News Continuous Bureau | Mumbai
Ramayan: નિતેશ તિવારી (Nitesh Tiwari) દ્વારા નિર્મિત “રામાયણ” (Ramayan) ફિલ્મ હાલમાં ચર્ચામાં છે. ફિલ્મમાં રણબીર કપૂર (Ranbir Kapoor) રામના પાત્રમાં, યશ (Yash) રાવણના પાત્રમાં અને સાઈ પલ્લવી (Sai Pallavi) સીતાના પાત્રમાં જોવા મળશે. સિનિયર એક્ટ્રેસ ઇંદિરા કૃષ્ણન (Indira Krishnan) માતા કૌશલ્યાનું પાત્ર ભજવી રહી છે. તેણે જણાવ્યું કે ફિલ્મમાં દરેક પાત્રને અસલી સોનાના (Gold) ઘરેણાં પહેરાવવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: ‘ક્યુકી સાસ ભી કભી બહૂ થી’ ના સેટ પર અભિનેતા પર નારાજ થઇ એકતા કપૂર! બંને વચ્ચે નો ટકરાવ બન્યો ચર્ચા નો વિષય
કપડાં અને જ્વેલરી માટે ખાસ ડિઝાઇન
ઇંદિરાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે રિમ્પલ અને હરપ્રીત (Rimple & Harpreet) દ્વારા દરેક પાત્ર માટે અલગ-અલગ કપડાં ડિઝાઇન કરવામાં આવ્યા છે. દરેક ડ્રેસ એકબીજાથી અલગ છે અને ખૂબ જ આકર્ષક છે. દરેક પાત્રના લુક માટે અલગ કલર કોમ્બિનેશન અને લુક ટેસ્ટ કરવામાં આવ્યા હતા.ઇંદિરાએ કહ્યું કે તેમના કપડાં અને ઘરેણાં એટલા ભારે અને ભવ્ય હતા કે આખું મેકઅપ ટેબલ એ જ વસ્તુઓથી ભરેલું રહેતું. દરેક શોટ પહેલા લુક ટેસ્ટ કરવામાં આવતો કે સ્ક્રીન પર કેવી રીતે દેખાશે. નિતેશ તિવારીએ દરેક પાત્રના લુક માટે ખૂબ જ કાળજી રાખી છે.
View this post on Instagram
ઇંદિરા કૃષ્ણન અગાઉ રણબીર કપૂર સાથે ફિલ્મ ‘એનિમલ’ (Animal)માં પણ કામ કરી ચૂકી છે. હવે ‘રામાયણ’માં તેની સાથે ફરી સ્ક્રીન શેર કરી રહી છે. ફિલ્મનું ફર્સ્ટ લુક ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે અને દર્શકોમાં ભારે ઉત્સાહ છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)