News Continuous Bureau | Mumbai
SS Rajamouli : એસ.એસ. રાજામૌલી પોતાની મેગા ફિલ્મ ‘વારાણસી’ ના ટીઝર લોન્ચ ઇવેન્ટમાં આપેલા નિવેદનને કારણે વિવાદમાં ઘેરાયા છે. રિપોર્ટ મુજબ, રાજામૌલીએ ટેક્નિકલ સમસ્યાઓને કારણે સ્પીચ દરમિયાન કહ્યું કે તેમને ભગવાન અને હનુમાનજી પર વિશ્વાસ નથી. આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકો ભડકી ગયા અને હૈદરાબાદના સરુરનગર પોલીસ સ્ટેશનમાં તેમની સામે ફરિયાદ નોંધાઈ.
આ સમાચાર પણ વાંચો : Tiger Shroff: ટાઈગર શ્રોફની રામ માધવનીની સ્પિરિચ્યુઅલ એક્શન થ્રિલરમાં થઇ એન્ટ્રી, જાપાનમાં થશે શૂટિંગ
શું કહ્યું રાજામૌલીએ?
5 નવેમ્બરે રામોજી ફિલ્મ સિટીમાં યોજાયેલા ઇવેન્ટમાં રાજામૌલીએ કહ્યું: “મને ભગવાન પર વધારે વિશ્વાસ નથી. મારા પિતા બોલ્યા કે હનુમાનજી બધું ઠીક કરશે. ત્યારે મેં ગુસ્સામાં કહ્યું – શું આ રીતે તેઓ મને રસ્તો બતાવે છે?”આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર તેમને ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો.મીડિયા રિપોર્ટ મુજબ, પોલીસને વાનર સેના સંગઠન તરફથી ફરિયાદ મળી છે જેમાં કહેવામાં આવ્યું છે કે રાજામૌલીએ હનુમાનજી પર વિશ્વાસ ન હોવાનો નિવેદન આપીને હિંદુઓની ભાવનાને ઠેસ પહોંચાડી છે. હાલ તપાસ ચાલી રહી છે, કેસ હજી નોંધાયો નથી.
View this post on Instagram
‘વારાણસી’માં મહેશ બાબુ, પ્રિયંકા ચોપરા અને પૃથ્વીરાજ સુકુમારન મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ 2027માં રિલીઝ થવાની છે અને તેનું ટીઝર હનુમાનજીના સીન સાથે જોડાયેલ હતું.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)