News Continuous Bureau | Mumbai
Vicky Kaushal: બોલીવૂડ અભિનેતા વિક્કી કૌશલ આગામી ફિલ્મ ‘મહાવતાર’માં ભગવાન પરશુરામ ની ભૂમિકા નિભાવશે. આ પાત્ર માટે તેને નોન-વેજ અને દારૂ છોડવાનો નિર્ણય કર્યો છે. ડિરેક્ટર અમર કૌશિક પણ આ ત્યાગમાં તેની સાથે છે. બંને 2026ના અંત સુધીમાં ફિલ્મ નું શૂટિંગ શરૂ કરશે.
આ સમાચાર પણ વાંચો : Bahubali: The Epic OTT Release: થિયેટરો માં ધૂમ મચાવી રહેલી બાહુબલી ધ એપિક ની ઓટિટિ રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો પ્રભાસ ની ફિલ્મ
‘મહાવતાર’ માટે ખાસ તૈયારી
‘મહાવતાર’ એક આધ્યાત્મિક અને વિઝ્યુઅલ રીતે ભવ્ય ફિલ્મ હશે, જેમાં VFXનો ભારે ઉપયોગ થશે. વિક્કી અને અમર કૌશિકે નક્કી કર્યું છે કે તેઓ આ પાત્ર માટે સંપૂર્ણ સમર્પિત રહેશે. તેઓ 2026ના મધ્યમાં એક ભવ્ય પૂજા સાથે ફિલ્મની તૈયારી શરૂ કરશે. ફિલ્મ 2028માં રિલીઝ થવાની શક્યતા છે.
View this post on Instagram
વિક્કી કૌશલ માટે ‘મહાવતાર’ માત્ર એક ફિલ્મ નહીં, પણ એક આધ્યાત્મિક યાત્રા છે. તે ભગવાન પરશુરામના પાત્રને શ્રદ્ધા અને સમર્પણથી નિભાવવા માંગે છે. આ માટે તે પોતાની જીવનશૈલી બદલી રહ્યો છે, જે બોલીવૂડમાં એક અનોખું ઉદાહરણ છે.‘મહાવતાર’ માટે તે પોતાની ફૂડ હેબિટ બદલીને આધ્યાત્મિક જીવનશૈલી અપનાવશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)