News Continuous Bureau | Mumbai
Puneet Issar In Coolie: અભિનેતા પુનીત ઈસ્સર એ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં પોતાના જીવનના સૌથી મુશ્કેલ સમય વિશે ખુલાસો કર્યો છે. 1982માં અમિતાભ બચ્ચન ની ફિલ્મ ‘કૂલી’ ના શૂટિંગ દરમિયાન થયેલી દુર્ઘટનાને કારણે તેમને અનેક આરોપોનો સામનો કરવો પડ્યો હતો. લોકોમાં એવી અફવા ફેલાઈ હતી કે પુનીત ઇસ્સરે અમિતાભને ઇજા પહોંચાડવા માટે પૈસા લીધા હતા.
આ સમાચાર પણ વાંચો : Shefali Jariwala Death: શેફાલી જરીવાલા નો પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો સામે, જણાયું તેના નિધન નું કારણ
દુર્ઘટનાને કારણે પુનીત ઇસ્સર બન્યા લોકોના નિશાન
પુનીત ઇસ્સરે જણાવ્યું કે શૂટિંગ દરમિયાન થયેલી દુર્ઘટના એક અનિચ્છનીય ઘટના હતી, પણ લોકોમાં એવી વાતો ફેલાઈ કે તેમણે અમિતાભ બચ્ચનને ઇજા પહોંચાડવા માટે પૈસા લીધા હતા. આ અફવાઓના કારણે તેમને ધમકીભર્યા ફોન આવવા લાગ્યા અને લોકો તેમને જાનથી મારી નાખવાની ધમકી આપતા. આ દુર્ઘટના પછી પુનીત ઇસ્સરને 7-8 ફિલ્મોમાંથી હટાવી દેવામાં આવ્યા. જીવન જીવવા માટે તેમણે સ્પીચ ક્લાસ, માર્શલ આર્ટ ટ્રેનિંગ અને નાના રોલ્સ કરવાનું શરૂ કર્યું. 1982થી 1988 સુધી તેમણે અનેક નાના કામો કર્યા.
પુનીત ઇસ્સરને ફરી સફળતા ત્યારે મળી જ્યારે તેમને ટીવી સીરીયલ ‘મહાભારત’ માં દુર્યોધન ની ભૂમિકા માટે પસંદ કરવામાં આવ્યા. આ રોલથી તેમની છબી ફરીથી મજબૂત બની અને લોકોના દિલમાં સ્થાન મળ્યું.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
