News Continuous Bureau | Mumbai
Rani Mukerji : બોલીવૂડ અભિનેત્રી અને નેશનલ એવોર્ડ વિજેતા રાની મુખર્જી એ મુંબઈના રાજ્ય પોલીસ મુખ્યાલય ખાતે સાયબર અવેરનેસ મંથ 2025ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી. તેણે કહ્યું કે “મહિલાઓ અને બાળકો માટે સાયબર ક્રાઇમ એક મોટું જોખમ બની ગયું છે. હવે સમય આવી ગયો છે કે આપણે સૌ એકજૂટ થઈને આ સામે અવાજ ઉઠાવીએ”.
આ સમાચાર પણ વાંચો : Kajol: કાજોલે દુર્ગા પૂજાના અંતિમ દિવસે પરિવાર સાથે ભવ્ય રીતે ઉજવ્યું સિંદૂર ખેલા,સોશિયલ મીડિયા પર વાયરલ થયા વિડીયો
મર્દાની 3 નું શૂટિંગ છોડીને કાર્યક્રમમાં પહોંચી
રાની મુખર્જીએ જણાવ્યું કે “હું આજે મર્દાની 3 નું શૂટિંગ છોડીને અહીં આવી છું. મારી ફિલ્મોમાં હું હંમેશા ન્યાય માટે લડતી મહિલાઓની ભૂમિકા ભજવી છું, પણ આજે હું એક માતા અને નાગરિક તરીકે અહીં છું.” તેમણે મહારાષ્ટ્ર પોલીસ અને CM ફડણવીસની પ્રશંસા કરી કે તેઓએ આ મહત્વપૂર્ણ મુદ્દાને પ્રાથમિકતા આપી છે.રાની કહ્યું કે “સાયબર ક્રાઇમ હવે ઘરોમાં શાંતિથી ઘૂસી રહ્યું છે. જાગૃતિ એ જ સાચી સુરક્ષા છે. ડાયલ 1930 અને ડાયલ 1945 જેવી હેલ્પલાઇન દરેક નાગરિક માટે આશીર્વાદ છે. આપણે બધાએ મળીને ખાતરી કરવી જોઈએ કે કોઈ બાળક ડરથી ચુપચાપ ન રડે અને કોઈ સ્ત્રી અસુરક્ષિત ન અનુભવે”.
View this post on Instagram
અભિનેત્રીએ કહ્યું કે “હું એક અભિનેત્રી તરીકે માત્ર કથાઓ રજૂ કરી શકું છું, પણ એક નાગરિક તરીકે મારી ફરજ છે કે હું અવાજ ઉઠાવું. ચાલો આપણે આજે સંકલ્પ લઈએ કે આપણે સાયબર સેફટી માટે જાગૃત રહીશું અને અન્યને પણ જાગૃત કરીશું.”
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)