News Continuous Bureau | Mumbai
Ranveer allahabadia: સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને કન્ટેન્ટ ક્રિએટર રણવીર અલ્હાબાદિયા ઈડિયાઝ ગોટ લેટેન્ટ માં અભદ્ર ટિપ્પણી ને લઈને ચર્ચામાં આવ્યો હતો. આ મામલે રણવીર વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. ફેબ્રુઆરીમાં થયેલા વિવાદના બે મહિના બાદ રણવીરે વી શરૂઆત કરી છે તેને સોશિયલ મીડિયા પર પોતાનો પહેલો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં રણવીરે વિવાદ દરમિયાન તેમને સપોર્ટ કરનારા લોકોને આભાર માન્યો અને જેમને તેની વાતોથી દુખ થયું હોય તેવા લોકોની માફી માંગી છે.
આ સમાચાર પણ વાંચો: Shanaya Kapoor Student Of The Year 3: શનાયા કપૂર ના હાથ લાગી બિગ બજેટ ની ફિલ્મ, કરણ જોહર ની આ ફિલ્મ માં ભજવશે મહત્વ ની ભૂમિકા
રણવીરે વ્યક્ત કર્યો આભાર
રણવીરે કહ્યું કે આ સમય તેમના માટે ખૂબ જ મુશ્કેલ હતો, પરંતુ પોઝિટિવ મેસેજ અને સપોર્ટથી તેમને મદદ મળી.રણવીરે તેમની 300 સભ્યોની ટીમની પ્રશંસા કરી, જેમણે આ મુશ્કેલ સમયમાં તેમનો સાથ છોડી દીધો ન હતો.રણવીરે વિડીયો માં વચન આપતા કહ્યું કે તેઓ આગામી 20-30 વર્ષ સુધી જવાબદારીપૂર્વક કન્ટેન્ટ બનાવશે અને દેશના સંસ્કૃતિ અને ઇતિહાસને પ્રોત્સાહન આપશે.
View this post on Instagram
રણવીર અલ્હાબાદિયાએ સમય રૈનાના શો ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ માં એક સ્પર્ધકને અશ્લીલ પ્રશ્ન પૂછ્યો હતો. જેને લઈને સમય રૈના અને રણવીર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આ વિવાદ પછી, રણવીરે જનતા પાસે માફી માંગી હતી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)