News Continuous Bureau | Mumbai
Sunjay Kapur: બોલીવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ અને જાણીતા ઉદ્યોગપતિ સંજય કપૂર નું 53 વર્ષની ઉંમરે યુકેમાં હાર્ટ એટેક થી અવસાન થયું. તેઓ સોના કોમસ્ટાર (Sona Comstar) કંપનીના ચેરમેન હતા. તેમના પિતા સુરિન્દર કપૂરે 1995માં આ કંપનીની સ્થાપના કરી હતી અને 2015માં પિતાના અવસાન બાદ સંજયે કંપની સંભાળી હતી.
આ સમાચાર પણ વાંચો : Kajol: ત્રણ વર્ષ બાદ મોટા પડદે વાપસી કરી રહી છે કાજોલ, અજય દેવગણ ના પ્રોડકશન હાઉસ માં બનેલી આ ફિલ્મ થી કરશે કમબેક
ફોર્બ્સ (Forbes)ની યાદીમાં સ્થાન અને નેટ વર્થ
2025માં ફોર્બ્સ (Forbes)ની વૈશ્વિક અબજપતિઓની યાદીમાં સંજય કપૂરને 2623 મા સ્થાન પર સ્થાન મળ્યું હતું. તેમની કુલ નેટ વર્થ અંદાજે 12,450 કરોડ હતી. જ્યારે બ્લૂમબર્ગ (Bloomberg) અને રિયલ ટાઈમ બિલિયનેર ઈન્ડેક્સે તેમની સંપત્તિ 1.15 થી 1.18 બિલિયન ડોલર વચ્ચે આંકી હતી.તેઓએ ટેક અને મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટઅપ્સમાં અનેક રોકાણો કર્યા હતા અને યુકે, જર્મની અને યુએસમાં બિઝનેસ ટાઈ-અપ્સ પણ હતા.સંજય કપૂર પાસે લંડન, દિલ્હી અને મુંબઈમાં ભવ્ય પ્રોપર્ટી હતી. તેઓ એક શોખીન લાઈફસ્ટાઈલ જીવી રહ્યા હતા અને પોલો રમવાનું તેમનો મનપસંદ શોખ હતો. તેમનું અવસાન પણ પોલો ક્લબમાં રમતી વખતે થયું હતું.
View this post on Instagram
સંજય કપૂરે ત્રણ લગ્ન કર્યા હતા. પ્રથમ લગ્ન ફેશન ડિઝાઇનર નંદિતા મહતાની સાથે થયા હતા. 2003માં તેમણે કરિશ્મા કપૂર સાથે લગ્ન કર્યા અને 2016માં છૂટાછેડા થયા. છૂટાછેડા દરમિયાન કરિશ્માએ સંજય પર ઘેરલુ હિંસા અને દહેજના આરોપો લગાવ્યા હતા. 2017માં સંજયે પ્રિયા સચદેવ સાથે ત્રીજા લગ્ન કર્યા. તેમના ત્રણ સંતાન છે – સમાયરા, કિયાન અને અઝારિયસ.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)