Yeh Rishta Kya Kehlata Hai: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં આવશે ટ્વીસ્ટ, શું અરમાન અને અભીરા નું થશે મિલન? અભિનેતા રોહિત પુરોહિત એ આપ્યું અપડેટ

Will Armaan and Abhira Reunite in Yeh Rishta Kya Kehlata Hai Rohit Purohit Drops a Major Hint

News Continuous Bureau | Mumbai 

Yeh Rishta Kya Kehlata Hai: ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’  માં હાલમાં અનેક નાટકીય વળાંકો જોવા મળી રહ્યા છે. અરમાન અને અભિરા એકબીજાથી અલગ છે, પણ હવે તેમના પુનર્મિલનના સંકેત મળી રહ્યા છે. અરમાનની ભૂમિકા ભજવી રહેલા અભિનેતા રોહિત પુરોહિત એ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આવનારા એપિસોડના દ્રશ્યો શેર કર્યા છે, જેમાં તેણે લખ્યું છે “સબકા બદલા લેગા તેરા ફૈઝલ” – જે ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ નો લોકપ્રિય ડાયલોગ છે.

આ સમાચાર પણ વાંચો : Salman Khan at The Great Indian Kapil Show: સલમાન ખાન એ કપિલ શર્મા ના શો માં પોતાની આ ફિલ્મ ની ઉડાવી મજાક, આમિર અને ગૌરી ના સંબંધ વિશે પણ કરી વાત

અભિરા સાથે થયેલા અન્યાય નો બદલો લેશે અરમાન

રોહિત પુરોહિતે જે દ્રશ્યો શેર કર્યા છે, તે દર્શાવે છે કે અરમાન હવે અભિરા સાથે થયેલા અન્યાય નો બદલો લેવા તૈયાર છે. અભિરા હાલમાં એક નાનકડા ઘરમાં પોતાની માતા અને દાદી સાથે રહે છે. અરમાન ની દીકરી માયરા ની અભિરા સાથે અચાનક મુલાકાત થાય છે અને તે અરમાન ને આ વાત જણાવે છે. આથી અરમાન ને સમજાય છે કે અભિરા કેટલી મુશ્કેલીમાં છે.


રોહિત પુરોહિત ની પોસ્ટ જોઈ હવે પ્રશ્ન એ છે કે શું અરમાન ફરીથી અભિરા સાથે પ્રેમભરી જિંદગી જીવી શકશે?

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)