ત્યાગી સતત દુઃખમાં છે. વિસર્જન સમયે તેનો એક વીડિયો પણ વાયરલ થયો છે જેમાં તે પોતાને સંભાળતો જોવા મળે છે. શેફાલી એ તેના અવસાનના દિવસે ઉપવાસ રાખ્યો હતો અને એન્ટી-એજિંગ ઈન્જેક્શન લઈ રહી હતી એવી માહિતી પણ સામે આવી છે.
View this post on Instagram
View this post on Instagram
પરાગ ત્યાગીએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે “મારી પત્ની મારી પરી હતી. હવે હું માત્ર એ ઈચ્છું છું કે જ્યાં પણ હોય ત્યાં શાંતિથી રહે.” તેણે પાપારાઝી અને મીડિયા સમુદાયને તેના પરિવારને પ્રાઈવસી આપવા વિનંતી પણ કરી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)