News Continuous Bureau | Mumbai
Suchitra Krishnamoorthi: અમદાવાદ પ્લેન ક્રેશ માં બચેલા એક માત્ર મુસાફર રમેશ અંગે ખોટી માહિતીના આધારે સિંગર- અને અભિનેત્રી સુચિત્રા કૃષ્ણમૂર્તિ એ સોશિયલ મીડિયા પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેણે X (Twitter) પર લખ્યું કે રમેશે ફ્લાઈટમાં હોવાનો ખોટો દાવો કર્યો છે અને તેને મેન્ટલ અસાઈલમ મોકલવો જોઈએ. જોકે, પછી તેને ખબર પડી કે માહિતી ખોટી હતી, અને તેણે પોતાનું ટ્વીટ ડિલીટ કરીને માફી પણ માંગી.
આ સમાચાર પણ વાંચો : Anupama Twist: અનુપમા માં થવા જઈ રહી છે વધુ એક કલાકાર ની એન્ટ્રી, આ વ્યક્તિ ને કારણે શો માં આવશે મોટા ટ્વીસ્ટ
સુચિત્રાનું વિવાદાસ્પદ ટ્વીટ
સુચિત્રાએ લખ્યું હતું કે “રમેશે બચનાર હોવાનો ખોટો દાવો કર્યો છે. તેનો પરિવાર UKમાં છે અને તેના ભાઈના અંતિમ સંસ્કારમાં તે હાજર હતો. જો આ ખોટું છે તો તેને કડક સજા અને મેન્ટલ અસાઈલમ મોકલવો જોઈએ.” આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઈ.જ્યારે સુચિત્રાને ખબર પડી કે રમેશ ખરેખર ફ્લાઈટમાં હતો અને તે બચી ગયો છે, ત્યારે તેણે તરત પોતાનું ટ્વીટ ડિલીટ કર્યું અને લખ્યું: “એર ઈન્ડિયા ક્રેશ માં બચનાર રમેશ પર કરેલું જૂનું ટ્વીટ હટાવી દીધું છે. લાગે છે કોઈએ ખોટી માહિતી ફેલાવી હતી. ભગવાન જાણે કેમ. હું માફી માંગું છું.”
Took out my last tweet on the air india crash survivor. Seems to be false news circulated for God knows what reason. My apologies
— Suchitra Krishnamoorthi (@suchitrak) June 19, 2025
આ ઘટનાએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર જવાબદારીપૂર્વક વર્તવાની જરૂરિયાત દર્શાવી છે. ખોટી માહિતીના આધારે કોઈ વ્યક્તિની પ્રતિષ્ઠા અને ભાવનાઓને નુકસાન થઈ શકે છે. સુચિત્રાની માફી પ્રશંસનીય છે, પણ આવી ભૂલોથી શીખવાની જરૂર છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)