News Continuous Bureau | Mumbai
Ranbir kapoor on Ramayana: રણબીર કપૂર તેની ફિલ્મ રામાયણ ને લઈને ચર્ચામાં છે. રણબીર કપૂર નિતેશ તિવારી ની રામાયણ માં ભગવાન રામ ની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ભાગ વર્ષ 2026 માં રિલીઝ થશે. રણબીર કપૂરે ‘રેડ સી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2024’ માં હાજરી આપી હતી આ દરમિયાન રણબીર કપૂરે રામાયણ પહેલીવાર ખુલી ને વાત કરી છે.
આ સમાચાર પણ વાંચો : Bhool bhulaiyaa 3 OTT release: થિયેટર બાદ હવે ઓટીટી પર પણ ધૂમ મચાવવા આવી રહ્યા છે રુહબાબા, આ દિવસે નેટફ્લિક્સ પર રિલીઝ થશે ભૂલ ભુલૈયા 3
રણબીર કપૂરે રામાયણ વિશે કરી વાત
રણબીરે ‘રેડ સી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2024’ માં એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે, “હું જે ફિલ્મમાં કામ કરી રહ્યો છું તે ‘રામાયણ’ છે, જે અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ વાર્તા છે. મારા બાળપણના મિત્ર નમિત મલ્હોત્રા, જે આ ફિલ્મ ખૂબ જ જુસ્સા સાથે બનાવી રહ્યા છે, તેણે વિશ્વને પ્રેરણા આપી છે. તમામ કલાકારો, સર્જનાત્મક લોકો અને ક્રૂ.એ મહાન કામ કર્યું છે. “
Ranbir Kapoor talking about RAMAYAN in his recent interview at the RED SEA film festival #RanbirKapoor #Ramayan #RedSeaFF24 pic.twitter.com/4QO0m9tWBm
— ritika ❤️🔥 | L&W ERA (@ritikatweetssx) December 8, 2024
પોતાની વાત ને આગળ વધારતા રણબીરે જણાવ્યું કે, “માત્ર તે વાર્તાનો ભાગ બનવા માટે, હું રામની ભૂમિકા ભજવવા માટે ખૂબ જ આભારી છું. તે મારા માટે એક સ્વપ્ન છે. આ એક એવી ફિલ્મ છે જેમાં બધું જ છે. તે શીખવે છે કે ભારતીય સંસ્કૃતિ શું છે?”આ સિવાય રણબીરે જણાવ્યું કે તેણે રામાયણના પહેલા ભાગનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)